________________
૩૨૭
સન્મતિપ્રકરણ
કાડ-૩ – ગાથા-૪૨ સશરીરી જીવો છે તેમાં ઔદયિકભાવના, લાયોપથમિક ભાવના તથા પારિણામિક ભાવના અનેક પર્યાયો સમયે સમયે પરિણામ પામતા જ હોય છે. અને અશરીરી એવા સિદ્ધ જીવોમાં ક્ષાયિક ભાવના અને પારિણામિક ભાવના અનંત અનંત પર્યાયો પ્રતિસમયે પરિણામ પામતા જ હોય છે.
ઔદારિક આદિ વર્ગણાઓનું કાયા પણે, ભાષાવર્ગણાના પુદ્ગલોનું વચન પણે, મનોવર્ગણાના પુદ્ગલોનું મન પણે, શરીરોનું કંપન આદિ ક્રિયા પણે, ચામડીમાં તથા શારીરિક ધાતુઓમાં રૂપ-રસ-ગંધાદિ ગુણોનું, વિગેરે વિગેરે જે પરિણમન થાય છે. તે પરિણમન જો કે થાય છે પુદ્ગલ દ્રવ્યમાં જ, કારણ કે તે પુગલના ધર્મો છે. તો પણ તે કેવલ પુગલાશ્રિત નથી. પરંતુ જીવની સાથેના શરીરમાં થતાં આ બધાં પરિવર્તનો જીવના કર્મના ઉદયને અનુસારે થાય છે. તેથી તે જીવકર્તક પુદ્ગલાશ્રિત પર્યાયો છે. જીવના સંબંધને લીધે પુગલમાં બનેલા પર્યાયો છે. તેથી તેને ઔદયિકભાવના પર્યાયો કહેવાય છે. તથા જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય આ ગુણો જો કે જીવના છે તો પણ સમયે સમયે થતી તેની હાનિ-વદ્ધિ રૂપ પર્યાયો કેવલ જીવ આશ્રિત નથી. કારણ કે જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોના ક્ષયોપશમથી જ્ઞાનાદિગુણોની હાનિ-વૃદ્ધિ પામવા સ્વરૂપ આ પર્યાયો થાય છે. આ કારણે તે પર્યાયો કર્મ સાપેક્ષ છે. તેથી આ સઘળા પર્યાયો ક્ષાયોપથમિકભાવના કહેવાય છે. આમ ઘાતી અઘાતી કર્મોના ઉદયથી થનારા અને ચાર ઘાતકર્મોના ક્ષયોપશમથી થનારા પર્યાયો કેવલ એકલા જીવાશ્રિત કે કેવલ એકલા પુદ્ગલાશ્રિત નથી. પરંતુ ઉભયાશ્રિત છે. ત્યાં ઔદયિક ભાવથી પ્રતિસમયે જીવમાં થનારા અનેક પર્યાયો પ્રથમ સમજાવે છે.
૧ ના = ઔદારિક-વૈક્રિય આદિ વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને આ જીવ શરીર નામકર્મના ઉદયથી ઔદારિક શરીર આદિ રૂપે પરિણાવે છે. તથા સાથે સાથે પોતાના આત્મપ્રદેશોને પણ તે તે આકારે તથા તે તે ભાવે પરિણાવીને પોતે પણ શરીરાકારે બને છે. તથા શરીરરચના થયા પછી પણ સમયે સમયે તે ઔદારિક પુગલોનું ગ્રહણમોચન પણ ચાલુ જ રહે છે. આમ એક એક સમયમાં ઔદારિક આદિ કાયા સંબંધી તથા કાયવ્યવહાર સંબંધી આ જીવના અનેક પર્યાયો નવા નવા ઉત્પન્ન થાય છે.
૨ મUT = ઔદારિક આદિ કાયાના પુગલોનું પરિણમન જયારે થાય છે. ત્યારે આ જીવ આહાર-શરીર-ઇન્દ્રિય-શ્વાસ અને ભાષા એમ પાંચ પર્યાયિઓ પૂર્ણ કર્યા પછી મન:પર્યાપ્તિ નામકર્મના ઉદયથી મનોવર્ગણાનાં પુગલોને ગ્રહણ કરીને મનરૂપે પરિણાવીને જુદા જુદા અનેક વિષયોના વિચારો કરવાની શક્તિ રૂપે મનસંબંધી ઔદયિકભાવના અનેક પર્યાયોને પામે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org