________________
૩૧૬
કાડ-૩ – ગાથા-૩૭.
સન્મતિપ્રકરણ एव सप्रपञ्चः दर्शनीयः । एवं स्थितिरपि उत्पादविनाशाभ्यां सप्रपञ्चाभ्यामेकैकाभ्यां त्रिकाला प्रदर्शनीयेति द्रव्यमन्योन्यात्मकतथाभूतकालत्रयात्मकोत्पाद-विनाश-स्थित्यात्मकं प्रज्ञापयंस्त्रिकालविषयं द्रव्यस्वरूपं प्रतिपादितं भवति, अन्यथा द्रव्यस्वाभाव्यात् तद्वचनस्य मिथ्यात्वप्रसक्तिरिति भावः ।
જીવ નામના દ્રવ્યમાં પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી જે જે પર્યાયો થાય છે. તે ઔદાયિકભાવના પર્યાય કહેવાય છે. જેમકે દેવ મનુષ્ય-તિર્યંચ નરક, રોગી, નિરોગી, સુખી દુઃખી ઇત્યાદિ જે પર્યાયો છે તે ઔદયિક ભાવના પર્યાયો છે. જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોના ક્ષયોપશમથી ગુણોની હાનિ-વૃદ્ધિ થવા રૂપ જે પર્યાયો થાય છે તે (ગુણ સંબંધી પર્યાયો હોવા છતાં પણ) જીવદ્રવ્યના જ પર્યાયો છે. અને તે ક્ષાયોપથમિક ભાવના પર્યાયો કહેવાય છે. સિદ્ધ પરમાત્માના આત્મામાં જે શેય દ્રવ્યોને જાણવા રૂપ ઉપયોગાત્મક ભાવે પર્યાયો થાય છે. તે ક્ષાયિકભાવના પર્યાયો છે. મોહનીય કર્મના સર્વથા ઉપશમથી ઉપશમશ્રેણીમાં અથવા મિથ્યાત્વમોહના સર્વથા ઉપશમથી ઉપશમસમ્યકત્વમાં જીવના તે તે ગુણ સંબંધી જે પર્યાયો થાય છે તે પથમિકભાવના પર્યાયો છે એ જ રીતે જીવમાં રહેલા જીવત્વ અને ભવ્યત્વ વિગેરે ભાવોમાં કાલ આશ્રયી જે પરિવર્તન થાય છે તે પારિણામિક ભાવના પર્યાયો છે. આમ જીવમાં પ્રત્યેક સમયોમાં ઉપરોક્ત પાંચ ભાવો પૈકી યથાયોગ્ય ૨-૩-૪-૫ ભાવો સંબંધી પર્યાયોનો ઉત્પાદ-વ્યય અને દ્રવ્ય આશ્રયી સ્થિતિ આમ ત્રિપદી અવશ્ય હોય જ છે. આ રીતે ત્રિપદીમય જીવદ્રવ્ય છે.
ધર્માસ્તિકાયાદિ ચાર અજીવદ્રવ્યોમાં કર્મોનો સંબંધ ન હોવાથી લગભગ બધા જ પર્યાયોનો પ્રતિસમયે ઉત્પાદ-વ્યય અને સ્થિતિ પારિણામિક ભાવે જ હોય છે. એટલે કે ધર્માદિ દ્રવ્યોનો એવા પ્રકારનો પારિણામિક સ્વભાવ જ છે કે પોતાના સ્વભાવે જ પરિણામ પામ્યા કરે છે. આ પરિણામિક ભાવ છે. અને પુદ્ગલાસ્તિકાયમાં ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યોની જેમ પારિણામિક ભાવના પર્યાયો તો છે જ. છતાં ઔદારિકાદિ શરીરની રચના રૂપ કેટલાક પર્યાયો જીવના ગાઢ સંબંધને લીધે “ઔદયિક ભાવના પર્યાય પણ કહેવાય છે” આમ પણ નૈગમનયથી (ઔપચારિક રીતિએ) આ વાત જાણવી. આ રીતે છએ દ્રવ્યોના આ પર્યાયો પ્રતિસમયે પરિવર્તન પામે છે અને પરિવર્તન પામતા તે પર્યાયો, તથા તે પર્યાયોવાળું દ્રવ્ય ત્રણે કાલના વિષયવાળું બને છે. ત્રણે કાળના સંબંધવાળું બને છે. l૩૭ી.
ઉત્પાદાદિ ત્રણે ધર્મોના ભિન્ન ભિન્ન કાલની ચર્ચા સમાપ્ત કરીને હવે વૈશેષિક તથા નિયાયિક આદિ દર્શનકારો દ્રવ્યના ઉત્પાદની પ્રક્રિયા જે રીતે માને છે. તે બરાબર નથી. આ વાત સમજાવવા માટે તેઓએ માનેલી ઉત્પાદની પ્રક્રિયાની ચર્ચા ગ્રંથકારશ્રી હવે કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org