________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૨૧
૪૫ ગાથાર્થ - તેથી સર્વે પણ નયો પોત પોતાના પક્ષમાં પ્રતિબદ્ધ (આગ્રહી) હોય તો તે મિથ્યાષ્ટિ છે. અને પરસ્પર નિશ્રાવાળા (સાપેક્ષદૃષ્ટિવાળા) હોય તો તે જ સર્વે પણ નયો સમ્યત્વના સદ્ભાવવાળા બને છે / ૨૧ /
વિવેચન - દ્રવ્યાર્થિકનય સામાન્યગ્રાહી છે. અભેદની પ્રધાનતાવાળી એ દૃષ્ટિ છે. તે નયનું વલણ ઐક્ય તરફ, નિત્ય તરફ છે. સાંખ્ય વેદાન્ત આદિ દર્શન આ નયની તરફ ઢળેલી દૃષ્ટિવાળાં છે. તથા પર્યાયાર્થિકનય પર્યાયગ્રાહી અર્થાત્ વિશેષગ્રાહી છે. ભેદની પ્રધાનતાવાળી એ દૃષ્ટિ છે. તે નયનું વલણ ભેદ તરફ, સમયે સમયે થતા પરિવર્તન તરફ, અર્થાત્ અનિત્ય તરફ છે. બૌદ્ધદર્શન, ચાર્વાકદર્શન વિગેરે દર્શનો આ નયની તરફ ઢળેલી દૃષ્ટિવાળાં છે. તથા નિયાયિક અને વૈશેષિક જો કે બન્ને નયોને માને છે તો પણ પરમાણુ સ્વરૂપ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને પરમમહતું એવાં આકાશાદિ દ્રવ્યોને એકાન્ત નિત્ય, અને કાર્યાત્મક (સ્કંધાત્મક) પૃથ્વી-જલ-તેજ અને વાયુને એકાન્ત અનિત્ય માને છે. સત્તા નામના સામાન્યને એકાને સામાન્ય અને નિત્યદ્રવ્યગત વિશેષોને એકાન્ત વિશેષ આમ પરસ્પર નિરપેક્ષ એવા સામાન્ય-વિશેષ બન્નેને માને છે.
જૈનદર્શનકારનો ઉપરોક્ત સર્વે દર્શનો પ્રત્યે “તમે કંઈક સત્ય સમજો, પરસ્પર નિરપેક્ષ એવું જગતનું સ્વરૂપ નથી. પરંતુ સાપેક્ષ એવું સ્વરૂપ છે અને સામાન્ય તથા વિશેષ એમ બન્ને ભાવો સર્વત્ર વ્યાપકપણે સાથે રહેલા છે. આવું સમજાવવાનો આશય છે.” શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રથમ દેશનામાં જ “પ્રજૈફ વા, વિાને વાં, યુવે વા' આ પદોમાં ત્રિપદી સમજાવવા દ્વારા બન્ને નયોને માન્ય સ્વરૂપ પ્રત્યેક પદાર્થોમાં સહભાવી પણ સાથે જ રહેલ છે આમ કહેલ છે. આ જ વાત ગ્રન્થકારશ્રી સિદ્ધસેનદિવાકર સૂરીશ્વરજી મ. શ્રી પણ જુદી જુદી રીતે ઘોળી ઘોળીને સમજાવી રહ્યા છે.
હવે જગતના પદાર્થોનું જેવું વાસ્તવિક સ્વરૂપ હોય, તેવું જ સ્વરૂપ ન સમજાવતાં પોતાની દૃષ્ટિ જે બાજુ ઢળી ચૂકી હોય તે બાજુનું જ સ્વરૂપ જણાવે અને બીજી બાજાના વસ્તુસ્વરૂપનો જે નય અ૫લાપ કરે, તે અયથાર્થવાદી હોવાથી મિથ્યાષ્ટિ કહેવાય છે. જગતના પદાર્થો સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક છે. ભેદભેદ, નિત્યાનિત્ય, અસ્તિનાસ્તિ, એમ જગતના પદાર્થો બધી જ જાતના દ્વન્દ્ર ભાવોથી ભરેલા છે. છતાં દ્રવ્યાર્થિકનય એક્લા સામાન્યને, અભેદને, નિત્યતાને અને અસ્તિતાને જ સૂચવે છે તથા પર્યાયાર્થિકનય એકલા વિશેષને, અનિત્યને, ભેદને અને નાસ્તિતાને જ સૂચવે છે. આ કારણથી આ બન્ને નયો તથા તેની જ આજ્ઞાને (માન્યતાને) જોરશોરથી ગાનારા સંગ્રહાદિ ઉત્તરનો પણ જયાં સુધી પરસ્પર નિરપેક્ષ ભાવવાળા હોય છે સાપેક્ષ દૃષ્ટિવાળા બનતા નથી ત્યાં સુધી તે સર્વે પણ નવો મિથ્યાદૃષ્ટિ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org