SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કિાડ-૧ – ગાથા-૫ સન્મતિપ્રકરણ જ્યાં ભૂત-ભાવિ કાળકૃત વસ્તુસ્વરૂપને ગૌણ કરીને માત્ર વર્તમાનકાળકૃત વસ્તુસ્વરૂપને જ પ્રધાન કરવામાં આવે, આવા પ્રકારના કાળકૃત ભેદને અવલંબીને ચાલતો જે વચનવ્યવહાર તે સઘળો ત્રાસૂત્રનય છે. જે વસ્તુ જે કાળ જેવી, તે વસ્તુને તે કાળે તેવી માનવી, ભૂતભાવિ અવસ્થાને ગૌણ કરવી તે ઋજુસૂત્રનય છે. પ્રધાનપદે બિરાજતાને પ્રધાન માનવા, પણ જેનું પ્રધાનપણું ચાલ્યું ગયું છે તેવાને જેમ માજીપ્રધાન માનવામાં આવે છે તેમ ન માનવું કારણ કે તે માજી પ્રધાન હાલ પ્રધાનપણે કંઈ કાર્ય કરી શકે તેમ નથી. તેથી આવી વિચારધારાને જુસૂત્રનય કહેવાય છે. આ જ પર્યાયાસ્તિકનયનો મૂળ આધાર છે. પૂલ વર્તમાનકાળ કંઈક લાંબો હોય છે અને સૂક્ષ્મ વર્તમાનકાળ ૧ સમયમાત્રનો જ હોય છે તેથી ઋજુસૂત્રનયના પણ બે ભેદ છે ૧ સ્થૂલઋજુસૂત્રનય અને ૨ સૂક્ષ્મઋજુસૂત્રનય. તેમાં ૧ સમયમાત્રનું વસ્તુનું જ સ્વરૂપ છે. તે આ સૂક્ષ્મ ઋજુસૂત્ર નયનો વિષય છે. બૌદ્ધદર્શનની માન્યતા મુખ્યત્વે આ નયને આભારી છે. આ રીતે કાળકૃત ભેદને અવલંબીને ચાલતી વિચારસરણી અને બોલવારૂપ વચનવ્યવહાર તે ઋજુસૂત્રનય છે. આ પર્યાયાર્થિકનયનું મૂલ છે. થડ છે. તેના પછીના શબ્દાદિ ત્રણે નયો તો તેની શાખા-પ્રશાખા-પ્રતિશાખા રૂપ છે. કારણ કે તેમાં પણ ક્ષણિકવર્તમાનકાળની દ્રષ્ટિ તો છે જ. તદુપરાંત લિંગ-જાતિ-વચન આદિના ભેદને લીધે જે દૃષ્ટિ વસ્તુસ્વરૂપનો ભેદ કરે છે તે શબ્દનય છે તથા શબ્દના માનેલ સમાનલિંગવાળા, કે સમાન જાતિવાળા કે સમાનવીનવાળા પર્યાયવાચી એવા અનેક શબ્દોમાં પણ વ્યુત્પત્તિભેદે ભેદ માનવાનું કામ જે દૃષ્ટિ કરે છે તે સમભિરૂઢનય છે અને સમભિરૂઢનયે સ્વીકારેલા પર્યાયવાચી કોઈ પણ એક શબ્દમાં પણ જે દ્રષ્ટિ ક્રિયાકાળ પુરતું જ વસ્તુતત્ત્વ માને, શેષકાળે નહીં, તે એવંભૂતનય છે. આ ચારે નયોમાં કાળકૃત ભેદ તો છે જ, વર્તમાનકાળગ્રાહિતા તો છે જ, તદુપરાંત ઉત્તરોત્તર લિંગાદિકૃતભેદ, વ્યુત્પત્તિકૃતભેદ અને ક્રિયાકૃતભેદ આ નવો સ્વીકારતા હોવાથી વૃક્ષની શાખા-પ્રશાખા-પ્રતિશાખા તુલ્ય ઋજુસૂત્રનયના પેટભેદો ગણાય છે. પર્યાયાસ્તિકનયમાં જાસૂત્રનય એક વૃક્ષ છે અને શબ્દાદિત્રણે નયો તેની શાખાપ્રશાખા અને પ્રતિશાખા છે આ રીતે વિચારતાં નયોનું પૃથક્કરણ નીચે પ્રમાણે થાય છે. (૧) ઉપચરિત વસ્તુને ગ્રહણ કરનાર નય તે નૈગમનય જેમ કે ગાયના પૂતળાને પણ ગાય કહે, નદીના કાંઠાને પણ નદી કહે, મરીચિના ભાવમાં રહેલા ભગવાનના જીવને પણ ભગવાન કહે. (૨) અપરિમિત પણે એકીકરણકરવા વાળી અભેદગામી જે દ્રષ્ટિ છે તે સંગ્રહાય, જેમ કે સર્વે દ્રવ્યો “સ પણે” સમાન છે. અદ્વૈતવાદ વિગેરે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy