________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૧ - ગાથા-૩
વિવેચન - જગતમાં વર્તતા સર્વે પણ પદાર્થો દ્રવ્યાત્મક (દ્રવ્યસ્વરૂપ) પણ છે. અને પર્યાયાત્મક (પર્યાયસ્વરૂપ = અવસ્થાસ્વરૂપ) પણ છે. તેને જાણનારા-જોનારા આત્માઓની જે દૃષ્ટિ છે તે દૃષ્ટિને (અપેક્ષાને) અનુક્રમે દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય કહેવાય છે. નય એટલે દૃષ્ટિ, અપેક્ષા, વિવક્ષા, કહેવા પાછળનો આશય.
2
પ્રત્યેક વસ્તુમાં દ્રવ્ય અને પર્યાય બન્ને સ્વરૂપો છે જ. તે માટે તે બન્ને સ્વરૂપને જાણવા માટે બન્ને દૃષ્ટિઓની જરૂરિયાત રહે છે. જેમ કે આત્મા નામનું દ્રવ્ય અનાદિ કાળથી છે અને અનંતકાળ રહેશે. માટે દ્રવ્ય સ્વરૂપે અનાદિ-અનંત, નિત્ય, ધ્રુવ છે છતાં પ્રતિસમયે તેના ગુણધર્મોમાં પરિવર્તન થવા સ્વરૂપે ક્ષયોપશમભાવે અને ઔયિકભાવે જીવદ્રવ્ય બદલાય પણ છે જ. કુટસ્થ (એકાન્તે) નિત્ય નથી માટે પર્યાયને આશ્રયી ઉત્પાદ-વ્યયવાળું એટલે કે અનિત્ય પણ છે અને દ્રવ્ય સ્વરૂપે નિત્ય પણ છે જ. તથા સર્વે પણ જીવો જીવપણે સમાન (સામાન્ય) પણ છે છતાં ચેતનાશક્તિના આવિર્ભાવ-તિરોભાવની અપેક્ષાએ એકેન્દ્રિયબેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય આદિ રૂપે ભિન્ન ભિન્ન પણ છે અર્થાત્ વિશેષ પણ છે જ.
૯
આ રીતે જગતના સર્વે પણ પદાર્થો સ્વયં પોતાની રીતે જ પરિણામી ધ્રુવ હોવાથી સામાન્યાત્મક પણ છે અને વિશેષાત્મક પણ છે. તે બન્ને પ્રકારના વસ્તુના યથાર્થ સ્વરૂપને કહેનારાં (સમજાવનારાં) પરમાત્માનાં વચનો છે. કારણ કે પરમાત્મા સર્વજ્ઞ અને વીતરાગ છે. સર્વજ્ઞ હોવાથી અજ્ઞાનજન્ય અસત્યતા તેમની વાણીમાં નથી અને વીતરાગ હોવાથી મોહના વિકારજન્ય અસત્યતા પણ તેમની વાણીમાં નથી તેથી જયારે સામાન્યસ્વરૂપને કહેવાથી જગતના જીવોનો ઉપકાર થાય તેમ હોય ત્યારે પરમાત્મા વિશેષસ્વરૂપનો અપલાપ ન થઈ જાય તે રીતે સામાન્યસ્વરૂપને પ્રધાનપણે કહે છે. તેને જ દ્રવ્યાર્થિકનય કહેવાય છે. તથા જ્યારે વિશેષસ્વરૂપને કહેવાથી જગતના જીવોનો ઉપકાર થાય તેમ હોય ત્યારે જ તીર્થંકર પરમાત્મા (સામાન્ય સ્વરૂપનો અપલાપ ન થઈ જાય તે રીતે) વિશેષસ્વરૂપને પ્રધાનપણે સમજાવે છે તેને જ પર્યાયાર્થિક નય કહેવાય છે. તેથી તીર્થંકર પરમાત્માનાં વચનો વસ્તુના સામાન્યસ્વરૂપ અને વિશેષસ્વરૂપના વિસ્તારના મૂલને કહેનારાં છે અને તેને જ અનુક્રમે દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક નય કહેવાય છે.
Jain Educationa International
દ્રવ્યાર્થિક નય તે અભેદગામી દૃષ્ટિ છે અને પર્યાયાર્થિકનય તે ભેદગામી દૃષ્ટિ છે. કોઈ પણ એક પુરુષને જન્મથી મરણપર્યન્ત પુરુષપણે તેનો તે જ છે એમ એકાકારપણે (અભેદપણે ) જે જોવો જાણવો તે દ્રવ્યાર્થિકનય છે અને બાલ્ય-યુવા અને વૃદ્ધ પણે તે પુરુષ ભિન્ન ભિન્ન છે એમ જે જાણવો. તે પર્યાયાર્થિકનય છે. કોઈપણ માણસ જ્યારે કંઈપણ વિચારે છે અથવા બોલે છે ત્યારે પ્રયોજનને અનુસારે કાં તો અભેદ તરફ ઢળીને, અથવા
For Personal and Private Use Only
www.jainelibrary.org