________________
૩૨૨ કાઠ-૩ – ગાથા-૪૦
સન્મતિપ્રકરણ છે. આમ બની શકતું નથી તથા એમ કહી શકાતું પણ નથી. માટે પરમાણુ સંયોગજન્ય ઉત્પાદ નથી. માત્ર વિભાગજન્ય જ ઉત્પાદાત્મક છે.
ટીકાનો પાઠ - સમાનગતિયદ્રવ્યનવ સમાવિIRUI તત્સંયોગસમવાયकारण-निमित्तकारणादिसव्यपेक्षाद् अवयवि कार्यद्रव्यं भिन्नं कारणद्रव्येभ्यः उत्पद्यत इति द्रव्यस्योत्पादं केचन ब्रुवते । ते चोत्पादार्थानभिज्ञा विभागजातं नेच्छन्ति ॥
આ રીતે તૈયાયિક-વૈશેષિકો જે કેવલ સંયોગજન્ય ઉત્પાદ માને છે. તેઓ ધર્મઅધર્મ-આકાશ-જીવ-પરમાણુ અને કાલના ઉત્પાદને તો સમજી શકતા જ નથી કારણ કે તે દ્રવ્યોમાં સંયોગ નથી તથા તેઓએ ધર્મ-અધર્મ દ્રવ્યોને તો માન્યાં જ નથી અને આકાશાદિ દ્રવ્યોને માન્યાં છે, પરંતુ તે દ્રવ્યોને એકાન્ત નિત્ય માની લીધાં છે. અનિત્યતા ન માની હોવાથી આકાશાદિમાં ઉત્પાદ વ્યય માન્યા જ નથી. તેથી ત્યાં સંયોગજન્ય કે વિભાગજન્યની વાત રહેતી જ નથી. તથા સ્કંધાત્મક પગલાસ્તિકાય દ્રવ્યને જ તેઓ કાર્ય સમજે છે. અને તે પણ માત્ર સંયોગજન્ય. આ સ્કંધોમાં સંયોગ-વિભાગ અને ઉભયજન્ય જે કાર્ય થાય છે. તેને તો આ દર્શનકારો સમજતા જ નથી. તેથી તેઓ ઉત્પાદના અર્થને સમજવામાં અકુશલ છે. અજ્ઞાની છે. તે ૩૮-૩૯
અંધાત્મક પુદગલાસ્તિકાય દ્રવ્યમાં સંયોગજન્ય ઉત્પાદની જેમ વિભાગજન્ય ઉત્પાદ પણ હોય છે. આ વાત બીજી યુક્તિથી પણ સિદ્ધ કરે છે -
बहुयाण एगसद्दे, जह संयोगाहि होइ उप्पाओ। णणु एगविभागम्मि वि जुज्जइ बहुयाण उप्पाओ ॥ ४० ॥ बहुकानामेकशब्दे यथा संयोगाद् भवत्युत्पादः । नन्वेकविभागेऽपि, युज्यते बहुकानामुत्पादः ।। ४० ।।
ગાથાર્થ - બહુમાં (બહુ અવયવના બનેલા એક પદાર્થમાં) એક શબ્દના પ્રયોગને લીધે જેમ સંયોગથી ઉત્પત્તિ દેખાય છે. તેમ સ્કંધમાંથી એક-એકનો વિભાગ થયે છતે બહુ (અંશો)ની ઉત્પત્તિ પણ થાય છે. તે ૪૦ ||
વિવેચન - અહીં સ્થૂલદૃષ્ટિવાળા જીવો કદાચ આવો પ્રશ્ન કરે કે તન્દુઓના સંયોગથી જેમ પટ થાય છે. કપાલયના સંયોગથી જેમ ઘટ થાય છે. બુંદીના કણોને જોડવાથી જેમ લાડુ થાય છે. પંખાના અવયવોને યથાસ્થાને સંયોગ કરવાથી જેમ પંખો બને છે. તેમ વિભાગથી થતું કોઈ કાર્ય દેખાતું નથી. ઉલટુ વિભાગથી તો પૂર્વકૃતકાર્યનો નાશ જ દેખાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org