________________
૧૨ કારડ-૧ – ગાથા-૪
સન્મતિપ્રકરણ વિવેચન - તત્ત્વાર્થસૂત્ર, વિશેષાવશ્યકભાષ્ય અને પ્રમાણનયતત્તાલોકાલંકાર આદિ મહાગ્રંથોમાં તથા જૈનવિદ્વત્સમાજમાં નિગમાદિ સાત નો સુપ્રસિદ્ધ છે. તેમાં નૈગમનય સામાન્ય અને વિશેષ એમ ઉભયનો ગ્રાહી હોવાથી અનુક્રમે સંગ્રહમાં અને વ્યવહારમાં સમાઈ જાય છે. આવી વિવક્ષા જ્યારે કરીએ છીએ ત્યારે છ નો પણ વિવક્ષાવિશેષથી કહેવાય છે. જો કે ઉપચારગ્રાહી નિગમનય સંગ્રહ-વ્યવહારથી ભિન્ન પણ છે પરંતુ તેની અવિવક્ષા કરીએ ત્યારે છ નયો પણ તત્ત્વાર્થાદિ શાસ્ત્રમાં આવે છે. તે છ નયોમાંથી સંગ્રહ અને વ્યવહાર આ બને નયો દ્રવ્યાર્થિકનયના ઉત્તરભેદો છે અને જુસૂત્રાદિ શેષ ચાર નો પર્યાયાર્થિકનયના ઉત્તરભેદો છે તેમાંથી દ્રવ્યાર્થિકનયના ઉત્તરભેદો અને તેઓનો પરસ્પર સંબંધ આ ગાથામાં જણાવ્યો છે. પર્યાયાર્થિકનયના ઉત્તરભેદો અને તેઓનો પરસ્પર સંબંધ પાંચમી ગાથામાં આવશે.
સામાન્યબોધક અને દ્રવ્યગ્રાહી જે દ્રષ્ટિ તેને જ દ્રવ્યાર્થિકનય કહેવાય છે તે માટે તેના પટાભેદ રૂપ સંગ્રહનય અને વ્યવહારનય આ બન્ને નયો પણ મુખ્યપણે સામાન્યબોધક અને દ્રવ્યગ્રાહી છે. કારણ કે જે જેનાં બચ્ચાં હોય છે. તે તેની જ વાતને દોહરાવનારાં હોય છે. આખું ય આ જગત કોઈ પણ જાતના સામાન્ય કે ઐક્ય વિનાનું (અભેદ વિનાનું) માત્ર છુટા છુટા મોતીના દાણાની જેમ કેવળ એકલા ભેદસ્વરૂપ પણ નથી. તેમ જ અલ્પ પણ ભેદના સ્પર્શ વિના અખંડ અભેદ સ્વરૂપ પણ નથી પરંતુ અપેક્ષાવિશેષે ભેદાત્મકપણે અને અપેક્ષાવિશેષે અભદાત્મકપણે છે અને તેમ જ અનુભવાય છે જેમ કે આંબાનું એક ઝાડ છે તેને વનસ્પતિપણે જોશો તો તે આખું વૃક્ષ વનસ્પતિપણે એક જ છે. અભેદ જ છે. ઐક્યરૂપ જ છે. સામાન્યાત્મક જ છે. આમ દેખાશે. પરંતુ તે જ વૃક્ષને મૂલ-થડ-શાખા-પ્રશાખા-ફુલફળ અને બીજ રૂપે જોશો તો બધા જ અંશો ભિન્ન ભિન્ન જણાશે. માટે તે અપેક્ષાએ ભિન્ન ભિન્ન પણ છે. વિશેષ પણ છે જ. તેથી ભેદ વિનાનો અભેદ, અને અભેદ વિનાનો ભેદ જગતમાં ક્યાંય છે જ નહીં, અને થશે પણ નહીં, માટે સમસ્ત જગત ભેદભેદ ઉભયરૂપ છે.
તેમાં જયારે અતિશય વિશાળ અભેદ તરફ દ્રષ્ટિપાત કરીએ છીએ ત્યારે સંગ્રહનય કહેવાય છે જે સર્વેનો સંગ્રહ કરે, એકીકરણ કરે તેવી વૃષ્ટિને સંગ્રહનય કહેવાય છે અને જે પરિમિત સ્વરૂપે સંગ્રહ કરે, એટલે કે અંશતઃ અભેદ કરે ખરો પણ અમુક અંશે લોક વ્યવહારને અનુરૂપ ભેદ કરે તે વ્યવહારનય કહેવાય છે. સારાંશ કે અસીમિતપણે એકીકરણ કરે તે સંગ્રહાય અને સીમિતપણે સંગ્રહ કરે તેમજ ભેદ પણ કરે તે વ્યવહારનય. આ બન્ને નયો અભેદગામી હોવાથી દ્રવ્યાર્થિકનયના જ પેટાભેદો છે પરંતુ સંગ્રહનય અપરિમિત વસ્તુનો સંગ્રહ (અભેદ) કરનાર છે અને વ્યવહારનય પરિમિત વસ્તુનો અભેદ કરનાર છે. જેમ કે ઘટ-પટ આદિ અજીવદ્રવ્યો હોય કે દેવ-નારકી આદિ સચેતનદ્રવ્યો હોય તથા આકાશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org