________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૧ – ગાથા-૨૭
૫૩
આ ગાથામાં કારણ અને કાર્યના ભેદાભેદની ચર્ચા છે. અહીં કારણ એટલે ઉપાદાન કારણ સમજવું. નિમિત્તકારણ ન લેવું. કારણ જે ઉપાદાન કારણ હોય છે તે પોતે જ કાર્યરૂપે બને છે અને તેની જ આ ચર્ચા છે. પ્રશ્ન એ થાય છે કે કારણમાં કાર્ય છે અને પ્રગટ થાય છે કે કારણમાં કાર્ય નથી અને પ્રગટ થાય છે. તલમાં તેલ છે અને પ્રગટ થાય છે કે તલમાં તેલ નથી અને પ્રગટ થાય છે. ત્યાં પહેલી માન્યતાને સત્કાર્યવાદ કહેવાય છે. અને બીજી માન્યતાને અસત્કાર્યવાદ કહેવાય છે. માટીમાં ઘટ, તન્તુઓમાં પટ, તલમાં તેલ, દૂધમાં દહીં, છે અને પ્રગટ થાય છે કે નથી અને પ્રગટ થાય છે. આ બાબતની ચર્ચા આ ગાથામાં છે. તેને સત્કાર્યવાદની અને અસત્કાર્યવાદની ચર્ચા કહેવાય છે. કારણમાં કાર્ય છે અને નિમિત્ત મળતાં પ્રગટ થાય છે તે સત્કાર્યવાદ અને કારણમાં કાર્ય નથી પણ સામગ્રી દ્વારા પ્રગટ થાય છે તે અસત્કાર્યવાદ.
ન
જૈનદર્શનકાર એમ સમજાવે છે કે દ્રવ્યાર્થિકનયથી કારણમાં કાર્ય છે અને પ્રગટ થાય છે. તથા પર્યાયાર્થિકનયથી કારણમાં કાર્ય નથી અને પ્રગટ થાય છે. એમ સત્-અસત્ ઉભયાત્મક કાર્ય છે. માટીમાં ઘટ, તન્તુઓમાં પટ, આમ દ્રવ્યાર્થિકનયથી તે તે કારણમાં તે તે કાર્ય બનવાની શક્તિરૂપે કારણમાં કાર્ય રહેલું છે. તો જ તેના ઉપર પ્રયત્નવિશેષ કરવાથી પ્રગટ થાય છે. જો કારણમાં કાર્ય ન હોય અને પ્રગટ થતું હોય તો જેમ માટીમાંથી ઘટ થાય છે તેમ પત્થરમાંથી પણ ઘટ બનવો જોઈએ, જેમ તન્તુમાંથી પટ બને છે તેમ લોખંડમાંથી પણ પટ બનવો જોઈએ. અથવા માટીમાંથી પટ અને તન્તુમાંથી ઘટ બનવો જોઈએ. પરંતુ આમ બનતું નથી. તેથી જે કાર્ય જે કારણમાં દ્રવ્યાર્થિકનયથી સત્તાગત રીતે (એટલે તિરોભાવે) રહેલું હોય છે તે કારણમાંથી જ તે કાર્ય પ્રયત્નવિશેષ કરવાથી અને કાર્ય ઉત્પાદક સામગ્રી મળવાથી પ્રગટ થાય છે આ સત્કાર્યવાદ કહેવાય છે.
તેવી જ રીતે પર્યાયાર્થિકનયથી કારણમાં કાર્ય નથી તો જ પ્રગટ થાય છે. અને તે કાર્યને ઉત્પન્ન કરવા પ્રયત્નવિશેષ કરવો પડે છે. જો માટીમાં ઘટ પહેલેથી સત્ હોય જ, તો પ્રગટ કરવા પ્રયત્ન કરવાની શી જરૂર ? માટીકાલે જ ઘટનું કાર્ય (જલાધારાદિ) થવું જોઈએ. તેવી જ રીતે તન્તુમાં જો પહેલેથી જ પટ હોય તો તેને તાણા-વાણા રૂપે વણવાનો પ્રયત્ન કરવાની શી જરૂર ? તન્તુકાલે જ પટનું કાર્ય શીતત્રાણાદિ થવું જોઈએ. તલમાં તેલ જો હોય અને નીકળતું હોય તો ઘાણીમાં પીલવાનો પ્રયત્ન કરવાની શી જરૂર ? તલકાલે જ તેલનું કાર્ય (પુરી તળાવી વિગેરે કાર્ય) થવું જોઈએ. પરંતુ કારણકાલે કાર્યનો વ્યવહાર થતો નથી. પ્રયત્નવિશેષ કરીને કારણમાંથી કાર્ય બનાવવું પડે છે. તેથી સમજાય છે કે કારણમાં કાર્ય નથી અને પ્રગટ થાય છે. આ અસત્કાર્યવાદ છે. એક નય સત્કાર્યવાદ માને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org