SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૨૬ કરવાના અને કરાવવાના ઉપાયરૂપ છે. તેથી જ યથાસ્થાને પ્રરૂપણા કરવા યોગ્ય છે. તેથી અમે પણ યથાર્થતત્ત્વનો વિશ્વાસ કરાવવા આ રત્નાવલીનું ઉદાહરણ આપેલું છે. મરદા વિવેચન - સંસારમાં લોકો બે જાતના હોય છે (૧) લૌકિક અને (૨) પરીક્ષક. જે સાંસારિક વ્યવહારમાં કુશળ હોય, બહારના બહોળા અનુભવવાળા હોય, સાંસારિક વસ્તુસ્થિતિ સમજવામાં વિચક્ષણ હોય, થોડું કહેવાથી ઘણું સમજી જાય તેવા હોય, સાંસારિક વ્યવહારોમાં વધારે વિચક્ષણ હોય તે લૌકિક પુરુષો કહેવાય છે. અને જેઓએ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હોય છે. શાસ્ત્ર સંબંધી વિશાળ અનુભવ જેઓને હોય છે. જ્યાં જે દાર્શનિક વાત ચર્ચાતી હોય તેને શાસ્ત્રાનુસારે જાણવામાં જે વિચક્ષણ હોય છે તેવા પુરુષોને પરીક્ષક પુરુષો કહેવાય છે. સંસારમાં જે વિચક્ષણ તે લૌકિક અને શાસ્ત્રમાં જે વિચક્ષણ તે પરીક્ષક. ટીકામાં કહ્યું છે કે વ્યુત્પત્તિથી જે વિકલ હોય તે લૌકિક અને વ્યુત્પત્તિથી જે યુક્ત હોય તે પરીક્ષક પુરૂષ કહેવાય છે. કોઈ પણ વાતની ચર્ચા જ્યારે ચાલતી હોય છે ત્યારે તે વાતને સમજાવવા-સિદ્ધ કરવા જે ઉદાહરણ અપાય છે તે ઉદાહરણ લૌકિક અને પરીક્ષક એમ બન્ને પ્રકારના પુરુષોને સુખકારી બને તેટલા માટે અપાય છે. તે તે ઉદાહરણ સાંભળવાથી સિદ્ધ કરાતી વાત શ્રોતાઓના હૈયામાં સુખે સુખે સમજાઈ જાય છે. કોઈ પ્રશ્નને અવકાશ જ રહેતો નથી. અને તેથી જ નિશ્ચય પૂર્વક (ઠોસબંધ રીતે) વક્તાનાં વચનોને સ્વીકારી લેવાનો માર્ગ તેમાંથી મળે છે. એટલા માટે ઈષ્ટ સાધ્યની સિદ્ધિ માટે ત્યાં ત્યાં તેને તેને અનુરૂપ ઉદાહરણ અપાય છે. અર્થાત્ યથાસ્થાને ઉદાહરણ આપવું એ પણ પ્રજ્ઞાપનાનો (તત્ત્વ સમજાવવા માટેનો) વિષય બને છે. ઉદાહરણ એ સાધ્યની સિદ્ધિ માટે અનિવાર્ય છે. અનુમાન નામના પ્રમાણમાં પક્ષમાં સાધ્યની સિદ્ધિ કરવા વ્યાપ્તિજ્ઞાન સારૂં ઉદાહરણ આપવું આવશ્યક મનાયું છે. પર્વતમાં વતિની સિદ્ધિ કરવા માટે મહાનસનું ઉદાહરણ પ્રખ્યાત છે. જ્યાં સુધી ઉદાહરણ અપાતું નથી ત્યાં સુધી “વત્ર યાત્ર, તત્ર તત્ર” બોલવા માત્રથી વ્યાપ્તિ સિદ્ધ થતી નથી, અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેક વ્યાપ્તિને સિદ્ધ કરવા અનુકુળ અને પ્રતિકુળ એમ બન્ને ઉદાહરણો આપવાનાં હોય છે. તેવી જ રીતે અહીં જગતના તમામ ભાવો સામાન્ય અને વિશેષાત્મક એમ ઉભયાત્મક છે. આ વાત સમજાવવા માટે અને તે વાત ઉપર મનમાં ઘોળાતા પ્રશ્નો દૂર કરવા માટે શાસ્ત્રકાર મહર્ષિ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીએ શ્રોતાવર્ગને વિશ્વાસ ઉત્પન્ન કરવા સારું આ રત્નાવલીનું ઉદાહરણ આપેલું છે. એમ સમજવું. તેનાથી અત્યન્ત સ્પષ્ટ સમજાય છે કે અવયવો એ કંઇ અવયવી નથી. અર્થાત્ અવયવોથી અવયવી કંઈક વિશેષપદાર્થ પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy