SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૪૮-૪૯ - વૈશેષિકાદિ દર્શનકારો નિત્ય અને અનિત્ય એમ ઉભય માનતા હોવા છતાં પરસ્પર નિરપેક્ષ માનતા હોવાથી જુદા-જુદા સ્થાને નિત્ય અને અનિત્ય માને છે. પણ એક જ સ્થાને બન્ને સાપેક્ષભાવે સાથે હોય તેમ માનતા નથી. તેવી જ રીતે સામાન્ય અને વિશેષની બાબતમાં પણ જાણવું. તેઓ સામાન્ય અને વિશેષ આમ બન્ને માને છે. પરંતુ તે બન્ને પરસ્પર એકલા એકલા સ્વતંત્ર છે આમ માને છે. સાપેક્ષપણે બન્ને એકી સાથે હોય તેમ માનતા નથી તેથી મિથ્યાષ્ટિ છે. નવ દ્રવ્ય, ચોવીસ ગુણો અને પાંચ ક્રિયા આટલા પદાર્થમાં સામાન્ય (સત્તા) રહે છે ત્યાં વિશેષ રહેતું જ નથી. વિશેષ વિનાનું કેવલ એકલું સામાન્ય જ રહે છે. અને વિશેષો નિત્યદ્રવ્યવૃત્તિ છે ત્યાં સામાન્ય રહેતું નથી. આમ પરસ્પર નિરપેક્ષ એવા સામાન્ય-વિશેષ છે આમ માનતા હોવાથી એકાન્તવાદી બનવાથી અને જગતનું સ્વરૂપ તેવું ન હોવાથી મિથ્યાદૃષ્ટિ છે. જૈનદર્શન આ બાબતમાં એમ જણાવે છે કે જગતના સઘળા ય પણ ભાવો અભેદદૃષ્ટિએ સામાન્યાત્મક પણ છે. અને ભેદદષ્ટિએ વિશેષાત્મક પણ છે. જે સામાન્યાત્મક છે તે જ બીજાનયની અપેક્ષાએ વિશેષાત્મક પણ છે અને જે વિશેષાત્મક છે તે જ અન્યાયની અપેક્ષાએ સામાન્યાત્મક પણ છે. સર્વત્ર સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મકપણું છે. તથા વળી - “સામાન્ય અને વિશેષ” નામના સ્વતંત્ર બે પદાર્થો છે અને તે દ્રવ્યગુણ-કર્મથી તથા સમવાય-અભાવથી અલગ પદાર્થ છે. અને પોતપોતાના આધારભૂત દ્રવ્યોમાં સમવાયસંબંધથી રહે છે. આમ પણ વૈશેષિકાદિ માને છે. હકીકતથી જોઈએ તો આવા પ્રકારના સ્વતંત્ર કોઈ બે પદાર્થો છે જ નહીં. કારણ કે સામાન્ય અને વિશેષ આ બન્ને સર્વે દ્રવ્યોના ધર્મો છે. એટલે કે તે બન્ને સ્વતંત્ર ધર્મ નથી પણ ધર્મ છે. પદાર્થ નથી પણ જીવ પુદ્ગલાદિ પદાર્થોના ધર્મ છે. પદાર્થોનું સામાન્યાત્મક અને વિશેષાત્મક સ્વરૂપ છે. તેથી સર્વે પદાર્થો પોતે જ સામાન્યાત્મક (સામાન્ય ધર્મવાળા) અને વિશેષાત્મક (વિશેષ ધર્મવાળા) છે. આ રીતે સામાન્ય અને વિશેષ એ સ્વતંત્ર પદાર્થો નથી તેથી તેઓને જોડવા માટે સમવાયસંબંધ માનવાની પણ જરૂર રહેતી નથી. જૈનદર્શનકાર તીર્થકર ભગવંતો આમ કહે છે અને જગતમાં રહેલા સઘળા પણ પદાર્થો આ રીતે જ છે. તથા પ્રત્યક્ષ પણ આમ જ જણાય છે. આ કારણે વૈશેષિકાદિ દર્શનકારો એકાન્તવાદી હોવાથી તથા સ્વતંત્રપણે પદાર્થય માનતા હોવાથી અને જગતમાં તેમ ન હોવાથી તેઓ મિથ્યાવાદી છે. મિથ્યાદૃષ્ટિ છે. તે ૪૮-૪૯ / એકાન્ત સત્કાર્યવાદ કે એકાન્ત અસત્કાર્યવાદમાં આવતા દોષો - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy