SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ કાઠ-૩ – ગાથા-૫૪-૫૫ * ૩પ૬ સન્મતિપ્રકરણ છે. એકાન્તાગ્રહો જીવને પોતાની આધ્યાત્મિક વિકાસયાત્રામાં ઘણો જ અવરોધ કરનારા છે. આ એકાન્તાગ્રહોમાંથી જ જુદા જુદા ૬ દર્શનોની ઉત્પત્તિ થઈ છે. (૧) “આત્મા જેવું” કોઈ તત્વ જ નથી. આવી માન્યતા તે મિથ્યાત્વનું પ્રથમ સ્થાન છે. આ વિચારસરણીમાંથી જ ચાર્વાક દર્શન પ્રગટ થયું છે. તેઓનું કહેવું છે કે “ચૈતન્ય ગુણ” વાળો એક આત્મા નામનો ઉદેશ્ય અને અરૂપી પદાર્થ છે અને તે પૂર્વભવથી આવે છે. તથા ભવાન્તરમાં જાય છે. આ બધી વાત મિથ્યા છે. કલ્પનામાત્ર છે. વાસ્તવિક નથી. આત્મા જેવું કોઈ દ્રવ્ય છે જ નહીં. પૃથ્વી-પાણી-તેજ-વાયુ અને આકાશ આ પાંચ ભૂત પદાર્થો જ આ સંસારમાં છે. તેના પરસ્પરમીલનથી તેમાં ચેતના પ્રગટે છે. જેથી સુખ-દુઃખહર્ષ-શોકાદિ લાગણીઓ થાય છે. જેમાં તેલ-કોડીયુ, વાટ, માચીસ અને અનુકુળપવન આ પાંચ વસ્તુઓ પરસ્પર મળવાથી દીપક પ્રગટ થાય છે અને ઉપરોક્ત પાંચ પદાર્થોમાંથી તેલ - કે વાટ આદિ કોઈ પણ એક પદાર્થ ખુટી પડતાં તે જ દીપક બુઝાઈ જાય છે. આ દીપક ક્યાંયથી આવતો નથી અને બુઝાઈને ક્યાંય જતો નથી. તેમ પાંચભૂતોના મીલનથી ચેતના પ્રગટ થાય છે અને એક-બે ભૂત ખુટી પડવાથી ચેતના (જ્ઞાનશક્તિ) નાશ પામે છે. આમ જ વસ્તુસ્વરૂપ છે. પરંતુ ચેતનાવાળો આત્મા નામનો દ્રવ્યાત્મક સ્વતંત્ર કોઈ પદાર્થ નથી. આ માન્યતા બૃહસ્પતિ ઋષિની છે. તેમનાથી થયેલા આ દર્શનને ચાર્વાક દર્શન કહેવાય છે. તેમના વિચારને અનુસરનારો અનુયાયી વર્ગ ચાર્વાકદર્શનવાળો કહેવાય છે. હવે જો આત્મા જ નથી. તો તે નિત્ય છે અને કર્મને કરે છે અને કર્મને ભોગવે છે ઇત્યાદિ કોઈ વાત માનવાની રહેતી જ નથી આ પ્રમાણે “આત્મા નથી” એ નામનું મિથ્યાત્વનું આ પ્રથમ સ્થાન છે. આત્મા નથી” આવું જ જ્યારે માનવામાં આવે છે. ત્યારે તેની શુદ્ધિનો પ્રયત્ન કે આધ્યાત્મિક વિકાસ કરવાનો રહેતો જ નથી. કારણ કે જીવ જેવું જો કોઈ દ્રવ્ય જ નથી. તો પૂર્વજન્મ કે પુનર્જન્મ જેવું કંઈ રહેતું જ નથી. કર્મ કે કર્મજન્ય દુઃખ-સુખ પણ રહેતાં જ નથી. તેથી શુદ્ધિ કરવાની અને અશુદ્ધિ ટાળવાની પણ રહેતી જ નથી. આ આગ્રહ આધ્યાત્મિક વિકાસયાત્રાનો સૌથી પ્રથમ બાધક છે. સૌથી મોટુ મિથ્યાત્વ છે. આ જ દર્શનને નાસ્તિકદર્શન પણ કહેવાય છે. (૨) “આત્મા તો છે પણ તે નિત્ય નથી અર્થાત્ ક્ષણિક છે.” આ મિથ્યાત્વનું બીજું સ્થાન છે. આ વિચારસરણીમાંથી જ બૌદ્ધદર્શન પ્રગટ થયું છે. તેઓનું કહેવું છે કે “સર્વ ક્ષણમ્' સંસારની સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે. તેથી આત્મા પણ ક્ષણિક છે. આત્મા નામનો પદાર્થ તો છે. પણ તે માત્ર ક્ષણજીવી જ છે. હવે જો પ્રત્યેક આત્માને એકક્ષણ માત્ર જ રહેવાનું હોય અને બીજા ક્ષણે નિરન્વયનાશ (સંપૂર્ણપણે નાશ) જ પામવાનું હોય તો બીજા ક્ષણે આ જીવનું અસ્તિત્વ જ રહેતું નથી. ધર્મકાર્યો કરીને આત્મશુદ્ધિ મેળવવા દ્વારા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy