SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૩ – ગાથા-૪૨ ૩૨૯ જીવના સ્વભાવભૂત પારિણામિકભાવના અનેક અનેક પર્યાયોનો નાશ અને ઉત્પાદ થાય છે. સિદ્ધ પરમાત્મામાં ક્ષાયિક ભાવ હોવાથી ઔયિક અને ક્ષાયોપશમિક ભાવના પર્યાયો હોતા નથી પરંતુ જગર્તી સમસ્તદ્રવ્યો પરિણામી સ્વભાવવાળાં હોવાથી સર્વદ્રવ્યોનું પરિણમન તેમના કેવલજ્ઞાન-કેવલદર્શનમાં ઝળકે છે તેથી જ્ઞેયદ્રવ્યોના જેટલા જેટલા પર્યાયો એક સમયમાં બદલાય છે તે સર્વેને બદલાતા પણે કેવલજ્ઞાન-કેવલદર્શનથી તેઓશ્રી જાણતા-જોતા હોવાથી તેઓનું કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ ઉપયોગ રૂપે પ્રતિસમયે તેટલા તેટલા પર્યાયો પામતું હોવાથી ત્યાં પણ અનંત અનંત પર્યાયોના ઉત્પાદ-નાશ રહેલા છે. પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ રાસમાં કહ્યું છે કે - જે જ્ઞેયાકારઈ પરિણમઈ, જ્ઞાનાદિક નિજ પર્યાય રે, વ્યતિરેકઈ તેહથી સિદ્ધનઈ, તિયલક્ષણ ઈમ પણિ થાઈ રે. જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૧૬ ॥ નિજ પરપર્યાયઈ એકદા, બહુસંબંધઈ બહુ રૂપ રે । ઉત્પત્તિ-નાશ ઈમ સંભવઈ, નિયમઈ તિહાં ધ્રૌવ્ય સ્વરૂપ રે । જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૧૮ | સિદ્ધ પરમાત્માના કેવલજ્ઞાન-કેવલદર્શનાદિ જે પોતાના પર્યાયો છે કે જે પ્રતિસમયે શેયાકારે ઉપયોગ સ્વરૂપે પરિણામ પામે છે. તેથી સિદ્ધ પરમાત્માને પણ આ રીતે ક્ષાયિકભાવે ઉત્પાદાદિ ત્રણ લક્ષણ સંભવે છે. પ્રત્યેકદ્રવ્યોમાં એક એક સમયમાં સ્વ અને પર પર્યાયની અપેક્ષાએ એક જ કાલે બહુ પ્રકારના સંબંધોને લીધે બહુ પ્રકારના ઉત્પત્તિ-અને નાશ સંભવે છે તથા નક્કી તેટલી ધ્રુવતા પણ અવશ્ય સંભવે છે. II ૯-૧૬, ૯-૧૮ ॥ આ જીવ દ્રવ્યના અનંત અનંત ઉત્પાદ-વ્યય રૂપ પર્યાયો સમજાવ્યા. હવે પુદ્ગલદ્રવ્યના અનંત અનંત પર્યાયો પ્રતિસમયે સમજાવે છે. Jain Educationa International પુદ્ગલદ્રવ્યમાં પણ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન-પુરણ અને ગલન વિગેરે ધર્મોની અપેક્ષાએ એક જ સમયમાં અનેક ગુણોની હાનિ-વૃદ્ધિ થવા રૂપે અથવા રૂપાન્તર થવા સ્વરૂપે તે તે પુદ્ગલ દ્રવ્યમાં પણ અનેક પર્યાયોના નાશ અને ઉત્પાદ એક સમયમાં થાય છે. ધર્મઅધર્મ-આકાશ દ્રવ્યમાં પણ પ્રતિસમયે અનંતા અનંતા ઉત્પાદ-નાશ રહેલા છે. કારણ કે અનંત જીવો અને અનંત પુદ્ગલો એક એક સમયમાં ગમનાગમન, સ્થિરીભાવ અને અવગાહના લેવાનું કામ કરે છે. અને સહાય લેનારાં તે તે જીવ-પુદ્ગલો પણ બદલાતાં જ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy