________________
૧૫
સન્મતિપ્રકરણ
કાડ-૧ – ગાથા-૫ મૂલ આધાર છે અને શબ્દનય વિગેરે જે શેષ ત્રણ નયો છે તે તેના જ (પર્યાયાર્થિકના જ) શાખા - પ્રશાખા રૂપે સૂક્ષ્મ-સૂક્ષ્મતર ભેદો છે || ૫ ||
વિવેચન - ચોથી ગાથામાં જેમ દ્રવ્યાર્થિકનય, તેના પેટાભેદો, અને તેઓનો પરસ્પર સંબંધ કહેવામાં આવ્યો છે તેમ આ પાંચમી ગાથામાં પર્યાયાસ્તિકનય અને તેના પેટાભેદો, તથા તેઓનો પરસ્પર સંબંધ સમજાવવામાં આવ્યો છે. જેમાં સંગ્રહાયનું જે વચન છે તે દ્રવ્યાર્થિકનયનો મૂળ આધાર છે તેમ ઋાસૂત્રનયનું જે વચન છે તે પર્યાયાર્થિકનયનો મૂલ આધાર છે અને શબ્દાદિ ત્રણે નયો પર્યાયાસ્તિકનયની જ શાખા - પ્રશાખા અને પ્રતિશાખારૂપ
છે.
વિશાળ અભેદગ્રાહી, સર્વનું ઐક્ય કરનારી, જે દ્રષ્ટિ છે તે સંગ્રહાય છે. આ નય દ્રવ્યાર્થિકનયનું ઘર છે. તેમાંથી કોઈ જાતિ, કોઈ ગુણ, કે કોઈ ધર્મ આશ્રયી કેટલાક પરિમિત તત્ત્વોનું જ એકીકરણ કરનારી, પરિમિત અંશોના જ અભેદને સમજાવનારી જે દૃષ્ટિ તે વ્યવહારનય છે. આ બન્ને નયોમાં જ્યાં સુધી કાળકૃત ભેદ નથી આવતો, ત્યાં સુધી તે દ્રવ્યાર્થિકનય કહેવાય છે. અર્થાત્ સંગ્રહનય અને વ્યવહારનયની કોટિમાં ગણાય છે.
ટીકામાં કહ્યું છે કે - મૂત્રમાદિ જિને માથા પર્યાયઃ વિષ:, તસ્ય :, उपपत्तिबलात् परिच्छेदः तस्य, ऋजु = वर्तमानसमयं वस्तु स्वरूपावस्थितत्वात् तदेव सूत्रयति परिच्छिन्नत्ति, अतीतानागतम्, तस्यासत्त्वेन कुटिलत्त्वात्, तस्य वचनं-पदं वाक्यं वा, तस्य व्यवच्छेदोऽन्तः इति यावत् ।
જ્યારથી કાળકૃત ભેદ શરૂ થાય છે, ભૂત-ભાવિનાં તત્ત્વોને કાર્યનાં અસાધક માની વર્તમાનકાળની જ પ્રધાનતા કરીને વર્તમાનકાલીન તત્ત્વને જ જ્યાં તત્ત્વરૂપે સ્વીકાર કરાય છે, ત્યારે શ્વાસૂત્રનયનો પ્રારંભ થાય છે અને તે જ પર્યાયાર્થિકનય કહેવાય છે. જેમ કે કોઈ એક માણસ ઘણો જ ધનાઢ્ય છે, સુખી છે તેણે વૃદ્ધાવસ્થામાં ધન કામ આવે એવા આશયથી ર૫ વર્ષે ૩/૪ ગણા પૈસા પાછા મળે એવા આશયથી બેંકમાં નિયત મુદતથી પૈસા જમા મુકયા. ચાર-પાંચ વર્ષમાં જ તેની પરિસ્થિતિ બદલાઈ ગઈ, હાથ ઉપરનો પૈસો ધંધાના નુકસાનમાં ચાલ્યો ગયો. નિર્ધનદશા થઈ. હવે ભૂતકાળનું ધનાઢ્યપણું અને ભાવિમાં મળનારા બેંકમાં જમા કરાવેલા પૈસાથી આવનારૂં ધનાઢ્યપણું આજે કાર્યસાધક ન હોવાથી તે નિર્ધન જ કહેવાય છે. ધનવાન કહેવાતો નથી. તથા ધનવાનપણાના ભોગો ભોગવી શકતો નથી. આવી વર્તમાનકાલીન વૃષ્ટિને ઋજુસૂત્રનય કહેવાય છે. અહીંથી પર્યાયાર્થિકનય શરૂ થાય છે. આ ઋજુસૂત્રનય એ પર્યાયાર્થિકનયનું ઘર છે. જેમાં સંગ્રહનય એ દ્રવ્યાર્થિક નયનું ઘર છે તેમ ઋજુસૂત્રનય એ પર્યાયાર્થિક નયનું ઘર છે. (અહીં ઉમે એટલે આધાર અર્થ જાણવો).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org