SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ કાષ્ઠ-૧ – ગાથા-૨૭ સન્મતિપ્રકરણ છે અને બીજો નય અસત્કાર્યવાદ માને છે. હવે બને નયોને સાપેક્ષપણે જો સાથે રાખીએ તો કારણમાં કાર્ય દ્રવ્યાર્થિકનયથી સત્તાગત રીતે સત્ છે તો જ પ્રગટ થાય છે અને પર્યાયાર્થિકનયથી પર્યાય સ્વરૂપે પ્રગટ નથી અર્થાત્ અસત્ છે તો જ તેને પ્રગટ કરવા પ્રયત્નવિશેષ કરવો પડે છે. અને તે પ્રયત્નવિશેષ કરવાથી જ પ્રગટ થાય છે. પહેલેથી નથી અર્થાત્ અસત્ છે. તો જ પ્રગટ થાય છે. આમ બને નયોની સાપેક્ષતા રાખવી, સત્-અસત્ ઉભયસ્વરૂપ કાર્ય માનવું કારણથી કાર્ય ભિનાભિન્ન છે આમ માનવું તે જ સાચો માર્ગ છે અર્થાત્ સમ્યકત્વ છે. રૂ-રૂતરથા જો આમ માનવામાં ન આવે અને ઉલટુ માનવામાં આવે એટલે કે કેવલ એકલા સત્કાર્યવાદને અથવા એકલા અસત્કાર્યવાદને જ માનવામાં આવે તથા કારણથી કાર્યને એકાન્ત અભિન કે એકાન્ત ભિન્ન જ માનવામાં આવે તો તે નિયમે મિછત્ત = નિયમા મિથ્યાત્વ જ છે. આ વાત અહીં સમજાવાય છે. (૧) સપૂસિદ્ધ = કેટલાંક કાર્યો એવાં છે કે તેના અવયવોના સમૂહને યથાસ્થાને જોડવાથી તે તે કાર્ય બને, જેમ કે તખ્તઓના સમૂહને તાણાવાણા રૂપે જોડવામાં આવે તો પટકાર્ય નીપજે, કારના સ્પેરપાર્ટને યથાસ્થાને જોડવાથી કાર (ગાડી) બને, બારી-બારણાં આદિ અવયવોને યથાસ્થાને જોડવાથી મકાન બને, આવાં આવાં જે કાર્યો છે કે જેમાં અવયવોના યથાસ્થાને મુંજનથી જે જે કાર્ય બને છે તે “સમૂહસિદ્ધ અર્થ” અથવા સમૂહસિદ્ધ કાર્ય કહેવાય છે. (૨) પરિVITH a = અહીં વ એટલે વી તેનો અર્થ એ છે કે અથવા કેટલાક કાર્યો પરિણામકૃત છે એટલે કે પરિવર્તનમાત્રથી થયેલા છે. જેમ કે દૂધનું દહીં, માખણનું ઘી, તંદુલા ભાત, રોટલીના ખાખરા. વિગેરે, આવાં આવાં કાર્યો પૂર્વપર્યાયથી બીજા પર્યાય રૂપે રૂપાન્તર થવાપણે થાય છે. આ કાર્યને “પરિણામકૃત અર્થ” અથવા પરિણામકૃત કાર્ય કહેવાય છે. નૈયાયિક-વૈશેષિક આદિ કેટલાક દર્શનકારો અસત્કાર્યવાદી છે. કારણ કે તેઓ અવયવોના સમૂહના પરસ્પર જોડાણથી જ કાર્ય થાય છે એમ માને છે તેથી તેઓને આરંભવાદી પણ કહેવાય છે. તેઓ એમ માને છે કે ગાય જે ઘાસ ખાય છે. તેમાંથી જઠરાગ્નિના સંયોગથી પહેલાં તો એક એક પરમાણુઓ છુટા પડે છે. તેમાં તૃણને અનુરૂપ જે વર્ણાદિ છે તેનો નાશ થાય છે અને દૂધને અનુરૂપ વર્ણાદિની ઉત્પત્તિ થાય છે. ત્યારબાદ બે અણુઓના સંયોગથી યણુક, અધિક અધિક અણુઓના સંયોગથી વ્યણુક-ચતુરણુક આદિ બનતાં મહાદૂધની એટલે કે વાસ્તવિક દૂધની ઉત્પત્તિ થાય છે. આ રીતે અવયવોના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy