________________
૩૭૧
સન્મતિપ્રકરણ
કાડ-૩ – ગાથા-૬૦ (૭) સંયોગ-આજુ-બાજુની પરિસ્થિતિ, વિદ્વાનોનો સંયોગ મળ્યો હોય ત્યારે, મુમુક્ષુ જીવોનો સંયોગ મળ્યો હોય ત્યારે, તત્ત્વજિજ્ઞાસુ જીવોનો પરસ્પર સંયોગ મળ્યો હોય ત્યારે અને પરસ્પર જિગીષભાવવાળા જીવોનો સંયોગ મળ્યો હોય ત્યારે ભિન્ન ભિન્ન રીતે તત્ત્વપ્રરૂપણા થાય છે.
| (૮) ભેદ એટલે પ્રકારો, પેટાવિભાગો, સ્કૂલબુદ્ધિવાળા શ્રોતાઓ સામે થોડા ભેદપ્રભેદ કરાય છે. અને સૂકમબુદ્ધિવાળા શ્રોતાઓની સામે ઘણા ભેદ-પ્રભેદ વાળી પણ તત્ત્વની પ્રરૂપણા કરાય છે.
જેમ એક જ રોગ (તાવ) હોવા છતાં બાલ-કુમાર-યુવાન અને પ્રૌઢને જ ગોળી, ગોળી, ૧ ગોળી કે ૨ ગોળી અપાય છે તેમ ઉપરોક્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પર્યાય-દેશસંયોગ અને ભેદ આદિ ભાવો જોઈને જેવા પ્રકારની તત્ત્વપ્રરૂપણા કરવાથી સ્વ-પરનો ઉપકાર થાય, જૈનશાસનની ઉન્નતિ થાય, ધર્મની પ્રશંસા થાય, સામેના જીવો પણ ધર્મ પામે તે રીતે અનુભવપ્રમાણે તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ. બાવીસ તીર્થંકર પરમાત્માના શાસનમાં જીવો ઋજુ અને પ્રાશ હોવાથી ચાર મહાવ્રતવાળી ધર્મપ્રરૂપણા હોય છે અને પ્રથમ તીર્થંકર પરમાત્માના શાસનમાં જીવો ઋજુ અને જડ હોવાથી તથા ચરમ તીર્થંકર પરમાત્માના શાસનમાં જીવો વક્ર અને જડ હોવાથી પાંચ મહાવ્રતવાળી ધર્મદેશના હોય છે. તથા ઈચ્છાકાર આદિ સામાચારીની પણ ભિન્ન ભિન્ન પ્રરૂપણા હોય છે. આ ભિન્ન ભિન્ન પ્રરૂપણા તત્ત્વના ભેદથી નથી. પરંતુ દ્રવ્ય-ક્ષેત્રાદિના ભેદથી છે. તેમ વર્તમાન કાલે પ્રરૂપક જીવે પણ આ ધ્યાન રાખવું જોઈએ.
સામાન્યના એકાન્તાગ્રહીની સામે વિશેષની વિશેષ પ્રરૂપણા હોય છે. અને વિશેષના એકાન્તાગ્રહની સામે સામાન્યની વિશેષ પ્રરૂપણા હોય છે. નિત્યના એકાન્તાગ્રહીની સામે અનિત્યની વિશેષ પ્રરૂપણા અને અનિત્યના એકાન્તાગ્રહીની સામે નિત્યની વિશેષ પ્રરૂપણા હોય છે. આમ સર્વત્ર સમજવું. “હમેવ ડમ્' કરાયું હોય તેને જ કરાયું કહેવાય એવા એકાન્ત આગ્રહી જમાલીને સમજાવવા માટે પરમાત્મા મહાવીર પ્રભુ કે જે બે નયની દષ્ટિવાળા અનેકાન્તવાદી હતા, છતાં પણ માને છે કરાતું હોય તેને પણ કર્યું કહેવાય એવી પ્રતિપક્ષી એકનયની પ્રધાનતાવાળી દેશના પરમાત્માએ કરી. આ રીતે દૃયમાં બન્ને નયોની અપેક્ષા તુલ્ય હોવા છતાં પણ લાભકારી થાય તેમ તત્ત્વપ્રરૂપણા કરવી. નિશ્ચયનયના એકાન્ત આગ્રહી જીવો નિશ્ચયનયની જ વારંવાર ભારપૂર્વક પ્રરૂપણા કરે છે. તપ-ક્રિયા-પૂજા આદિ અનુષ્ઠાનોને વારંવાર વખોડે છે. તેને પોષક “ઢi ના તા તયા” ઇત્યાદિ અનેક પાઠો સભા સમક્ષ ગાય છે. તેવી જ રીતે વ્યવહારનયના એકાન્તઆગ્રહી જીવો વ્યવહારનયની જ વારંવાર ભારપૂર્વક પ્રરૂપણા કરે છે અને જ્ઞાનને વખોડે છે. તથા તેને પોષક “નદ નું ચંતન મારવાદી” ઇત્યાદિ અનેક પાઠો સભા સમક્ષ વારંવાર ગાય છે. તે પોતાના એકાન્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org