SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૯ ૨૫ પણ વર્તે જ છે. તેવી જ રીતે સામાન્ય વિનાનું એકલું વિશેષ ક્યાંય છે જ નહીં. જેમ કે મૂળ થડ આદિ જે વિશેષો છે તે પણ વૃક્ષત્વ-વનસ્પતિત્વના સામાન્યથી યુક્ત જ છે. ચૈત્રમૈત્ર-દેવદત્ત આદિ જે વિશેષ છે. તે પણ મનુષ્યત્વ નામના સામાન્યથી આક્રાન્ત જ છે. શરીર રૂપે જે સામાન્ય છે તે જ હાથ-પગ-ઉદર-મસ્તિક આદિ અવયવ રૂપે વિશેષ પણ છે જ, એકલું સામાન્ય કે એકલું વિશેષ અન્તિમ અવસ્થાવાળા એકાદ પ્રસંગને છોડીને ક્યાંય નથી જ. તેથી “એકલો દ્રવ્યાર્થિકનય લાગે અને પર્યાયાર્થિક નય ન લાગે, અથવા એકલો પર્યાયાર્થિકનય લાગે અને દ્રવ્યાર્થિકનય ન લાગે એવું ક્યાંય પણ બનતું નથી. જ્યાં એક નય લાગે અને બીજો નય ન જ લાગે તેવા નયને શુદ્ધ જાતિવાળો નય (અર્થાત્ પ્રતિપક્ષી નયથી મુક્ત એવો નય) કહેવાય છે. વિશેષ વિનાનું કેવળ એકલું સામાન્ય આ સંસારમાં કયાંય ન હોવાથી પર્યાયાર્થિક નય વિનાનો કેવળ એકલો શુદ્ધ જાતિવાળો દ્રવ્યાર્થિકનય પણ ક્યાંય નથી જ, એવી જ રીતે સામાન્ય વિનાના એકલા વિશેષો માત્ર કયાંય નહીં હોવાથી દ્રવ્યાર્થિકનય વિનાનો કેવળ એકલો શુદ્ધજાતિવાળો પર્યાયાર્થિક નય પણ ક્યાંય નથી જ, આવા પ્રકારની વસ્તુસ્થિતિ છે. છતાં બન્ને નયનો જે ભેદ સમજાવવામાં આવે છે. તેનું કારણ તે તે નયોના વિષયની ગૌણતા અને પ્રધાનતા એ જ છે. એક જ વસ્તુ વિવક્ષાના વશથી વિશેષરૂપે પણ ભાસે જ છે. જેમ કે “આ સાધુ મહાત્મા છે” આવું બોલાયેલું વાક્ય, તેનો ભાવાર્થ આ પ્રમાણે છે - જેમ આ ગામમાં બીજા સાધુ મહાત્માઓ છે તેમ આ પણ સાધુ મહાત્મા છે તેથી અન્ય મહાત્માઓની જેમ આ પણ દર્શનીય વંદનીય પૂજનીય છે. આવા આશયથી બોલાયું હોય ત્યારે અન્ય સાધુની સાથે અભેદસૂચક હોવાથી દ્રવ્યાર્થિકનય છે અને આ જ વાકય “આ સાધુ મહાત્મા છે પણ સાધ્વીજી ભગવંત કે શ્રાવક-શ્રાવિકા નથી” એમ ભેદસૂચક રૂપે વપરાયું હોય તો તે જ વાકય પર્યાયાર્થિકનયનો વિષય બને છે. ઉપરોક્ત ચર્ચા ઉપરથી સમજાશે કે જ્યાં અભેદ (સામાન્ય) પ્રધાનપણે ભાસતો હોય અને ભેદ (વિશેષ) ગૌણપણે ભાસતો હોય ત્યારે તે મનમાં ચાલતો વિચાર અને મુખે બોલાતો વચનવ્યવહાર દ્રવ્યાર્થિકનયનો વિષય બને છે અને જ્યાં અભેદ (સામાન્ય) ગૌણપણે ભાસતો હોય અને ભેદ (વિશેષ) પ્રધાનપણે ભાસતો હોય તો તે જ વચનવ્યવહાર પર્યાયાર્થિકનયનો વિષય બને છે. જગતમાં રહેલા શેયભાવો અન્ય શેયભાવોની સાથે અમુક ધર્મની અપેક્ષાએ સમાન પણ છે અને અમુક ધર્મની અપેક્ષાએ વિશેષ પણ છે જ. તેથી તે બન્નેને જણાવનારા નયો પણ (દ્રષ્ટિઓ પણ) બે છે. એક નથી. તેથી અંતિમ સામાન્ય અને અંતિમ વિશેપને મુકીને એકલો એકલો એક નય (શુદ્ધ જાતિવાળો એક નય) કયાંય નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy