SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૧૬ ૩૭ ગાથાર્થ - સર્વ નયોના સમૂહમાં પણ ઉભયવાદને (સામાન્ય-વિશેષને) જણાવનારો કોઈ નય નથી. કારણ કે તે સર્વે પણ દરેક નયો પોત પોતાના મૂળભૂત નયની આજ્ઞાને જ વધારેને વધારે જોરશોરથી કહે છે || ૧૬ | વિવેચન - જગતમાં રહેલા સર્વે પણ ભાવો અન્ય ભાવોની સાથે અમુક ધર્મની અપેક્ષાએ સમાન અને અમુકધર્મની અપેક્ષાએ વિશેષ (ભિન્ન) સ્વયં છે જ. જેમકે એક ગાય ઘોડાની સાથે પશુપણે સમાન છે અને એ જ ગાય આકારાદિથી ઘોડા કરતાં વિશેષ છે. એક ગાય બીજી ગાયની સાથે ગાયપણે સમાન છે. પરંતુ પોત-પોતાની પ્રકૃતિ આદિ ગુણધર્મોથી વિશેષ પણ છે જ. આ રીતે આખું જગત સામાન્ય અને વિશેષ એમ ઉભય ધર્મોથી ભરેલું છે. સામાન્યધર્માત્મક્તા અને વિશેષધર્માત્મક્તા હોવી, એ વસ્તુનો પોતાનો સહજ સ્વભાવ છે અર્થાત્ પારિણામિકભાવ છે. વસ્તુના સ્વરૂપને શેય કહેવાય છે. તેને યથાર્થપણે જણાવવાનું કામ નથી અને પ્રમાણ કરે છે. તે નય અને પ્રમાણ, આ બન્ને જ્ઞાનપ્રાપ્તિનાં અભ્યત્તર સાધનો (ઉપાયો) છે. આત્મા જાણનાર હોવાથી જ્ઞાતા છે. જ્ઞાતા એવા આત્માને શેયનું સ્વરૂપ જણાવવામાં નયો અને પ્રમાણ અભ્યતર સાધનપણે કામ કરે છે. નયો એ પ્રમાણના ભિન્ન ભિન્ન અંશરૂપ છે. જેમ હાથ અને આંગળીઓ, હાથ એ કંઈ આંગળીઓથી ભિન્ન તત્ત્વ નથી. અને આંગળીઓ એ કંઈ હાથથી ભિન્ન તત્ત્વ નથી પરંતુ આંગળીઓ એક એક દેશ રૂપ છે અને હાથ સર્વઅંશાત્મક છે. એમ નો એક અંશગ્રાહી હોવાથી આંગળીઓની તુલ્ય છે અને પ્રમાણ સર્વ અંશગ્રાહી હોવાથી હાથની તુલ્ય છે. નયોમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ મુખ્યપણે બે નયો છે. કારણ કે વસ્તુમાં સામાન્ય અને વિશેષ એમ બે જાતનું જ સ્વરૂપ છે. એક નય સામાન્યધર્મને જણાવનાર છે કે જે અભેદગ્રાહી કહેવાય છે અને બીજો નય વિશેષધર્મને જણાવનાર છે કે જે ભેદગ્રાહી કહેવાય છે. વસ્તુના સ્વરૂપને જાણવા મથતા જ્ઞાતાઓની આ બે પ્રકારની દૃષ્ટિ છે. વક્તાના હૈયામાં રહેલો બે પ્રકારનો અભિપ્રાય છે. તેને જ નય કહેવાય છે. જ્ઞાતા એવો આત્મા પ્રયોજનના વશથી ક્યારેક સામાન્યપણે વસ્તુના સ્વરૂપને જાણે છે અને કહે છે. તથા ક્યારેક ભિન્ન પ્રયોજનના વશથી વિશેષપણે વસ્તુના સ્વરૂપને જાણે છે અને કહે છે. જેમકે એકેન્દ્રિય હોય કે બેઈન્દ્રિયાદિ હોય, આખર સર્વે જીવો છે. તે સર્વેમાં ચેતના છે. માટે આપણે કોઈને પણ હણવા જોઈએ નહીં, ચેતના હોય તે સર્વને પણ પીડા થાય. તેથી હિંસા વર્જવી જોઈએ. એટલું જ નહીં પણ જીવના આકારવાળા અજીવને પણ ભાંગવા-તોડવા-ફોડવા નહીં તથા નાશ કરવો નહીં. કારણકે તેમાં પણ જીવને હણ્યાની બુદ્ધિ થાય. સાપોલીયાના સાપને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy