________________
૩૬૮
કાણ્ડ-૩ - ગાથા-૫૮-૫૯
સન્મતિપ્રકરણ
કોઈ પણ એકસ્વરૂપનો અપલાપ કરીને બીજી બાજુના સ્વરૂપને એકાન્તપણે સમજાવનારો વાદી ગમે તેટલો પાવરધા હોય અને હોંશિયાર હોય તો પણ અલ્પાંશગ્રાહી હોવાથી “અસદ્ભૂત” ને કહેનારો બની જાય છે. આ રીતે એકાન્તે અસદ્ભૂત (મિથ્યા) સ્વરૂપને કહેનારો વાદી, પ્રતિવાદી દ્વારા અવશ્ય હાર ખાય છે અને લૌકિક પુરૂષો (વ્યવહારજ્ઞ તટસ્થસભ્ય પુરૂષો)ની દૃષ્ટિમાંથી અને પરીક્ષક પુરૂષો (શાસ્ત્રજ્ઞ-ગીતાર્થ પુરૂષો)ની દૃષ્ટિમાંથી તે વાદી ઉતરી જાય છે તેઓની દૃષ્ટિએ આવા પ્રકારનો એક તરફની દૃષ્ટિવાળો પુરૂષ નિંદાનું પાત્ર બને છે કારણ કે વસ્તુનું સાચુ અને પરિપૂર્ણ સ્વરૂપ જેવું છે તેવું તે સમજતો પણ નથી અને સમજાવતો પણનથી.
પ્રશ્ન - જે વાદી બન્ને નયોથી ઉભયાત્મક એવું વસ્તુનુ સ્વરૂપ જેવું છે તેવું જ જાણે છે. સ્વીકારે છે. સમજી લે છે પરંતુ વાદોષ્ટિમાં સભાક્ષોભથી કે આકુલવ્યાકુલતાથી કે પોતાને સૂક્ષ્મ એવી સંદગ્ધિતા હોવાથી સંદગ્ધિભાવે જ વસ્તુસ્વરૂપ સિદ્ધ કરે જેમ કે બૌદ્ધ કદાચ એમ કહે કે સર્વ વસ્તુ છે તો ક્ષણિક પણ એકલી ક્ષણિકતા માનવામાં પૂર્વાપરાનુસંધાન ઘટતું નથી અને અનેક દોષો આવે છે. માટે નિત્યતા-ધ્રુવતા પણ કદાચ હશે. એમ ક્ષણિકતા તથા નિત્યતા બન્ને સ્વીકારે તો તે વાદીનો શું વિજય થાય ? ના, ન થાય, કારણ કે તે વાદીએ બન્ને સ્વરૂપ સ્વીકાર્યાં ખરાં. પણ સંદિગ્ધભાવે સ્વીકાર્યાં. નિશ્ચિતભાવે ન સ્વીકાર્યાં. તેથી સદ્ભૂત વસ્તુને (યથાર્થ વસ્તુને) ઉભયાત્મક ભાવે માનવા છતાં પણ જો સંદિગ્ધભાવે માનવામાં આવે તો હૈયુ પરિપૂર્ણ કબૂલાતવાળું ન હોવાથી તે વાદી પણ વાત-વાતમાં સંદિગ્ધ થઈ જવાથી લૌકિક અને શાસ્ત્રજ્ઞ પુરૂષોની દૃષ્ટિમાંથી ઉતરી જાય છે. માન ખોઈ બેસે છે. હારી જાય છે અને નિંદનીય પણાને પામે છે.
ટીકાનો પાઠ - આસ્તાં તાવત્ ાનેન અસદ્ભૂતમ્ = અસત્યમ્, સદ્ભૂતપિ અનિશ્ચિતં वदन् वादी लौकिकानां परीक्षकाणां च वचनीयमार्गं पतति । ततः अनेकान्तात्मकाद् हेतोः तथाभूतमेव साध्यधर्मिणं साधयन् वादी सद्वादी स्यादिति, तथैव साध्याविनाभूतो हेतुर्धर्मिणि तेन प्रदर्शनीयः तत्प्रदर्शनेन च हेतोः सपक्ष-विपक्षयोः सदसत्त्वमवश्यं प्रदर्शनीयम् = इति यदुच्यते परैः तदपास्तं भवति, तावन्मात्रादेव साध्यप्रतिपत्तेः ||
આ કારણથી અસદ્ભૂત વસ્તુ માનવી (એકાન્તાગ્રહવાળી એકબાજુના જ સ્વરૂપવાળી વસ્તુ માનવી) કે સદ્ભૂતવસ્તુને પણ સંદિગ્ધપણે માનવી. (વસ્તુના ઉભયાત્મક યથાર્થ સ્વરૂપને પણ ડગમગ હૃદય-અસ્થિરપણે-સંદેહભાવયુક્ત માનવી) તે બન્ને ખોટું છે. નિંદાનું જ કારણ બને છે. તેનાથી હાર જ પ્રાપ્ત થાય છે. તેથી કેવળ એકલી “અનેકાન્તદૃષ્ટિની જ” જરૂર છે એમ નહીં પણ તેની સાથે સાથે “અસંદિગ્ધપણું” નિઃશંકપણું (નિશ્ચયાત્મક પણું) પણ તેટલું જ જરૂરી છે. અનેકાન્તદૃષ્ટિ અને નિઃશંકતા આ બન્ને ભાવો જો હૃદયમાં હોય તો જ વાદગોષ્ટિમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org