________________
૩૨૪ કાડ઼-૩ – ગાથા-૪૧
સન્મતિપ્રકરણ તથા વળી “વિભાગથી” પૂર્વકૃતકાર્યનો નાશ જ થાય છે પણ અપૂર્વ કોઈ કાર્યની ઉત્પત્તિ થતી નથી. આ દલીલ પણ બરાબર નથી. કારણ કે પૂર્વકૃત કાર્ય તરફ દૃષ્ટિપાત કરો છો તો જેમ તમને તે પૂર્વકૃત કાર્યનો નાશ થયો આમ દેખાય છે તેમ ઉત્તર પર્યાય તરફ જો દૃષ્ટિપાત કરશો તો અંશોની (ભિન્ન ભિન્ન અવયવોની) થતી ઉત્પત્તિ પણ જરૂર દેખાશે. ઘટ ફુટવાથી જેમ ઘટનો નાશ થતો દેખાય છે. તેમ તેની સાથે જ ઠીકરાંની ઉત્પત્તિ પણ અવશ્ય છે જ. ગ્લાસ ફુટે ત્યારે ગ્લાસનો નાશ જેમ દેખાય છે. તેમ ટુકડાની ઉત્પત્તિ પણ જરૂર થાય જ છે. આમ સર્વત્ર અવયવોના સંયોગથી સ્કંધાત્મક કાર્યની ઉત્પત્તિ જેમ થાય છે તેમ અવયવી વિખારાવાથી (અવયવીનો વિભાગ થવાથી) અનેક અવયવોની ઉત્પત્તિ પણ જરૂર છે જ. માત્ર પોતાની દૃષ્ટિને વિશાળ બનાવવાની જરૂર છે. તથા પોતાની દૃષ્ટિને અનેકાન્તમય બનાવવી જોઈએ. આ પ્રમાણે તૈયાયિક-વૈશેષિકની સામેની આ ચર્ચા અહીં પૂર્ણ થાય છે. તે ૪૦ ||
કોઈ પણ એક દ્રવ્યના એક સમયમાં અનંત ઉત્પાદ, અનંત વ્યય અને અનંતસ્થિતિ છે. આ વાત હવે સમજાવે છે –
एगसमयम्मि एगदवियस्स, बहुया वि होंति उप्पाया । उप्पायसमा विगमा, ठिईउ उस्सग्गओ णियमा ॥ ४१ ।। एकसमये एकद्रव्यस्य, बहुका अपि भवन्त्युत्पादाः । उत्पादसमा विगमास्स्थितय उत्सर्गतो नियताः ।। ४१ ॥
ગાથાર્થ – એક સમયમાં એકદ્રવ્યના બહુ બહુ ઉત્પાદો થાય છે. ઉત્પાદની સમાન જ (બહુ બહુ) વિનાશ પણ થાય જ છે. તથા (બહુ-બહુ) સ્થિતિઓ પણ સામાન્યથી નિયત (નક્કી) હોય જ છે. || ૪૧
વિવેચન - ધર્મ-અધર્મ-આકાશ-પુગલ-કાલ અને જીવ આ છએ દ્રવ્યો (કે જેમાં ૩ દ્રવ્યો એક એક છે અને ત્રણ દ્રવ્યો અનંત અનંત છે એવાં આ છએ દ્રવ્યો) અનાદિકાળથી આ સંસારમાં સ્વયં પારિણામિક ભાવથી છે જ. અને ભાવિમાં પણ અનંતકાલ સુધી રહેશે જ એટલે અનંતકાલવતી છે. સાથે સાથે નિયમા “પરિણામી” છે. એટલે કે પરિણામ પામવાના સ્વભાવવાળાં પણ છે જ, એટલે સમયે સમયે પૂર્વપર્યાય રૂપે નાશ, ઉત્તર પર્યાય રૂપે ઉત્પાદ, અને દ્રવ્ય માત્ર રૂપે સ્થિતિ એમ એક એક સમયમાં નાશ, ઉત્પાદ અને સ્થિતિ હોવાથી અનંતકાલને આશ્રયી અનંતા નાશ, અનંતા ઉત્પાદ અને અનંતી સ્થિતિ છે જ. આ તો ત્રણે કાળનાં મળીને અનંતા ઉત્પાદ, અનંતા નાશ અને અનંતી સ્થિતિ સમજાવી કે જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org