________________
કાર્ડ-૧ – ગાથા-૨
સન્મતિપ્રકરણ છે. આમ કહેલ છે. અથવા જે તીર્થંકર પરમાત્માઓ વાણી પ્રકાશીને મોક્ષે પધાર્યા છે. તેઓને આશ્રયી આ વિશેષણ સાર્થક છે.
૨. મનિur = ભવમાં દેહધારી તરીકે વિચરતા અને રાગાદિ રૂપ ભવને જિતનારા એવા જિનેશ્વર ભગવંતો. તેરમા ગુણઠાણે બીરાજમાન એવા જ તીર્થકર ભગવંતો ધર્મદેશના આપે છે. શાસન સ્થાપે છે ચૌદમાં ગુણસ્થાનકવાળા કે સિદ્ધાવસ્થાવાળા, અયોગી હોવાથી ધર્મદેશના આપતા નથી. આ અર્થ સમજાવવા માટે આ વિશેષણ છે. આમ આવા પ્રકારના બે વિશેષણોવાળા જિનેશ્વરોનું જે શાસન છે. તેનું આ ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ રૂપે હું વંદન-નમન-સ્મરણ કરૂં છું.
તથા આ શાસનથી મને જે યથાર્થતત્ત્વો જણાયાં છે તે તત્વોને જ આ ગ્રંથમાં હું કહીશ. આવો અર્થ લેવાથી આ ગ્રંથનો પરમાત્માની આગમવાણીની સાથે સંબંધ છે. આગમને અનુસારે જ હું આ ગ્રંથ બનાવીશ. આમ ગુરુપર્વક્રમ રૂપ સંબંધ પણ સમજી લેવો ||૧||
વિષય અને પ્રયોજનનું પ્રતિપાદન - समयपरमत्थवित्थरविहाडजणपज्जुवासणसयन्नो । आगममलारहियओ, जह होइ तमत्थमुन्नेसुं ॥ २ ॥ समयपरमार्थविस्तरविहाट जनपर्युपासनसकर्णः । आगम मलार हृदयः, यथा भवति तमर्थमुन्नेष्ये ॥ २ ॥
ગાથાર્થ - આગમના અર્થો સમજવામાં ગળીયા બળદના જેવો આળસુ હૃદયવાળો = મંદબુદ્ધિવાળો પુરુષ પણ શાસ્ત્રોના પરમાર્થનો વિસ્તાર (વિકાસ) કરવામાં કુશળ (અર્થાત્ દીપક સમાન) એવા જ્ઞાની મહાત્માઓની સેવામાં તત્પર જે રીતે બને, તે રીતે તે અર્થને આ ગ્રન્થમાં હું કહીશ / ૨
વિવેચન - આ સંસારમાં ઘણા જીવો પોતાના માનવભવની તથા જિનવાણીની પ્રાપ્તિની દુર્લભતા સમજી આગમોના અર્થો ભણવા-ભણાવવામાં લયલીન થઈને રહે છે. ફરી ફરી આવું સુંદર-નિર્દોષ-આત્માનું કેવલ હિત જ કરનારું આ શાસન મળવું ઘણું જ દુર્લભ છે આમ સમજીને તેમાં જ રચ્યા પચ્યા રહે છે. જયારે મોહાધીન બીજા કેટલાક આત્માઓ કે જેઓ ભોગપ્રિય છે. વિષયસુખોના જ અર્થ છે. ભવાભિનંદી છે. અર્થ અને કામની વાસનામાં જ લયલીન છે. તેઓ આગમોના અર્થગ્રહણના સામર્થ્યવિનાના અર્થાત્ મંદબુદ્ધિવાળા હોય છે. તેથી આગમોના અર્થો ભણવા-ભણાવવામાં તથા સાંભળવાસંભળાવવામાં ઉદાસીન હોય છે તેની ઉપેક્ષા કરનારા હોય છે તે તરફ આકર્ષાતા નથી. ગાડે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org