________________
કાણ્ડ-૧ - ગાથા-૧૪
સન્મતિપ્રકરણ
ગાથાર્થ - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક વિના ત્રીજો કોઈ નય નથી. અને તે બન્ને નયો એકલા જુદા જુદા હોય તો તેમાં વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ આવતું નથી. તેથી એકલા એકલા તે બન્ને નયો સમ્યક્ત્વ સ્વરૂપ નથી. કારણે કે તે બન્ને એકાન્તરૂપ છે પરંતુ જો તે બન્ને નય સાપેક્ષ બને તો અનેકાન્તસ્વરૂપ બની શકે છે. । ૧૪ ।।
૩૪
વિવેચન - સત્ એવા પદાર્થનું વાસ્તવિક પરિપૂર્ણસ્વરૂપ સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક છે જેમ કે દેવદત્ત નામનો મનુષ્ય મનુષ્યપણે ઈતર મનુષ્યોની સાથે સમાનઅભિન્ન હોવાથી સામાન્યાત્મક પણ છે. તથા દેવદત્તપણે ઈતર મનુષ્યોથી ભિન્ન હોવાથી વિશેષાત્મક પણ છે. આમ સર્વ પદાર્થો ઉભયાત્મક છે અને આ બન્ને નયો વસ્તુના એક એક અંશરૂપ જ સ્વરૂપને કહેનારા છે. આ બન્નેમાંથી કોઈ પણ એક નય વસ્તુનું ઉભયાત્મક એવું પરિપૂર્ણસ્વરૂપ કહેતો નથી. અપૂર્ણ અર્થને કહેનાર હોવાથી તે નયો મિથ્યાર્દષ્ટિ છે. વળી વસ્તુના સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક સ્વરૂપને કહે એવો કોઈ ત્રીજો નય નથી. જો ત્રીજો નય હોત તો તેને જ સુનય માનીને કામ ચલાવી લેત પરંતુ વસ્તુના સંપૂર્ણસ્વરૂપનો ગ્રાહક ત્રીજો કોઈ નય સંભવતો જ નથી. તથા વળી નયજ્ઞાન હંમેશાં અંશગ્રાહી જ હોય છે. વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને ગ્રહણ કરનાર તો પ્રમાણજ્ઞાન કહેવાય છે. પ્રમાણ અને નયમાં આ જ તફાવત છે કે પરિપૂર્ણ સ્વરૂપને સમજાવે તે પ્રમાણજ્ઞાન અને એક અંશને સમજાવે તે નયજ્ઞાન. નયો તે પ્રમાણના અંશરૂપ જ છે. તેથી કોઈપણ એક નય ઉભયાત્મક સ્વરૂપગ્રાહી છે જ નહીં.
હવે પ્રશ્ન થાય છે કે ઉભયગ્રાહી (પરિપૂર્ણસ્વરૂપગ્રાહી) ત્રીજો કોઈ નય નથી. અને આ બન્ને નયો એક એક અંશગ્રાહી હોવાથી વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ તેમાં આવતું નથી. તેથી તે એકાન્ત હોય તો મિથ્યાર્દષ્ટિ છે પણ સમ્યક્ત્વ રૂપ નથી. કારણ કે તે બન્ને નયો પોત પોતે માનેલી માન્યતાને એકાન્તે કહેનારા છે. તો નયો દ્વારા શું સમ્યજ્ઞાન ન જ થઈ શકે ? આવો પ્રશ્ન થવો સંભવિત છે. તેનો ઉત્તર ગ્રંથકારશ્રીએ આ ગાથાની ચરમ પંક્તિમાં આપ્યો છે - ‘‘વિભન્નમાળા અનેાનો''
=
આ બન્ને નયો પોત પોતાની વાતને જો એકાન્તે ન સ્વીકારે અને વિભન્નમાળા વિમન્વમાનૌ = વિકલ્પે = ભજનાપૂર્વક સ્વીકારે તો આ બન્ને નયો જ અનેકાન્ત રૂપ બને છે. આ બન્ને નયો જ્યારે એક-બીજાથી નિરપેક્ષ થઈને માત્ર સ્વસ્વવિષયને જ સત્સ્વરૂપે સ્વીકારવાનો ઘણો જ આગ્રહ રાખે અને બીજા નયની વાતના નિરસનમાં જ જો રસ ધરાવે તો તે આ બન્ને નયો મિથ્યાર્દષ્ટિ કહેવાય છે કારણ કે એકાન્ત એવા તે બન્ને નયો પોત પોતાના ગ્રાહ્ય એવા એક અંશમાં જ વસ્તુના પરિપૂર્ણસ્વરૂપને (પૂર્ણતાને) માનતા હોવાથી બીજી સાઈડ જોવામાં અંધ હોવાથી મિથ્યાર્દષ્ટિ છે પરંતુ જ્યારે આ જ બન્ને નયો એકબીજાથી પરસ્પર સાપેક્ષ બને છે અને પોતાના પ્રતિસ્પર્ધી એવા બીજા નયની વાતનું ખંડન કર્યા વિના, તે નયની વાત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org