SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ કાણ્ડ-૧ - ગાથા-૧૯ कम्मं जोगनिमित्तं, बज्झइ बंध-ट्ठिई कसायवसा । अपरिणउच्छिण्णेसु य, बंधट्ठि कारणं णत्थि ॥ १९ ॥ ( कर्म योगनिमित्तं, बध्यते बन्धस्थिती कषायवशात् । अपरिणतोच्छिन्नयोश्च, बंधस्थितिकारणं नास्ति ।। १९ ।। ) ગાથાર્થ - યોગના નિમિત્તે કર્મ (પ્રકૃતિ અને પ્રદેશ) બંધાય છે તથા કષાયને અનુસારે બંધ (રસબંધ) અને સ્થિતિ (સ્થિતિબંધ) થાય છે. આવું શાસ્ત્રવિધાન છે. પરંતુ એકાન્તે અપરિણતવાદ (નિત્યવાદ) માનવામાં, અને એકાન્તે ઉચ્છેદવાદ (અનિત્યવાદ) માનવામાં કર્મના બંધનાં અને સ્થિતિના બંધનાં કારણ જ સંભવતાં નથી || ૧૯ || વિવેચન - વિવિધ બંધની અઘટમાનતા = કર્મગ્રંથોમાં તથા કમ્મપયડિ, પંચસંગ્રહ આદિ મહાગ્રન્થોમાં અને આગમોમાં આ વાત સુપ્રસિદ્ધ છે કે આ આત્મા મન-વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિરૂપ યોગના નિમિત્તે કર્મો બાંધે છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ કરે છે. તથા કષાયોને અનુસારે તે તે કર્મોમાં ૨સબંધ અને સ્થિતિબંધ કરે છે. ચારે પ્રકારના બંધોના જઘન્ય-ઉત્કૃષ્ટના સ્વામી જાણવા હોય તો યોગની હીનાધિકતા પ્રમાણે પ્રકૃતિપ્રદેશબંધ, અને કષાયોની હીનાધિકતા પ્રમાણે સ્થિતિ-૨સબંધ થાય છે. આ વાત સુપ્રસિદ્ધ છે. પાંચમા કર્મગ્રંથમાં આ જ વાત વિસ્તારથી આપેલી છે. તથા ત્યાં પાંચમા કર્મગ્રંથમાં જ કહ્યું છે કે - तत्तो कम्मपएसा, अणंतगुणिआ तओ रसच्छेआ । નોના પડિપÄ, ફ્સિનુમામાં સાયાઓ । ગાથા ૯૬ ।। સન્મતિપ્રકરણ ગાથાર્થ - તેનાથી કર્મપદેશો અનંતગુણા છે. તેનાથી રસબંધના અવિભાગ પરિચ્છેદો અનંતગુણા છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય છે. તથા સ્થિતિબંધ અને ૨સબંધ કષાયથી થાય છે. હવે આ આત્મદ્રવ્ય એકાન્તે જો અપરિણામી (નિત્ય) જ હોય તો યોગ કે કષાય બદલાવાનો જ નથી. હીનાધિક થવાનો જ નથી. એટલે આ આત્મા અમુક કાલે વધારે કર્મ બાંધે અને અમુક કાલે ઓછાં કર્મ બાંધે, અમુક કાલે ૨૦, ૩૦, ૭૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ બાંધે અને બીજા અમુક કાલે અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ બાંધે, અમુક કાલે તીવ્ર ચાર ઠાણીયા રસવાળું કર્મ બાંધે અને અમુક કાલે મંદ બે ત્રણ ઠાણીયા રસવાળું કર્મ બાંધે આ શાસ્ત્ર વિધાન કેમ ઘટશે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy