SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કાષ્ઠ-૧ – ગાથા-૧ સન્મતિપ્રકરણ ૨. સિદ્ધસ્થાપf (સાસUT) = તર્ક અને યુક્તિઓથી સિદ્ધ એવા જ અર્થોને કહેનારૂં આ શાસન છે. આ શાસનમાં જીવ-અજવાદિ જે જે નવતત્વો કહ્યા છે, છ દ્રવ્યો કહ્યાં છે અને તેને જાણવાના ઉપાય રૂપે મૂલ ર અને ઉત્તર ૭ નયો, તથા પ્રત્યક્ષાદિ પ્રમાણો વિગેરે જે કંઈ પણ જણાવવામાં આવ્યું છે તે સઘળુંય પથાર્થ છે. જગતમાં જેવું છે તેવું જ કેવળજ્ઞાન-દર્શનથી જોઈને પછી જ કહ્યું છે. પ્રમાણાન્તરોથી સંવાદિ છે. મનની કલ્પનાઓ કરી-કરીને ગોઠવીને કહ્યું નથી. યથા ગતિ, તથા પતિ, યથા પતિ, તથા વતિ જેવું જગત છે તેવું તેઓ દેખે છે અને જેવું દેખે છે તેવું જ તેઓ કહે છે. માટે જ તેમનું શાસન (તેઓની વાણી) યથાર્થ છે. હું આમ માનું છું એમ કાલ્પનિક માન્યતાવાળી તેઓની વાણી નથી, માટે જ અન્ય બધા જ દર્શનોને વિચારિત અર્થમાં “મત” કહેવાય છે. બૌદ્ધમત, સાંખ્યમત, વૈશેષિકમત ઈત્યાદિ, પરંતુ જૈનદર્શનને વિચારણા અર્થમાં “મત” કહેવાય નહીં. બૌદ્ધ આમ માને છે. સાંખ્ય આમ માને છે. એમ ત્યાં કહેવાય. પરંતુ જિનેશ્વરો આમ માને છે. એવું વિચારણા અર્થવાળું કયારેય પણ બોલાય નહીં કારણ કે તેઓ ત્રિકાલજ્ઞાની હોવાથી સાક્ષાત દેખે જ છે માટે માનવાની કે કલ્પના કરવાની સર્વજ્ઞ હોતી જ નથી. છઘસ્થને જ હોય છે. આ કારણે જિનેશ્વર ભગવંતો આમ કહે છે. આમ કહેવાય પણ આમ માને છે. એવું ન કહેવાય. માટે જ યર્થાથપણે પ્રસિદ્ધ એવા જ અર્થોને જણાવનારું આ શાસન છે. ટીકામાં કહ્યું છે કે “સમયવિસ" રૂતિ વાત્ર ચડ્યાને યુદ્ધવિરાસનनामसर्वज्ञप्रणीतत्वप्रतिपादकत्वेन व्याख्येयम् । तथाहि-कुत्सिताः प्रमाणबाधितैकान्तस्वरूपार्थप्रतिपादकत्वेन, समया: कपिलादिसिद्धान्ताः, तेषां “सन्ति पञ्चमहब्भूया" (सूत्रकृतांग ૨-૨-૨-૭) રૂત્યાદ્રિ વવનસંર્મન gવષયે વિરોઘ ઘુમાવવૅર “વિશાસિન" = विध्वंसकं, यतः, अतो द्वादशांगमेवं "जिनानां शासनमिति" भवत्यतो विशेषणात् सर्वज्ञविशेषसिद्धिरिति स्थितमेतत्- जिनशासनं तत्त्वादेव सिद्धं निश्चितप्रामाण्यमिति । રૂ. સમયવિલાસ = કુત્સિત જે સમયો (દર્શનો) છે તેનું વિશાસન-નિરસન કરનારું આ શાસન છે કારણ કે કુત્સિત દર્શનો કોઈ પણ એક કે બે નયને જ એકાને ગ્રહણ કરીને જગતના સ્વરૂપની પ્રરૂપણા કરે છે. બાકીના નયની અવગણના કરે છે તેથી જ તે દર્શનો કુત્સિત-નિંદનીય-ત્યજવાલાયક અર્થાત્ અયથાર્થવાદવાળાં કહેવાય છે. જેમ કે બૌદ્ધદર્શન કહે છે કે “સર્વ ક્ષશ્વિમેવ' આમ કહેવામાં પર્યાયની અપેક્ષાએ ક્ષણિક્તા હોવા છતાં પણ દ્રવ્યની અપેક્ષાએ જે ધ્રુવતા (નિત્યતા) છે તેની અવગણના થાય છે માટે તે અયથાર્થવાદવાળું ૧. પણ શબ્દ બે વાર લેવો. એકવાર સિદ્ધ અર્થોને સારૂ કહેનાર આમ વિશેષણ તરીકે અને બીજીવાર આવા પ્રકારનું શાસન એમ વિશેષ્ય તરીકે લેવું. સિદ્ધ એવા અર્થોને ભાખનારૂં એવું શાસન. આવો અર્થ કરવો. ૨. જૈનમત - જિનમત વિગેરે શબ્દો સ્વગ્રંથોમાં જોવા મળે છે. ત્યાં “મત”નો અર્થ માન્ય અથવા ભાષિત એવો અર્થ કવો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy