SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ડ-૩ – ગાથા-૫૩ ૩૫ર સન્મતિપ્રકરણ આવિર્ભાવ કરવા પુરૂષાર્થની જરૂરિયાત રહે જ છે. તેથી છઘલ્વે ક્રમબદ્ધ પર્યાયને પ્રધાન કરીને પુરૂષાર્થનો ત્યાગ કરવો જોઈએ નહીં. તથા ઉત્પત્તિની અપેક્ષાએ કારણમાં કાર્ય જે અસત્ સમજાવવામાં આવ્યું છે. તે પર્યાયાર્થિકનય છે. પર્યાયસ્વરૂપે કાર્ય હજુ પ્રગટ થયું નથી તેને કરવું પડે છે. તેથી દંડચક્રાદિની સામગ્રીની અને પ્રયત્નવિશેષની આવશ્યકતા પણ રહે છે. તેનાથી જ તે તે કાર્ય ઉત્પન્ન થાય છે. પ્રગટ થાય છે. માટે કાર્ય ઉત્પન્ન થયા પહેલાં માટી - તતુમાં કારણકાલે ઘટ-પટ કાર્ય આવિર્ભાવ રૂપે અસત્ છે અર્થાત્ નથી. તેથી જ તેના જલાધારાદિ અને શરીરાચ્છાદનાદિ વ્યવહારો થતા નથી. આ પર્યાયાર્થિકાય છે. આમ બન્ને નયોને સાપેક્ષ રાખીને સ-અસત્ ઉભયવાદ માનવો તે જ સાચો માર્ગ છે. // ૫૧-૫૨ / ખરેખર તો સર્વત્ર આ એકાન્તવાદ જે માનવામાં આવે છે. તે જ સર્વથા ખોટો છે. અનેકાન્તવાદ વાળી દૃષ્ટિ જ સાચી છે. આ વાતને સચોટપણે સાબિત કરવા માટે જેમ “સ-અસ” અને “ભેદ-અભેદ”ના એકાન્તવાદનું નિરસન કર્યું. તેમ કાલ-સ્વભાવ-નિયતિપૂર્વકૃત કર્મ અને પુરૂષ આ પાંચ કારણોના પણ એકાન્તવાદો મિથ્યા જ છે. તે સમજાવતાં કહે છે કે – कालो सहाव णियई, पुवकयं पुरिसकारणेगंता । मिच्छत्तं ते चेव उव्वं, समासओ होति सम्मत्तं ।। ५३ ।। कालस्स्वभावो नियतिः पूर्वकृतं पुरुषकारणैकान्ताः । मिथ्यात्वं ते चैवापूर्वं समासतो भवति सम्यक्त्वम् ।। ५३ ।। ગાથાર્થ - કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષ (જીવ) આ પાંચે - કારણોના તે તે એકાન્તવાદો મિથ્યાત્વ છે. પરંતુ તેઓનો પરસ્પર સમન્વય કરવાથી તે પાંચે વાદો અપૂર્વ સભ્યત્વભાવને પામે છે. જે પ૩ || ટીકાનો પાઠ - ન-સ્વભાવ-નિયતિ-પૂર્વ-પુરુષIRIST: પાન્તા: સર્વેપિ एकका मिथ्यात्वम् । त एव समुदिताः परस्पराजहवृत्तयः सम्यक्त्वरूपतां प्रतिपद्यन्ते इति તાત્યર્થ છે વિવેચન - “એકાન્તવાદ” નો આગ્રહ જ ભયંકર છે. દુઃખદાયી છે. મિથ્યાત્વ છે. અયથાર્થ છે. સર્વે પણ ભાવો સત્-અસત્, ભેદ-અભેદ, સામાન્ય-વિશેષ, નિત્ય-અનિત્ય, વાચ્ય-અવાચ્ય, એમ ઉભયાત્મક છે અનેકાન્તાત્મક છે. જે વસ્તુ જેમ છે તે વસ્તુ તેમ માનવામાં જ ડહાપણ છે. બુદ્ધિ છે. સમ્યગ્દર્શન છે. આ વિષય ઉપર કાલાદિ પાંચ કારણોના એકાન્ત - અનેકાન્તવાદની ચર્ચા ગ્રંથકારશ્રી કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy