________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૫૧-પર
૩૫૧ પ્રયત્નવિશેષની આવશ્યકતા અવશ્ય રહે જ છે. તથા તે તે કાર્ય બન્યા પહેલાં કાર્યસંબંધી જલાધારાદિ કે શરીરાચ્છાદનાદિ વ્યવહારો થતા નથી. કારણ કે તિરોભાવે હોવા છતાં પણ ઉત્પત્તિરૂપે એટલે કે આવિર્ભાવ રૂપે તે તે કાર્યો હજુ કારણકાલે થયાં નથી. આમ જો શક્તિની અપેક્ષાએ સત્ અને ઉત્પત્તિની અપેક્ષાએ અસત્ એમ બન્ને દૃષ્ટિ માનવામાં આવે અને તે બન્નેનો યથાસ્થાને સમન્વય કરવામાં આવે તો કોઈ દોષો સંભવતા નથી. નિર્દોષ અનુપમ સમ્યગ્દર્શન બની જાય છે.
આ જ વાત એક ઉદાહરણ આપીને પરમી ગાથામાં સમજાવે છે કે જે માટી છે તેનાથી ભિન્ન (એટલે કે જુદો) ઘટ બનતો નથી. પણ માટી પોતે જ ઘટપણે પરિણામ પામે છે. તેથી માટીથી ઘટ ભિન્ન નથી. જો ભિન્ન હોત તો ૧ કિલો માટીના બનાવેલા ઘટનું વજન ૧ કિલો માટી અને ૧ કિલો ઘટ બનવાથી ૨ કિલો વજન થવું જોઈએ તથા ઘટ અને માટી બે પદાર્થ દેખાવા જોઈએ. પણ વજન ડબલ થતું નથી અને બે પદાર્થો જુદા જુદા હોય એમ દેખાતું પણ નથી. તેથી કાર્ય-કારણ અભિન્ન છે. અને કારણમાં જ કાર્ય સત્ છે. અન્યત્ર તે કાર્ય સત્ નથી તથા પૂર્વકાલમાં એટલે કે માટીના કાલમાં ઘટ પ્રગટ થયેલો જણાતો પણ નથી અને ઘટસંબંધી જલાધારાદિ વ્યવહારો થતા પણ નથી. તેથી માટીથી ઘટ કંઈક ભિન્ન પણ છે. જો માટી અને ઘટ સર્વથા અભિન્ન જ હોત તો માટીકાલે પણ ઘટ દેખાવો જોઈએ અને ઘટના જલાધારાદિ વ્યવહારો પણ થવા જોઈએ. પરંતુ તે ઘટ દેખાતો નથી. તથા વ્યવહારો પણ સંભવતા નથી. ઘટદર્શન અને ઘટસંબંધી વ્યવહારોનો સંભવ ઘટકાલે જ થાય છે, માટે માટીથી ઘટ કંઈક ભિન્ન પણ છે. તેથી માટીકાલે ઘટ તિરોભાવની અપેક્ષાએ સત્ અને આવિર્ભાવની અપેક્ષાએ અસત્ છે તેથી જ સામગ્રીથી ઉત્પન્ન થાય છે.
આ રીતે “સત્ - અસત્” એમ ઉભય માનવામાં તથા કાર્ય-કારણ “ભિન્ન - અભિન્ન” એમ ઉભય માનવામાં જ યથાર્થવાદ છે નિર્દોષતા છે. આ જ સાચો માર્ગ છે. અનુપમ એવી સાચી દષ્ટિ છે સમ્યગ્દર્શન છે આ જ જૈનદર્શન છે.
શક્તિની અપેક્ષાએ કારણમાં કાર્ય જે સત સમજાવવામાં આવ્યું છે. તે દ્રવ્યાર્થિકનય છે. દ્રવ્ય પોતે તે તે પર્યાય પામવાની શક્તિ ધરાવે છે તેથી ભૂત-ભાવિના તમામ પર્યાયો શક્તિની અપેક્ષાએ અર્થાત્ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ દ્રવ્યમાં છતા છે. સત્ છે અભિન્ન છે. તેથી વિવક્ષિત એવું કોઈ પણ એક દ્રવ્ય ભૂતકાળમાં પસાર કરેલા અને ભાવિમાં આવવાવાળા સર્વ પર્યાયોથી તિરોભાવે ભરેલું છે. અનંત પર્યાયવાળું દ્રવ્ય છે. અતીત અને અનાગત એમ સર્વે પર્યાયો દ્રવ્યમાં તિરોભાવે વિદ્યમાન છે. સત્ છે. અને તેથી જ સર્વજ્ઞ કેવલી ભગવંતો દ્રવ્યમાં રહેલા છે તે અનંત પર્યાયોને જોઈ શકે છે. આ કારણે જ ક્રમબદ્ધપર્યાય પણ છે જ. પરંતુ તે કેવલી ભગવાનના કેવળજ્ઞાનમાં ઝળકે છે અને વસ્તુમાં તિરોભાવે રહેલા છે. તેનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org