________________
સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૬૦
૩૬૯ વાદી વસ્તુના યથાર્થ સ્વરૂપને સિંહગર્જનાપૂર્વક સિદ્ધ કરી શકે છે અને તે વાદી કોઈ પણ પ્રતિવાદીઓથી જીવાતો નથી. પણ તે સર્વ પ્રતિવાદીઓને જીતી લે છે. તેથી એકાન્ત અસભૂત વસ્તુને જે કહે છે તથા સદ્ભુત વસ્તુને પણ અસ્થિરહૃદયે જે કહે છે. તે બન્ને વાદીઓ વાદગોષ્ટીમાં હારી જાય છે. માટે બન્ને નય સાપેક્ષ અનેકાન્તવૃષ્ટિ પણ જરૂરી છે. અને તેના તરફનો નિઃશંકભાવ પણ અત્યન્ત જરૂરી છે. આ રીતે બન્ને નયોની સાપેક્ષતાયુક્ત દૃષ્ટિવાળા બનવું. . ૫૮-૫૯ //
ઉપરોક્ત ચર્ચાને અનુસાર રાજયસભામાં વાદવિવાદકાલે, અથવા મિત્રો સાથે ધર્મચર્ચાના અવસરે અથવા પાટ ઉપરથી વ્યાખ્યાન આપવાના કાલે કેવી રીતે તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ ? તેની રીતભાતનું વર્ણન પણ ગ્રંથકારશ્રી કહે છે.
दव्वं खित्तं कालं भावं पज्जाय-देस-संजोगे । भेदं च पडुच्च समा भावाणं पण्णवणपज्जा ।। ६० ॥ . . द्रव्यं क्षेत्रं कालं भावं पर्याय-देश-संयोगान् । भेदञ्च प्रतीत्य समा भावानां प्रज्ञापनापर्या ॥६० ॥
ગાથાર્થ - પદાર્થોની પ્રરૂપણા કરવાની પ્રજ્ઞા (બુદ્ધિ) દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ-પર્યાયદેશ-સંયોગ અને ભેદને આશ્રયીને જો પ્રવર્તે, તો જ તે સમા છે. સીધી છે કલ્યાણ કરનારી છે. ૬૦
ટીકાનો પાઠ - દ્રવ્ય-ક્ષેત્ર-વ-ભાવ-પર્યાય-તેજી-સંયો મે ત્યઠ્ઠી માવાનાશ્રિત્ય वस्तुनो भेदे सति समा-सर्ववस्तुविषयायाः प्रज्ञापनायाः स्याद्वादरूपायाः पर्या = पन्थाः मार्ग इति यावत् ॥
વિવેચન - જ્યારે જ્યારે તત્ત્વની પ્રરૂપણા કરવાનો અવસર આવે છે. ત્યારે ત્યારે સર્વત્ર એક સરખી રીતે સમાન પણે તત્ત્વોની પ્રરૂપણા કરાતી નથી. તત્ત્વનું સ્વરૂપ એક જ પ્રકારનું છે. સત્ય સદા એક જ હોય છે. આમ હોવા છતાં અવસરને ઉચિતપણે પરસ્પર સ્વ-પરનો ઉપકાર થાય તે રીતે તથા તત્ત્વના સ્વરૂપની હાનિ કે અવહેલના જરા પણ ન થઈ જાય તે રીતે તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ. તત્ત્વવાર્તા રજુ કરવાની રીત એક સરખી સમાન હોતી નથી. તેથી દ્રવ્ય-ક્ષેત્ર કાલાદિ ભાવોને જોઈને સ્વ-પરનો ઉપકાર થાય તે રીતે પ્રરૂપક આત્માએ તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ.
- (૧) જેની સામે તત્ત્વની પ્રરૂપણા કરવી છે તે દ્રવ્યની પાત્રતા યોગ્યતા જોઈને જ પ્રરૂપણા કરવી હિતકારી છે. જેમકે ૫ થી ૧૫ વર્ષનાં બાળકોની સામે, ૧૫ થી ૨૫ વર્ષના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org