SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ કાઠ-૩ – ગાથા-૬૧ સન્મતિપ્રકરણ પક્ષના જામેલા વિચારને જ વિસ્તારવાનો આશય છે સત્ય પ્રરૂપણા નથી. તેથી આત્માર્થી મુમુક્ષુ જીવે બન્ને નયોને હૃદયમાં રાખીને ઉપકારક થાય તે રીતે સાપેક્ષ ભાવપૂર્વક એકનયની દેશના આપવી. II૬oો. જ્યાં જે નયને પ્રધાન કરવાથી અને બીજાનયને ગૌણ કરવાથી સ્વ-પરનો ઉપકાર થાય તેમ હોય ત્યાં તે રીતે તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ. આ રીતે સ્વ-પરના ઉપકારભાવને ધ્યાનમાં રાખીને આગમ શાસ્ત્રોમાં કે પ્રકીર્ણકશાસ્ત્રોમાં કોઈ એક નયના એકાન્ત આગ્રહી જીવોના મિથ્યાત્વને દૂર કરવાના આશયથી તેના વિરોધી ભાવવાળા બીજા એક નયાશ્રિત સૂત્રપાઠો તથા તે તે નયની પ્રધાનતા અને ઈતરનયની ગૌણતાએ લખાયેલાં સૂત્રો જોઈને તેનો મર્મ અથવા આશય સમજ્યા વિના પોતાના એકાન્ત વિચારોને જ દોહરાવવા માટે તેવા તેવા પાઠ કંઠસ્થ કરીને તે એકજ નયનાં ગાણાં ગાવાં અને બીજા નયનો વારંવાર અપલાપ કરવો અથવા બીજા નયના અપલાપ માટે જ આ સૂત્રો આગળ ધરવાં અને તેના દ્વારા સૂત્રધર” નામ ધારણ કરી દુનીયામાં પંકાવું તે કલ્યાણકારી નથી. આત્મવંચના છે. આત્માને હિત કરનારી આ પ્રરૂપણા નથી. આ વાત ગ્રંથકારશ્રી ગંભીરતાપૂર્વક સમજાવે છે - पाडिक्कनयपहगयं, सुत्तं सुत्तहरसद्दसंतुट्ठा । अविकोवियसामत्था, जहागमविभत्तपडिवत्ती ॥ ६१ ॥ प्रत्येकनयपथगतं, सूत्रं सूत्रधरशब्दसन्तुष्टाः ।। अविकोविदसामर्थ्या यथागमविभक्तप्रतिपत्तयः ॥ ६१ ॥ ગાથાર્થ - એક એક નયના માર્ગને કહેનારાં (કારણવશાત્ સાપેક્ષભાવથી લખાયેલાં) સૂત્રને ભણીને “સૂત્રધર” શબ્દધારીપણા માત્રથી જ ખુશ ખુશ થયેલા કેટલાક પંડિત પુરૂષો વાસ્તવિકપણે સાચી પંડિતાઈના સામર્થ્ય વિનાના રહ્યા છતા આગમપાઠો જે અર્થમાં છે તે અર્થનો (સમજ્યા વિના) અવિવેકે સ્વીકાર કરનારા એટલે કે પાઠમાત્રના શબ્દ સ્પર્શી જ બને છે. “ઐદંપર્યાર્થિને નહી સમજનારા થાય છે. ૬૧ | વિવેચન - જૈનદર્શન હંમેશાં બન્ને નયોની દૃષ્ટિએ પદાર્થોનું ઉભયાત્મક સ્વરૂપ જેમ રહેલું છે. તેમ સમજાવે છે. અને વાસ્તવિક પણે પદાર્થોનું સ્વરૂપ તેવું સ્વાભાવિક પણે છે જ. આ પારિણામિકભાવ છે અને જે પદાર્થનું જેવું સ્વરૂપ છે તે પદાર્થનું તેવું સ્વરૂપ કહેવું. તે જ સાચો પથાર્થવાદ છે. સમ્યગ્દર્શન છે. જૈનદર્શન છે. જગતના ભાવો પોતાના પરિણામિકભાવે જ ઉભયાત્મક છે. માટે તેવા સમજવા જોઈએ અને તેવા જ વર્ણવવા જોઈએ. (૧) “ક્ષણિવ: સર્વલં :",(૨) “વિજ્ઞાનમાત્રવેલમ્', (૩)“પ્રાઈપ્રહજયશ્ચં તત્ત્વમ્',(૪) “નિત્યમેમgવ્યાપિ નિયિમ્'',(૨) “સારવ નિત્યમ્', Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy