SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૩૭ ૩૧૫ વિનાશ પામતું પણ છે. કેટલાક અંશોની અપેક્ષાએ વિનાશ પામનારું પણ છે. કોઈ એક મકાન જર્જરિત થયું હોય અને તેને પાડવાનું હોય. તો જેમ જેમ તે મકાન પડાતું જાય છે તેમ તેમ જુદા જુદા ભાગોને આશ્રયી વિનષ્ટ પણ છે. વિનશ્યમાન પણ છે. અને વિનશ્યમાન પણ છે. કોઈ એક આંગળી ધારો કે “વાંકી (આઉટણ ધર્મવાળી) છે તેની વક્રતાને તોડીને પ્રસારિત કરાય છે. ત્યાં પ્રસારિત કરાતી તે આંગળીમાં જેટલી (જેટલા અંશે) વક્રતા ગઈ છે. તેટલી (તેટલા અંશે) વક્રતા નષ્ટ થઈ છે. આ ભૂતકાળના વિષયવાળી નષ્ટતા થઈ. હાલ જેટલા અંશે તે આંગળી સીધી કરાય છે. તેટલા અંશની અપેક્ષાએ વક્રતાનો નાશ થઈ રહ્યો છે. આ વર્તમાનકાલના વિષયવાળો નાશ છે. અને હજુ આ આંગળીને જેટલી સરળ કરવાની બાકી છે. તેટલા અંશની અપેક્ષાએ વક્રતાનો નાશ ભાવિમાં થવાનો છે. તેથી તે નાશ ભવિષ્યકાળના વિષયવાળો છે. આ રીતે નાશ પામતી વક્રતા પણ ત્રણે કાલના વિષયવાળી છે. આમ ઉત્પદ્યમાન અને વિનશ્યમાન કોઈ પણ દ્રવ્ય સ્કૂલદષ્ટિએ જે વર્તમાનકાલના વિષયવાળું છે. તે જ દ્રવ્ય સૂમિદષ્ટિએ ત્રણે કાલના વિષયવાળું પણ છે. તેથી ઉત્પદ્યમાન એવું દ્રવ્ય ઉત્પન્ન-ઉત્પદ્યમાન અને ઉત્પસ્યમાન પણ છે અને વિનાશ પામતું દ્રવ્ય વિનષ્ટ, વિનશ્યમાન અને વિનંફ્યુમાણ પણ છે. આ જ વાત હવે આપણે કંઈક વધારે ઝીણવટથી લઈએ અને એક જ સમયમાત્રમાં પરિવર્તન પામતું તે દ્રવ્ય વિચારીએ તો કોઈ પણ એક સમયમાં કંઈક ને કંઈક અંશે પરિવર્તન પામતું તે દ્રવ્ય તે વિવક્ષિત સમયમાં કંઈક ઉત્પન્ન પણ છે. કંઈક ઉત્પદ્યમાન પણ છે. અને કંઈક ઉત્પસ્યમાન પણ છે. એ જ રીતે તે જ દ્રવ્ય તે જ સમયમાં પૂર્વપર્યાયની અપેક્ષાએ કથંચિત્ નષ્ટ, કથંચિત્ નશ્યમાન, અને કથંચિ નંક્યમાણ પણ અવશ્ય છે. અને જો આમ હોય તો જ ઘણા સમયો ગયે છતે વિશિષ્ટ ઉત્પાદ અને વિશિષ્ટ નાશ થયો દેખાય. અન્યથા કોઈ સમયમાં વિશિષ્ટ ઉત્પાદ-નાશ દેખાય જ નહીં. માટે નિશ્ચયનયની દૃષ્ટિએ કોઈ પણ સમયમાં પરિવર્તન પામતું દ્રવ્ય તે એક સમયમાં પણ ત્રણે કાળના વિષયને સ્પર્શનારૂં છે. ટીકાનો પાઠ - યથા ય વોત્ય, તત્ તવોત્પન્નત્યસ્થ રાય વોત્પન્ન तद् तदैव उत्पद्यत उत्पत्स्यते च । यद् यदैव उत्पत्स्यते, तद् तदैवोत्पद्यत उत्पन्नं च । तथा तदेव तदैव यदुत्पद्यते तद् तदैव विगतं विगच्छद विगमिष्यच्च । तथा यदेव यदैवोत्पन्नं तदेव तदैव विगतं विगच्छद विगमिष्यच्च । तथा यदेव यदैवोत्पत्स्यते, तदेव तदैव विगतं विगच्छद् विगमिष्यच्च । एवं विगमोऽपि त्रिकाल उत्पादादिना दर्शनीयः । तथा स्थित्याऽपि त्रिकाल Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy