SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કારડ-૧ – ગાથા-૮ સન્મતિપ્રકરણ અભેદ નથી જાણી શકાતો કે નથી સમજી શકાતો કે નથી બોલી શકાતો. એવું જે અંતિમ વિશેષ છે તે માત્ર પર્યાયાર્થિકનયનો વિષય બને છે. વચ્ચેના બધા જ વચનોચ્ચારો બન્ને નયના વિષય કહેવાય છે. “સત્તા” નામના અંતિમ મહાસામાન્યને જણાવનાર વચન તે દ્રવ્યાર્થિકનયનો જ વિષય છે અને અવિભાજ્ય એવા ભેદના સૂચક અંતિમ વિશેષને જણાવનાર જે વચન તે પર્યાયાર્થિકનયનો જ વિષય બને છે. મધ્યમવર્તી સઘળાં વચનો અને વિચારો, વક્તાના આશયને અનુસારે અભેદગામી દૃષ્ટિવાળા હોય ત્યારે દ્રવ્યાર્થિક નયનો વિષય ગણાય છે અને ભેદગામી દૃષ્ટિવાળો વક્તાનો આશય હોય ત્યારે તે જ વચન અને વિચાર પર્યાયાર્થિકનયનો વિષય ગણાય છે. વક્તા શ્રોતાના આશય ઉપર (વિવફા ઉપર) નથવિધિ છે પછી કોઈ પણ એક નયનો વિષય બીજા પ્રતિપક્ષી નયના વિષયથી સહિત જ હોય છે. કોઈપણ વિષયમાં લગભગ બન્ને નયો પ્રવેશેલા હોય છે તે જણાવે છે - पज्जवणयवोकंतं, वत्थु दव्वट्ठियस्स वयणिजं । जाव दविओवओगो, अपच्छिमवियप्पनिव्वयणो ॥ ८ ॥ (पर्यवनयव्युत्क्रान्तं, वस्तु द्रव्यार्थिकस्य वचनीयम् । यावद्रव्योपयोगः, अपश्चिमविकल्पनिर्वचनः ॥ ८ ॥) ગાથાર્થ - જેની પછી ભેદના વિકલ્પો નથી, અને જેની પછી ભેદસૂચક વચન વ્યવહાર નથી એવો દ્રવ્યનો (સામાન્યનો) ઉપયોગ જ્યાં સુધી છે. ત્યાં સુધીની તમામ વસ્તુ દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય તો છે જ. પરંતુ તે વક્તવ્ય પર્યાયાર્થિકનયથી પણ આક્રાન્ત (યુક્ત) છે. || ૮ | વિવેચન - આ જીવ છે. આ વનસ્પતિ છે. આ ઘટ છે. આ પટ છે. ઈત્યાદિ વાક્યો પોતાના સજાતીય પદાર્થોની સાથે જેમ ઐક્યતા (અભેદ) સૂચક છે. તેમ પોતાનાથી વિજાતીય પદાર્થોથી ભેદસૂચક પણ છે. આ રીતે ઉપરોક્ત વાક્યો અભેદસૂચક અને ભેદસૂચક એમ બને રીતે વાપરી શકાય છે. જોઈ શકાય છે. સમજી શકાય છે. માટે તે સઘળાં વાક્યો ઉભયનયનો વિષય ગણાય છે. ફક્ત અંતિમ સામાન્ય અને અંતિમ વિશેષ, કે જેનાથી વધારે મોટું સામાન્ય, અને વધારે સૂમ વિશેષ નથી. આ રીતે તે ન હોવાથી અન્તિમ સામાન્ય અને અન્તિમ વિશેષ તે બન્ને એક એક નયમાત્રનો જ વિષય બને છે. તેમાંથી “સત્તા” નામનું મહાવ્યાપક અંતિમ સામાન્ય કે જે “મતિ-સ–છે' ઈત્યાદિ શબ્દોથી જણાય છે અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy