________________
૨૬
કાષ્ઠ-૧ – ગાથા-૧૦
સન્મતિપ્રકરણ કારણ કે અંતિમ સામાન્ય અને અંતિમ વિશેષને છોડીને એવું એકલા એક નયના વિષયવાળું શેય જ આ જગતમાં કયાંય નથી.
જગતના શેય પદાર્થો આવા પ્રકારના સામાન્ય - વિશેષ એમ બન્ને ભાવોથી આક્રાન્ત (ભરેલા) છે જ. અને તે શેયભાવો જેવા છે તેવા સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા કેવલજ્ઞાનથી દેખે છે અને જગતના જીવોના ઉપકાર માટે (મિથ્યા જ્ઞાન ટાળીને સમ્યગૂ જ્ઞાન આપવા માટે) કહે છે. માટે તે પરમાત્મા યથાર્થવાદી છે. આમ સમજવું જોઈએ. પરંતુ બૌદ્ધ આમ માને છે. સાંખ્ય આમ માને છે. ચાર્વાક આમ માને છે. તેમ જૈન આમ માને છે. આવું મતિજ્ઞાનની વિષમતાવાળી માન્યતા અર્થમાં ક્યારેય પણ બોલવું જોઈએ નહિં કારણકે જિન અને મનન-ચિંતન રૂપ માનવું આ બન્ને શબ્દો છે માતા વચ્છ ની જેમ વિરોધી છે કારણ કે જે જિન (જૈનદર્શનના પ્રણેતા-રચયિતા વીતરાગ-સર્વજ્ઞ) હોય છે તે મતિજ્ઞાનાત્મક માન્યતાવાળા-મતાવલંબી હોતા નથી અને આવી માન્યતાવાળા હોય છે તે જિન (વીતરાગસર્વજ્ઞ) હોતા નથી. “મને લાગે છે કે આમ હશે” આવી માન્યતા દાખવવી એ જ અલ્પજ્ઞતાની સૂચક છે તેથી બધા જ દર્શનોની હરોળમાં જૈનદર્શનને બેસાડવું જોઈએ નહીં, કાચના ટુકડાને અને હીરાના ટુકડાને સાથે રાખવાથી કાચના ટુકડાના હીરા જેટલા ભાવ ક્યારેય પણ ઉપજતા નથી. પરંતુ હીરાના ટુકડા, કાચના ભાવમાં વેચાઈ જાય છે. તે જેમ નુકશાનકારક છે તેમ વીતરાગ-સર્વજ્ઞ પ્રભુને (કે તેમની વાણીને) છદ્મસ્થોની સાથે કે છઘસ્થોની વાણી સાથે ગોઠવવાં કે જોડવાં તે પણ અનંત સંસાર વધારવારૂપ નુકશાન કરનાર જ છે.
આ રીતે વિશેષ વિનાનું સામાન્ય, અને સામાન્ય વિનાનું વિશેષ આ સંસારમાં જેમ નથી. તેમ પર્યાય વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વિનાના પર્યાયો પણ આ સંસારમાં નથી જ, કોઈ પણ વસ્તુ ઉભય સ્વરૂપથી જ આક્રાન્ત છે. માટે જ તેને જણાવનારી દૃષ્ટિઓ (નયો) પણ બન્ને છે જ. || ૯ |
દ્રવ્યાર્થિકનય પર્યાયાર્થિકનયની વાતને, અને પર્યાયાર્થિકનય દ્રવ્યાર્થિકનયની વાતને કેવી રીતે દેખે છે ? તે સમજાવે છે.
दव्वट्ठियवत्तव्वं, अवत्थु णियमेण पजवणयस्स । तह पज्जववत्थु, अवत्थुमेव दव्वट्ठियनयस्स ॥ १० ॥ (द्रव्यार्थिकवक्तव्यं, अवस्तु नियमेन पर्यवनयस्य । તથા પર્યવવસ્તુ મવન્વેવ દ્રવ્યાર્થિનયસ્થ ૨૦ |)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org