SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ કાષ્ઠ-૧ – ગાથા-૨૨ થી ૨૫ સન્મતિપ્રકરણ આ બન્ને ગાથામાં વ્યતિરે કાણે (નિષેધપણે) વાત કરી, હવે પછીની બે ગાથામાં અન્વયપણે (વિધાનપણે) આ જ વાત વધારે સ્પષ્ટ કરે છે. તથા વળી વૈર્થ આદિ તે જ રનો એક દોરામાં યથાયોગ્ય સ્થાને ગોઠવીને પરોવી દેવામાં આવે છે. રંગ-બેરંગી અને બહુ જ કિંમતી તે રત્નોની જે રીતે ગોઠવણી કરવાથી રત્નોની, રત્નોના બનેલા હારની અને હાર પહેરનારની શોભા વધે તેવી રીતે ગોઠવી ગોઠવીને એક જ દોરામાં પરોવાયેલા થાય છે ત્યારે “આ સુંદર રત્નોનો હાર છે” એવા “રત્નાવલી = હાર” એવા નામને, અને હારની શોભાને પામે છે. અને પોત પોતાનું જે જુદુ, જુદુ, નામ હતુ, તે પોતપોતાના સ્વતંત્ર નામને ત્યજી દે છે. તેવી જ રીતે આ સર્વે નયવાદો પણ અનેકાન્તવાદના દોરામાં પરોવાઈને જ્યાં જે રીતે પદાર્થનો અને પદાર્થને જાણનારાનો ઉપકાર થાય, પદાર્થોનું યથાર્થ જ્ઞાન થવાથી હેયનો હેયભાવે ત્યાગ કરીને અને ઉપાદેયનો ઉપાદેયભાવે સ્વીકાર કરીને તથા ઉપેક્ષણીય ભાવોની ઉપેક્ષણીયભાવે ઉપેક્ષા કરીને આત્માનું કલ્યાણ કરનાર બને તથા યથાર્થપણે પ્રયોજન સાધક બને તે રીતે યથાસ્થાને પોત પોતાનું માનેલું વક્તવ્ય ગોઠવાઈ જવાથી આત્માને ઉપકારક બનવાથી “સમ્યગ્દર્શન” એવા નામને પામે છે. પ્રયોજન વશથી ભલે એકનયની દેશના અપાતી હોય તો પણ તે એકાન્તભાવે ન અપાતી હોવાથી અને બીજા નયની ગણભાવે પણ અંદર અપેક્ષા રખાતી હોવાથી શ્રોતાઓનું હિત કરનાર બનવાથી તે એકનયની દેશના પણ “સુનય” અથવા સમ્યક્તના ભાવને પામે છે. જૈનેતર દર્શન અને જૈનદર્શનમાં આ જ મોટો તફાવત છે. જૈનેતરદર્શન કોઈ પણ એકબાજુ ઢળીને નિરપેક્ષપણે વસ્તુના એકાંગી સ્વરૂપનું જ પ્રતિપાદન કરે છે. તેથી જ તે અયથાર્થવાદી, મિથ્યાત્વી કહેવાય છે. જ્યારે જૈનદર્શન કોઈ પણ એક બાજુ ઢળ્યા વિના સાપેક્ષપણે પ્રધાન-ગૌણ ભાવે વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપનું જ પ્રતિપાદન કરે છે. તેથી જ તે યથાર્થવાદી અને સમ્યકત્વી કહેવાય છે. જૈનદર્શન એ આપણું દર્શન છે અથવા આપણે જૈનદર્શનને પામ્યા છીએ એટલે અમે આ જૈનદર્શનની પ્રશંસા કરીએ છીએ આમ નથી તથા આ દર્શન જ પ્રશંસનીય છે આમ પક્ષપાતથી અમે કહેતા નથી. પરંતુ ખરેખર તો જગતના ભાવોનું સ્વરૂપ સાપેક્ષ છે અને જેવું સ્વરૂપ છે તેવું યથાર્થ સ્વરૂપ આ જૈનદર્શન જ કહે છે. તેથી જ તે યથાર્થવાદી છે અને પોતાની યથાર્થતાના કારણે પ્રશંસનીય છે કલિકાલ સર્વજ્ઞભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ અન્યયોગવ્યવચ્છેદિકા બત્રીસીના બીજા શ્લોકમાં કહ્યું છે કે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy