________________
સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૪૮-૪૯
૩૪૩ છે, વિરોધ કરનારી તે દ્રષ્ટિ છે. તે બન્ને દર્શનો એક બીજાની માન્યતાનું જોરશોરથી નિરસન કરે છે માટે વૈરાયમાણવૃત્તિ વાળાં આ દર્શનો છે.
જૈનદર્શન આ જ બન્ને વાતોનો સાપેક્ષપણે બન્ને નય લગાડીને સમન્વય સાધે છે. જૈનદર્શન કહે છે કે આત્મા આદિ સઘળા પણ પદાર્થો દ્રવ્યરૂપે (પદાર્થરૂપે) કોઈએ બનાવ્યા નથી અને કોઈ તેનો નાશ કરનાર નથી. સહજપણે સ્વયં અનાદિના છે અને અનંતકાળ રહેશે માટે નિત્ય છે. અને પ્રતિસમયે પર્યાયરૂપે પલટાતા પણ છે કોઈ એક સમય એવો જતો નથી કે તે દ્રવ્યોમાં ગુણોની હિનાધિકતા થવારૂપ અથવા રૂપાન્તરતા થવારૂપ પર્યાયો પલટાયા ન હોય. તેથી પ્રતિસમયે અવશ્ય સર્વે પણ દ્રવ્યો પલટાય જ છે. માટે પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે. આ જૈનદર્શન પરસ્પર વિરોધી લાગતી બાબતોનો પણ સાપેક્ષભાવ લગાડીને સમન્વય તરફ આગળ વધે છે. તેથી સંકલેશને શમાવનાર છે.
આત્મા આદિ પદાર્થોને એકાન્ત નિત્ય માનવામાં પ્રતિક્ષણે તેમાં થતું પર્યાયોનું જે પરિવર્તન છે તેનો અપલોપ થઈ જાય છે. એટલે પદાર્થના વાસ્તવિક સ્વરૂપને કહેનારૂં તે દર્શન રહેતું નથી. એવી જ રીતે એકાન્ત અનિત્ય (માત્રક્ષણવત) માનવામાં પણ દ્રવ્યાશ્રયી જે ધૃવત્વ છે. તેનો અપલોપ થઈ જાય છે. તેથી તે દર્શન પણ વસ્તુગત યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદક રહેતું નથી. અન્ને આ ધૃવત્વ ઘટાવવા તે બૌદ્ધદર્શનને “વાસના અથવા સંતાન” ની કલ્પના કરવી જ પડે છે. તે વાસના અથવા સંતાનને જો નિત્ય માને તો સર્વવસ્તુઓ ક્ષણિક છે એવો પોતે માનેલો ક્ષણિકવાદ જ ઉડી જાય છે અને જો અનિત્ય માને તો ક્ષણપરંપરાથી સંતાન કે વાસના જેવો કોઈ અલગ પદાર્થ સિદ્ધ જ થતો નથી. તેથી તે પણ એકાત ક્ષણિક જ થઈ જાય છે.
આમ આ બધાં જ દર્શનોમાં એકાતે એક એક તત્ત્વ જ સ્વીકારાયું હોવાથી બીજી બાજુના સ્વરૂપનો અપલાપ જ કરનારી આ દૃષ્ટિઓ છે. તેથી અપૂર્ણ છે. અયથાર્થ છે અને પરસ્પર વિરોધ કરનારી છે. અને આ બધી દૃષ્ટિઓ (દર્શન) મિથ્યાષ્ટિ છે. આમ સર્વે પણ દર્શનો એકાન્ત એક એક અંશસ્પર્શી જ માત્ર હોવાથી ઈતરઅંશના અપક્ષાપક હોવાથી વસ્તુના યથાર્થસ્વરૂપના પ્રતિપાદક થતા નથી માટે મિથ્યાષ્ટિ છે.
જૈનદર્શન સાપેક્ષભાવે ઉભયસ્વરૂપનું પ્રતિપાદક હોવાથી વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને સમજાવનાર બને છે. માટે સમ્યગ્દર્શન છે સાચુ દર્શન છે. યથાર્થ દર્શન છે.
ટીકાનો પાઠ - ખ્યાપિ વ્યાર્થિવ પર્યાયાર્થિનયાભ્યાં પ્રd શાસ્ત્રમ્ ૩નૂન वैशेषिकशास्त्रप्रणेत्रा, द्रव्यगुणादेः पदार्थषट्कस्य नित्यानित्यैकान्तरूपस्य तत्र प्रतिपादनात् ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org