SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ કાણ્ડ-૧ - ગાથા-૨૭ સન્મતિપ્રકરણ = સમવાય સંબંધથી રહેલું છે. જેમ ઘટમાં સંયોગ સંબંધથી જલ છે, છતાં ઘટથી જલ ભિન્ન પદાર્થ છે તેમ અવયવોમાં અવયવી દ્રવ્ય સમવાયસંબંધથી રહેલું છે. છતાં એકાન્તે ભિન્ન છે. પરંતુ “તે તં = ળ” આ પાઠમાં તે = તે અવયવો તા = કાર્ય છે. આમ અભેદ જ્ઞ = નથી. આમ જે દર્શનકારો માને છે. સારાંશ કે કારણો તે જ કાર્ય નથી. કારણોથી કાર્ય ભિન્ન છે. આવું માનવું તે એકાન્ત ભેદવાદ છે અને તે પણ એકાન્ત ભેદવાદ હોવાથી નિયમા મિથ્યાત્વ છે અથવા તેં = તથા “તું તું એવ વૃત્તિ' નિયમેળ મિચ્છાં વા તે કારણ પોતે જ તેં એવ = કાર્યરૂપે પરિણામ પામે છે. અર્થાત્ જે કારણ છે તે જ કાર્યરૂપે બને છે. પરંતુ કારણથી કાર્ય ભિન્ન નથી. કારણ અને કાર્યનો સર્વથા અભેદ જ છે. આવું જે દર્શનકારો માને છે. તે પણ નિયમા મિથ્યાત્વ જ છે. સારાંશ કે કારણથી કાર્ય કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. આમ સમજવું જોઈએ. એકાન્તે ભિન્ન કે એકાન્તે અભિન્ન નથી. અહીં મૂલ ગાથાના ઉત્તરાર્ધમાં જે રૂ પદ છે, તે આગલા-પાછલા બન્ને વાક્યમાં જોડી શકાય છે. અમે “તે તં = ળ” એમ જોડ્યું છે. જે કારણો છે તે જ કાર્ય છે આમ નથી. પરંતુ તેમાંથી ભિન્ન એવું કાર્ય પ્રગટ થાય છે. આ એકાન્તભેદસૂચક અર્થ થયો. અને “તં તેં શ્વેત વૃત્તિ' જે કારણ છે તે જ કાર્યરૂપે બને છે આ એકાન્ત અભેદસૂચક અર્થ થયો. પરંતુ જો આ જ રૂ પદને પાછલા વાક્ય સાથે જોડીએ તો પહેલું વાક્ય એકાન્ત અભેદસૂચક અને બીજુ વાક્ય એકાન્તે ભેદ સૂચક પણ થાય છે. બન્નેનો ભાવાર્થ સરખો જ રહે છે. = કારણના કાલમાં કાર્યનો વ્યવહાર થતો નથી તેથી કારણથી કાર્ય કથંચિત્ ભિન્ન પણ જરૂર છે. જેમ માટીકાલે ઘટનું કાર્ય જલાધારાદિ થતું નથી. તન્તુના કાલે પટનું કાર્ય શીતત્રાણાદિ થતું નથી. સોનાની લગડીના કાલે કડા-કુંડલ આદિ અલંકારો ધારણ કરવા સ્વરૂપ કાર્ય થતું નથી આ કારણે કારણથી કાર્ય કથંચિત્ ભિન્ન પણ છે. છતાં જે કારણ છે તે જ કાર્યરૂપે પરિણામ પામે છે. માટી પોતે જ ઘટ બને છે તન્તુ પોતે જ પટ બને છે. સોનાની લગડી જ કડુ-કુંડલ બને છે માટે કારણથી કાર્ય કથંચિદ્ અભિન્ન પણ છે. આવા પ્રકારનો ભેદાભેદવાદ જ સમ્યક્ત્વ છે. આ તત્ત્વ સમજાવવા માટે જ ગ્રન્થકારશ્રીએ આ ગાથામાં એકાન્ત અસત્કાર્યવાદ, એકાન્તે સત્કાર્યવાદ, એકાન્તે ભિન્નકાર્યવાદ અને એકાન્તે અભિન્નકાર્યવાદની સઘળી માન્યતાઓને અયથાર્થસ્વરૂપ હોવાથી નિયમા મિથ્યાત્વ કહેલ છે. આ વાત અનુભવ સિદ્ધ અને શાસ્રસિદ્ધ છે. તથા રત્નાવલીના ઉદાહરણથી પણ આ વાત નિર્વિવાદ સ્વરૂપે સિદ્ધ થાય છે. અનંત ઉપકારી તીર્થંકર ભગવન્તોએ જગતના ભાવોને કેવલજ્ઞાનથી યથાર્થ પણે જોઈને જેવું જોયું તેવું કહેલ છે. પોતે આમ માને એમ માન્યતા રજુ કરી નથી. કારણ કે માન્યતા છદ્મસ્થને જ હોય છે. સર્વજ્ઞને માન્યતા હોતી નથી. માન્યતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy