________________
પર
કાર્ડ-૧ – ગાથા-૨૭
સન્મતિપ્રકરણ છે. જે કાર્ય અવયવકાલે થતું ન હતું. તે કાર્ય અવયવીકાલે થાય છે માટે કંઈક વિશેષ પણ છે. છતાં અવયવો પોતે જ અવયવી સ્વરૂપે પરિણામ પામે છે. તેથી અવયવી નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી કે જે અવયવોમાં સમવાય સંબંધથી વર્તે. આ રીતે ભેદભેદ અને સામાન્ય-વિશેષ સમજાવવા રત્નાવલીનું આ દૃષ્ટાન્ત કહેવાયું છે.
ઉદાહરણમાં સુંદર એવા બે ગુણો છે. એક ગુણ તો એ છે કે વ્યવહારશ અને શાસ્ત્રજ્ઞ પુરુષોને સરળતાથી ઈષ્ટ સાધ્ય સમજાવવાનો ગુણ છે. અને બીજો ગુણ તે છે કે હેતુને અનુસાર સાધ્યની સિદ્ધિ કરવા રૂપ વ્યાપ્તિજ્ઞાન કરાવવાનું જે સામર્થ્ય છે તે ઉદાહરણમાં જ છે. આ બીજો ગુણ છે. તેથી લૌકિક અને પરીક્ષક પુરુષોના ઇષ્ટસાધ્યના વિશ્વાસ માટે ઉદાહરણ અપાય છે. પરદા
ઉપર કહ્યા પ્રમાણે નયોમાં જો સાપેક્ષતા ન હોય તો તે નિયમા મિથ્યાદૃષ્ટિ જ છે. એવું કેટલીક બાબતોથી સ્પષ્ટ કરે છે -
इहरा समूहसिद्धो परिणामकओ व्व जो जहिं अत्थो । ते तं च ण, तं तं चेव वत्ति नियमेण मिच्छतं ॥२७।। (इतरथा समूहसिद्धः परिणामकृतो वा यो यत्रार्थः । તે તે, ન, તત્તવૈવ, વેતિ નિયમેન મિથ્યાત્વમ્ ારકા)
ગાથાર્થ - અન્યથા (સાપેક્ષતા વિના) અવયવોના સમૂહથી બનેલો પદાર્થ અથવા પરિણામ માત્રથી કરાયેલો જે પદાર્થ જ્યાં છે તે પદાર્થમાં અવયવો તે જ અવયવી રૂપ નથી આમ માનવું અથવા તે અવયવ એ જ અવયવી (કાર્ય) રૂપ છે. આમ માનવું તે બધું જ મિથ્યાત્વ છે. પારકા
વિવેચન - એકાન્ત દ્રવ્યાર્થિક નયને સ્વીકારવામાં કે એકાન્ત પર્યાયાર્થિકનયને સ્વીકારવામાં સંસાર, સુખદુઃખના સંજોગો, કર્મબંધ, મોક્ષસુખની પ્રાર્થના તથા મોક્ષ ઇત્યાદિ ઘટતાં નથી. અનેક જાતની અવ્યવસ્થા થાય છે. તેથી બને નયોને સાપેક્ષ રીતે સંકળાયેલા માનવા જોઈએ, અને બને નયોની સાપેક્ષતા વાળું જ આ જગતનું સ્વરૂપ છે. આ વાત રત્નાવલીના ઉદાહરણ સાથે અહીં સુધીની અનેક ગાથાઓથી આપણને ગ્રંથકારશ્રી સમજાવી રહ્યા છે. હવે જો એમ ન માનીએ અને એકાન્તવાદ જ માનીએ તો તે અવળી (ઊંધી) દૃષ્ટિ હોવાથી મિથ્યાત્વ જ કહેવાય છે. આવા પ્રકારના મિથ્યાત્વ વાદના બે ચાર મુદા આ ગાથામાં સમજાવે છે. આ ગાળામાં સાંકેતિક તત્ શબ્દનો પ્રયોગ બહુવાર છે. તેથી શક્ય બન્યો તેટલો અર્થ સ્પષ્ટ સમજવા અને સમજાવવા આ વિવેચનમાં પ્રયત્ન કર્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org