________________
૩૧૯
સન્મતિપ્રકરણ
કાષ્ઠ-૩ – ગાથા-૩૮-૩૯ પણે વસ્તુનું કાર્યાત્મક સ્વરૂપ વિચારવામાં આવે તો કાર્યના આ ત્રણે પ્રકારો એક સ્વરૂપ જ છે. પરિણામ કહો કે સમૂહ કહો, સમૂહ કહો કે સંયોગ કહો. આખર બધું એક સ્વરૂપ જ છે. બુંદીના દાણા જે છુટા છુટા સ્વરૂપે હતા. તે જ હવે લાડુ સ્વરૂપે પરિણામ પામ્યા એમ કહો કે સમૂહરૂપે ગોઠવાયા એમ કહો કે તે અવયવો હવે સંયોગથી અવયવી રૂપે બની ગયા. આમ કહો આ બધું સમાન જ છે. તે ત્રણે કાર્યનાં સ્વરૂપો છે. આવું કાર્ય પુલાસ્તિ કાયમાં હોય છે.
તથા ધર્મ-અધર્મ-આકાશ અને જીવ આ ચાર દ્રવ્યો (તેમાં ૩ દ્રવ્યો અસંખ્યાત પ્રદેશોના અને આકાશદ્રવ્ય અનંતા પ્રદેશોના પિંડાત્મક હોવાથી) જુના જુના પર્યાયમાંથી નવા નવા પર્યાય રૂપે “પરિણામોત્તર” અર્થાત્ રૂપાન્તર પામે છે. ત્યાં અવયવોનું (પ્રદેશોનું) જોડાવું અને વિખેરાવું નથી. કારણ કે અવયવોનો સમૂહ (પ્રદેશોનો સમૂહ) સદાને માટે છે જ. તથા અવયવોનો પ્રદેશોનો) પિંડ હોવાથી સદાકાલ “અવયવી” આત્મક જ છે. આમ ત્રણે અર્થવાળું કાર્ય તેમાં સંભવે છે. અને કાલ એ જીવ-પુદ્ગલ દ્રવ્યની વર્તના પર્યાયસ્વરૂપ હોવાથી વાસ્તવિક દ્રવ્ય નથી. માત્ર ઔપચારિક દ્રવ્ય છે.
હવે પુદ્ગલાસ્તિકાયમાં બે પ્રકાર છે. પ્રવ: કચાશ = અણુઓ અને સ્કંધો. ત્યાં સ્કંધોમાં ઉપરોક્ત ચાર દ્રવ્યોની જેમ જ છે. અને અણુઓ પોતે જો કે પ્રદેશોનો સમૂહ નથી તો પણ બીજા-ત્રીજા પરમાણુઓ સાથે મળીને યમુક-ચણુક રૂપે પરિણામ પામે છે. અન્ય અણુઓ સાથે ભળ્યા છતા સમૂહ રૂપે બને છે. અને તેમાંથી અવયવી પણ બને છે. તથા પુદ્ગલ દ્રવ્યના સ્કંધોમાં સંયોગજન્ય વિભાગનન્ય અને ઉભયજન્ય એમ ત્રણ પ્રકારનું કાર્ય થાય છે. તે આગળ સમજાવેલ છે. આ રીતે સર્વે પણ દ્રવ્યોમાં જે જે કોઈ પણ કાર્ય થાય છે તે પર્યાયાત્મક હોવાથી દ્રવ્યનું રૂપાન્તર પણ છે. અવયવોનો સમૂહ પણ છે અને અવયવો સાથે મળીને અવયવી સ્વરૂપ પણ બને છે. આ રીતે સાંખ્યાદિ ત્રણે દર્શન કેવલ એકલા પરિણામવાદને, સમૂહવાદને અને સંયોગવાદને જ માનતા હોવાથી મિથ્યાદેષ્ટિ છે. જ્યારે જૈનદર્શન નયોની સાપેક્ષતા પ્રમાણે રૂપાન્તર થવા રૂપે રહેલા કાર્યને ત્રણે ભાવે કાર્ય કહેતા હોવાથી અનેકાન્તવાદી છે. તેથી સમ્યગ્દષ્ટિ છે. પરમાર્થથી ત્રણ પ્રકારનું આ કાર્ય એ દ્રવ્યનું એક પ્રકારનું રૂપાન્તર જ છે. જેને પર્યાય કહેવામાં આવે છે.
- સાંખ્યાદિ આ ત્રણે એકત્તવાદી હોવાથી તે ત્રણેની સામે જૈનદર્શનકારોનો વિરોધ તો છે જ. તો પણ ત્રીજા નંબરના નિયાયિક અને વૈશેષિકો જે “સંયોગવાદી” અર્થાત્ “આરંભવાદી” છે. તેઓની સામે સંયોગની જેમ વિભાગ જન્ય કાર્ય પણ થાય છે. આ વાત સમજાવવા માટે વિશેષ વિરોધ જણાવીને તેઓને સાચી દિશા સમજાવવા માટે કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org