________________
કાડ-૧ – ગાથા-૧૭
૪૦
સન્મતિપ્રકરણ પર્યાયાર્થિકનય માનવાથી ઉપરોક્ત સંસારવ્યવસ્થા ઘટતી નથી. કારણ કે પહેલો જે દ્રવ્યાર્થિક નય છે. તે શાશ્વત વ્યક્તિવાદી છે. અર્થાત્ સર્વે આત્મદ્રવ્યો એકાન્ત શાશ્વત છે એટલે કે નિત્ય છે એમ જ તે નય માને છે. હવે જો આત્મા એકાન્ત કુટસ્થ નિત્ય (શાશ્વત) હોય, તો જે આત્મ દ્રવ્ય જેવું હોય તે આત્મદ્રવ્ય તેવું જ સદાકાળ રહે. મનુષ્ય મરીને દેવ-નારકી ન થાય, મનુષ્યપણામાં પણ બાલ્યાદિ જુદી જુદી અવસ્થાઓ ન પામે, જન્મ અને મૃત્યુ પણ ભિન્ન ભિન્ન અવસ્થા હોવાથી એક જીવદ્રવ્યમાં ઘટે નહીં. ભવોભવમાં રખડવા રૂપ સંસાર પણ ઘટે નહીં. સુખી હોય તે સુખી જ રહે. કદાપિ દુઃખી ન થાય અને દુઃખી હોય તે દુઃખી જ રહે કદાપિ સુખી ન થાય, રોગી હોય તે સદા રોગી જ રહે નિરોગી ન થાય અને નિરોગી હોય તે સદા નિરોગી જ રહે, કદાપિ રોગી ન થાય, આવું બનવું જોઈએ પરંતુ સંસારમાં આવું ક્યાંય અનુભવાતું નથી, તથા શાસ્ત્રમાં પણ આવું એકાન્ત નિત્યત્વ ક્યાંય કહ્યું નથી. માટે કેવળ એકલા પ્રથમ નયની દૃષ્ટિએ કુટસ્થ નિયત્વ (શાશ્વત વ્યક્તિત્વ) માનવાથી સંસાર તથા સંસારમાં થતું પરિવર્તન ઘટતું નથી.
એવી જ રીતે કેવળ એકલો પર્યાયાર્થિકનય માનવાથી પણ સંસારની બધી વ્યવસ્થા ઘટતી નથી કારણ કે તે નય ઉચ્છેદવાદી જ છે. ઉચ્છેદવાદી એટલે વિનાશને જ માત્ર માનનારો તે નય છે. સર્વે પણ વસ્તુઓ ઉત્પન્ન થતાંની સાથે જ બીજા સમયે ઉચ્છેદ (વિનાશ) પામનાર છે. પર્યાય જેમ બદલાય છે તેમ દ્રવ્ય પણ વિનાશ પામીને બીજું જ આવે છે અર્થાત્ દ્રવ્ય પણ બદલાય છે. સર્વ ક્ષત્િ આવી દૃષ્ટિ તે આ પર્યાયાર્થિકાય છે. હવે જો આમ જ હોય, એટલે કે આત્મા આદિ સર્વે દ્રવ્યો ક્ષણિકમાત્ર જ હોય તો જે જીવ બાળક હતો તે જ હવે યુવાન થયો કાળાન્તરે વૃદ્ધ થશે એમ જગતમાં જે કહેવાય છે. તે કેમ કહેવાય? જે મનુષ્ય છે તે જ જીવ મરીને દેવ-નારકી આદિ થાય છે એમ પણ કેમ કહેવાશે? આ આત્માને જો ક્ષણમાત્ર જ રહેવાનું હોય તો સંસારમાં થતા સઘળા લેવડદેવડના વ્યવહારો પણ કેમ ઘટે ? જે માણસને આજે કોઈ માલ વેચાતો આપ્યો, અથવા ઉછીના પૈસા આપ્યા તેની પાસે મુદત પ્રમાણે પેમેન્ટ લેવાનો, કે નાણાં પાછાં લેવાનો વ્યવહાર કેમ ઘટશે? કારણ કે માલ લેનાર કે ઉછીના પૈસા લેનાર આત્મા તો ક્ષણિક હોવાથી વિનાશ પામી ગયો, હાલ તો કોઈ બીજો જ આત્મા છે. કોઈ કન્યાનું કોઈ પુરુષ સાથે સગપણ કર્યું ત્યારબાદ રપ-૫૦ દિવસો પછી લગ્ન લીધું. તો આ લગ્ન પણ કેમ થશે? કારણકે તે જ પુરુષ અને તે જ કન્યા આ નથી. બધા જ દુરાચારી અને વ્યભિચારી જ કહેવાશે. કોઈ એક જીવને આજે તત્ત્વાર્થસૂત્રનો પહેલો અધ્યાય ભણાવ્યો હવે તેને બીજા દિવસે બીજો અધ્યાય ભણાવવાનો છે. પરંતુ પહેલો અધ્યાય ભણેલો જીવ તો ક્ષણિક હોવાથી મૃત્યુ જ પામી ગયો, આ તો નવો જ જીવ છે તેથી તેને રોજે રોજ પહેલો જ અધ્યાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org