________________
૩૨૮ કાર્ડ-૩ – ગાથા-૪૨
સન્મતિપ્રકરણ ૩ વય: = જે સમયે કાયાના તથા મનના પર્યાયો ઉત્પન્ન થાય છે. તે જ સમયે જ્યારે ભાષા પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારથી વચન પર્યાપ્તિ નામકર્મના ઉદયથી ભાષાવર્ગણાનાં પુગલો ગ્રહણ કરીને જુદા જુદા વચનો રૂપે પરિણમાવીને ભાષારૂપે છોડવા રૂપે વચન સંબંધી પણ ઔદયિકભાવના અનેક પર્યાયો થાય છે.
૪ વિશ્વરિયા = મન-વચન-કાયાના પુગલોના પરિણમનાત્મક પર્યાયોની સાથે સાથે તે જ સમયમાં કાયાની સાત ધાતુઓની રૂપાન્તર થવા રૂપ ક્રિયા, રૂધિરાદિની ગમનાગમનાત્મક ગતિ, શરીરની પણ હલનચલનાત્મક ક્રિયા, આમ ક્રિયા સંબંધી પણ અનેક પર્યાયો પ્રતિસમયે થતા જ રહે છે.
૫ રૂવાડુિં =શરીરની ચામડી, માંસ, રૂધિર, ચરબી આદિ તમામ પુદ્ગલોમાં પણ વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ઇત્યાદિ પૌગલિક ગુણોનું પરિવર્તન થવારૂપ, અનેકવિધ ઔદયિકભાવના રૂપાદિ ગુણસંબંધી પર્યાયો પણ તે જ સમયે ચાલુ હોય છે.
૬ વિશેષ = આ જીવ એક ગતિ (ભવ) પૂર્ણ કરીને બીજી ગતિમાં (ભવમાં) જતાંની સાથે જ આ ચાલુ ભવસંબંધી તમામ પર્યાયોનો નાશ થાય છે. અને નવા ભવ સંબંધી આહાર-શરીર-સ્વરૂપ-હાવભાવ વિગેરે પર્યાયોનો ઉત્પાદ થાય છે અને નવા ભવમાં પણ પ્રતિસમયે તે ભવસંબંધી પર્યાય પરિવર્તન પામતા જ રહે છે.
૭ સંયોગ બેય = પ્રતિસમયે જુદાં જુદાં કાર્યોનાં પ્રયોજનોને અનુસાર આ જીવ ઔદારિકાદિ આઠવર્ગણાઓમાંથી યથાયોગ્ય વર્ગણાઓનાં તથા ઘટ-પટ આદિ સ્થૂલ પદાર્થોનાં અનંતાનંત પુદ્ગલોનું વારંવાર ગ્રહણ કરવા રૂપ સંયોગજન્ય અને મોચન કરવા રૂપ ભેદજન્ય પણ અનેક પર્યાયો ઉપરોક્ત પર્યાયોની સાથે જ પામે છે. આ જીવનો પુદ્ગલની સાથે સંયોગસંબંધ ચાલુ જ હોવાથી વિવિધ પ્રકારનાં પુગલોના સંયોગો, અને વિવિધ પ્રકારનાં પુદ્ગલોના વિભાગો થવારૂપ અનેક પર્યાયો થાય છે.
૮ વીર્ય વિશેષ = વીયાન્તર કર્મના ક્ષયોપશમને અનુસાર સમયે સમયે હાનિ-વૃદ્ધિ થવા રૂપે લબ્ધિવીર્યના પણ અનેકપર્યાયો આ જીવમાં થાય છે. તથા જુદા જુદા કાર્યોમાં વિર્યશક્તિનો વપરાશ કરવા રૂપે કરણવીર્યના પણ અનેક પર્યાયો થાય છે.
૯ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ ઘટવા અને વધવા રૂપે જ્ઞાનાદિગુણોની હીનાધિકતા રૂપે તથા તેના ઉપયોગાત્મક ભાવે પણ અનેક પર્યાયો થાય છે.
આ પ્રમાણે સંસારી દેહધારી જીવમાં એક એક સમયમાં અઘાતી અને ઘાતી કર્મોના ઉદયજન્ય ઔદયિકભાવના અને ઘાતી કર્મોના ક્ષયોપશમ જન્ય ક્ષાયોપથમિક ભાવના તથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org