SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ડ-૧ – ગાથા-૨ સન્મતિપ્રકરણ છે. આમ કહેલ છે. અથવા જે તીર્થંકર પરમાત્માઓ વાણી પ્રકાશીને મોક્ષે પધાર્યા છે. તેઓને આશ્રયી આ વિશેષણ સાર્થક છે. ૨. મનિur = ભવમાં દેહધારી તરીકે વિચરતા અને રાગાદિ રૂપ ભવને જિતનારા એવા જિનેશ્વર ભગવંતો. તેરમા ગુણઠાણે બીરાજમાન એવા જ તીર્થકર ભગવંતો ધર્મદેશના આપે છે. શાસન સ્થાપે છે ચૌદમાં ગુણસ્થાનકવાળા કે સિદ્ધાવસ્થાવાળા, અયોગી હોવાથી ધર્મદેશના આપતા નથી. આ અર્થ સમજાવવા માટે આ વિશેષણ છે. આમ આવા પ્રકારના બે વિશેષણોવાળા જિનેશ્વરોનું જે શાસન છે. તેનું આ ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ રૂપે હું વંદન-નમન-સ્મરણ કરૂં છું. તથા આ શાસનથી મને જે યથાર્થતત્ત્વો જણાયાં છે તે તત્વોને જ આ ગ્રંથમાં હું કહીશ. આવો અર્થ લેવાથી આ ગ્રંથનો પરમાત્માની આગમવાણીની સાથે સંબંધ છે. આગમને અનુસારે જ હું આ ગ્રંથ બનાવીશ. આમ ગુરુપર્વક્રમ રૂપ સંબંધ પણ સમજી લેવો ||૧|| વિષય અને પ્રયોજનનું પ્રતિપાદન - समयपरमत्थवित्थरविहाडजणपज्जुवासणसयन्नो । आगममलारहियओ, जह होइ तमत्थमुन्नेसुं ॥ २ ॥ समयपरमार्थविस्तरविहाट जनपर्युपासनसकर्णः । आगम मलार हृदयः, यथा भवति तमर्थमुन्नेष्ये ॥ २ ॥ ગાથાર્થ - આગમના અર્થો સમજવામાં ગળીયા બળદના જેવો આળસુ હૃદયવાળો = મંદબુદ્ધિવાળો પુરુષ પણ શાસ્ત્રોના પરમાર્થનો વિસ્તાર (વિકાસ) કરવામાં કુશળ (અર્થાત્ દીપક સમાન) એવા જ્ઞાની મહાત્માઓની સેવામાં તત્પર જે રીતે બને, તે રીતે તે અર્થને આ ગ્રન્થમાં હું કહીશ / ૨ વિવેચન - આ સંસારમાં ઘણા જીવો પોતાના માનવભવની તથા જિનવાણીની પ્રાપ્તિની દુર્લભતા સમજી આગમોના અર્થો ભણવા-ભણાવવામાં લયલીન થઈને રહે છે. ફરી ફરી આવું સુંદર-નિર્દોષ-આત્માનું કેવલ હિત જ કરનારું આ શાસન મળવું ઘણું જ દુર્લભ છે આમ સમજીને તેમાં જ રચ્યા પચ્યા રહે છે. જયારે મોહાધીન બીજા કેટલાક આત્માઓ કે જેઓ ભોગપ્રિય છે. વિષયસુખોના જ અર્થ છે. ભવાભિનંદી છે. અર્થ અને કામની વાસનામાં જ લયલીન છે. તેઓ આગમોના અર્થગ્રહણના સામર્થ્યવિનાના અર્થાત્ મંદબુદ્ધિવાળા હોય છે. તેથી આગમોના અર્થો ભણવા-ભણાવવામાં તથા સાંભળવાસંભળાવવામાં ઉદાસીન હોય છે તેની ઉપેક્ષા કરનારા હોય છે તે તરફ આકર્ષાતા નથી. ગાડે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy