________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૩ – ગાથા-૬૬-૬૭
जह जह बहुस्सुओ, सम्मओ य सिस्सगणसंपरिवुडो य । अविणिच्छिओ य समए, तह तह सिद्धंतपडिणीओ ॥ ६६ ॥
चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा । चरणकरणस्स सारं, णिच्छयसुद्धं ण याणंति ।। ६७ ।।
यथा यथा बहुश्रुतः, सम्मतश्च शिष्यगणसंपरिवृतश्च । अविनिश्चितश्च समये, तथा तथा सिद्धान्तप्रत्यनीकः ।। ६६ ।।
चरणकरणप्रधानाः, स्वसमयपरसमयमुक्तव्यापाराः । વળરામ્ય સારં, નિશ્ચયશુદ્ધ ન નાનન્તિ।। ૬૭ ।।
ગાથાર્થ - જેમ જેમ મુનિ બહુશ્રુત થાય છે. જૈનસમાજમાં માનવંતા (માનીલો) થાય છે અને બહુ બહુ શિષ્યગણથી પરિવરેલો થાય છે તેમ તેમ “જો જૈનઆગમશાસ્ત્રોમાં નિશ્ચિતપણે નયદૃષ્ટિ (અનેકાન્તદૃષ્ટિ) ખીલેલી ન હોય તો” તે જૈન સિદ્ધાન્તનો પ્રત્યનીક (મહાવિડંબક) મહાવૈરી થાય છે. ॥ ૬૬
ચારિત્રપાલનમાં અને ક્રિયા કરવામાં જેઓ ઓતપ્રોત છે પણ સ્વશાસ્ત્રમાં અને પરશાસ્ત્રમાં શું કહ્યું છે ? તે બાબતમાં મુક્તવ્યવસાય વાળા છે. એટલે કે ઉદાસીન છે. તેઓ ચારિત્ર અને ક્રિયાનો નિશ્ચયથી શુદ્ધ એવો સાર જાણતા જ નથી. ॥ ૬૭ ॥
૩૮૫
ટીકાનો પાઠ यथा यथा बहुश्रुतः सम्यगपरिभावितार्थानेकशास्त्रश्रवणमात्रतः तथाविधापराऽविदितशास्त्राभिप्रायजनसम्मतश्च शास्त्रज्ञत्वेन, अत एव श्रुतविशेषानभिज्ञैः शिष्यगणैः समन्तात् परिवृतश्च अविनिश्चितश्च समये तथाविधपरिवारदर्पात् समयपर्यालोचने नादृतत्वात् तथा तथा सिद्धान्तप्रत्यनीकः यथावस्थितवस्तुस्वरूपप्रकाशकार्हदागमप्रतिपक्षः निस्सारप्ररूपणयाऽन्यागमेभ्योऽपि भगवदागमम् अधः करोतीति यावत् ॥
–
Jain Educationa International
વિવેચન - જે મુનિપુરૂષો શાસ્ત્રનું ચિંતન મનન અને અવગાહન છોડી દઈને “અમે બહુશ્રુત છીએ” આવો દાવો કરે છે. આવા પ્રકારની પોતાની પ્રસિદ્ધિ પાથરે છે. તથા બોલવાની ચતુરાઈના (વાગ્છટાના) કારણે સમાજમાં માનીતા (માનવંતા) થાય છે. અને તેથી પદવી તથા શિષ્યગણના પરિવારના મોહમાં આસક્ત બને છે. તેઓને ઉદ્દેશીને ગાથા ૬૬માં તથા જેઓ માત્ર ક્રિયામાર્ગમાં જ રત બની પોતાની જાતને આરાધક કે પ્રરૂપણા કરવાના અધિકારી વિગેરે માની લે છે તેઓને ઉદ્દેશીને ગાથા ૬૭માં ગ્રંથકારશ્રી ખાસ ખાસ ટકોર કરતાં જણાવે છે કે
For Personal and Private Use Only
www.jainelibrary.org