SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૭ ઈતરદ્રવ્યોથી જુદા દ્રવ્ય તરીકે સમજાવવા માટે વિશેષતા સૂચકરૂપે ભેદગામી દૃષ્ટિ વડે જો આ વાકય બોલાતું હોય તો તે જ વાક્ય પર્યાયાર્થિક નયનું વચન બને છે. જેમ કે આ જીવ દ્રવ્ય છે પણ કંઈ ધર્મ-અધર્મ દ્રવ્ય નથી. તે દ્રવ્યોથી ભિન્ન એવું આ ચેતન દ્રવ્ય છે. આવી દ્રષ્ટિથી બોલાયેલું વચન તે પર્યાયાર્થિક નયનું વચન છે. સંક્ષેપમાં વાતનો સાર એ છે કે કોઈ પણ વિચાર કે વાક્યોચ્ચાર જ્યારે ઐક્ય તરફ, અભેદ તરફ, સામાન્ય તરફ પ્રવર્તતો હોય તો તે વિચાર અને વચનોચ્ચાર દ્રવ્યાર્થિકનયનો વિષય કહેવાય છે અને તે જ વિચાર તથા તે જ વચનોચ્ચાર જ્યારે ખંડ ખંડ કરવા રૂપે, ભેદ કરવા રૂપે, વિશેષતા જણાવવા તરફ પ્રવર્તતો હોય ત્યારે તે જ વિચાર અને વચનોચ્ચાર પર્યાયાર્થિકનયનો વિષય બને છે. આમ સર્વત્ર દ્રવ્યાર્થિકનયનો સઘળો વિષય પર્યાયાર્થિક નયથી આક્રાન્ત (યુક્ત) છે અને પર્યાયાર્થિકનયનો સઘળો વિષય દ્રવ્યાર્થિકનયથી આક્રાન્ત (યુક્ત) છે. માટે અવશેષ વચનવિધિ ભજનાએ પર્યાયાર્થિકનયનો પણ વિષય છે અને પ્રતિપક્ષ એવા દ્રવ્યાર્થિક નયનો પણ વિષય છે. વક્તાના આશયને અનુસારે નય બદલાય છે. જ્યારે આશય ભેદગામી હોય ત્યારે પર્યાયાર્થિકનય, અને જ્યારે આશય અભેદગામી હોય ત્યારે દ્રવ્યાર્થિકનય કહેવાય છે. પ્રશ્ન - મૂલગાથામાં એવી વયUવિદિ = બાકીનો બધો વચનમાર્ગ બન્ને નયનો વિષય છે એમ કહ્યું છે એટલે કોઈક વચનમાર્ગ એકનયનો જ વિષય હોય એવો અર્થ પણ અંદરથી સરકી આવે છે તો તે કયો વચનમાર્ગ એકનયનો જ વિષય બને છે ? ઉત્તર - “પર્યાયા: નિતાઃ યમલ્ સામાન્ય, ત૬ વર = પર્યાયનિઃસામાન્ય વચનમ્ = જે સામાન્યમાંથી પર્યાયો અર્થાત્ વિશેષો ચાલ્યા ગયા છે એવું જે અંતિમ સામાન્ય છે અને એવી જ રીતે ચાલ્યું ગયું છે સામાન્ય જેમાંથી એવો જે અંતિમવિશેષ છે તે બન્ને બાજુના અંતિમ વિચારો અને અંતિમ વચનોચ્ચાર એક એક નયના વિષય બને છે. જેમકે જેમાં કોઈ પણ જાતની પરિમિતતા, ખંડત્વ, વિભાગતુ કે વિશેષો નથી એવું “સત્તા' નામનું જે મહાસામાન્ય છે કે જે સર્વત્ર વ્યાપક છે તેથી પરિમિત નથી. ખંડિત નથી. કોઈપણ પદાર્થને જોશો તો જણાશે કે “આ પદાર્થ પણ સત્ છે” આ પદાર્થ પણ સત્ છે” સત્ પણે આખું વિશ્વ એકરૂપ છે. આવા પ્રકારનું વિશેષ (પર્યાયો) વિનાનું કેવળ એકલા સામાન્યનું બોધક “ત, સત્ છે" ઇત્યાદિ જે વિચારો અને વચનોચ્ચારણ તે સઘળો એકલા દ્રવ્યાર્થિકનયનો વિષય બને છે કારણ કે સત્તા સામાન્ય એ એવું સર્વત્ર વ્યાપક સામાન્ય છે કે તે કોઈ બીજા તેનાથી મોટા સામાન્યની અપેક્ષાએ વિશેષ બનતું હોય તેવું નથી. તે માટે આવા પ્રકારના અતિશય સામાન્યતાના બોધક વિચાર અને વચન એકલા દ્રવ્યાર્થિકનયનો વિષય ગણાય છે તેવી જ રીતે જ્યાં કોઈ પણ રીતે ઐક્ય, સમાનતા, કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy