________________
(૩૪) કરી છે. આ બધી ચર્ચાના કારણે મધ્યમકક્ષાના અભ્યાસીઓ માટે આ ગ્રંથનું અધ્યયન કરવું અત્યંત દુરુહ બને તે સ્વાભાવિક છે. ટીકાગ્રંથની દુહતાના કારણે જ મોટાભાગના અભ્યાસીઓ આ ગ્રંથના અધ્યયનથી વંચિત રહેતા હોય છે. પરિણામે મૂળગ્રંથનો અભ્યાસ કરવાનું પણ ધીમે ધીમે ઘટતું ગયું છે. આ પરિસ્થિતિમાં કમ સે કમ મૂળગ્રંથને પણ સારી રીતે સહેલાઈથી સમજી શકાય તેવી વ્યાખ્યા કે વિવેચનની અભ્યાસુઓ માટે ખોટ વર્તાતી હતી. જેને પૂરી કરવાનું કાર્ય કોઈકે તો કરવું જરૂરી હતું જ. જેને પંડિતવર્યશ્રી ધીરૂભાઈએ સાકાર કરવાનો અનુમોદનીય પ્રયાસ કર્યો છે.
જો કે આવા મહાનદાર્શનિકગ્રંથની મૂળ ગાથાઓનો અનુવાદ અને વિવેચન કરવું અને તે પણ મધ્યમ બોધવાળા જીવો સહેલાઈથી સમજી શકે તે રીતે કરવું તે માટે ઘણી બધી સજ્જતા હોવી જરૂરી છે. પંડીતવર્ય ધીરૂભાઈએ મૂળગ્રંથને સ્પર્શીને અને ટીકાગ્રંથને આંખ સામે રાખીને ગુજરાતી ભાષામાં આ વિવેચન તૈયાર કર્યું છે. જેમાં તેમણે વર્તમાનકાળના ઉદાહરણો વડે ગ્રંથના વિષયને વધુ સરળતાથી સમજાવવાનો સફળ પુરૂષાર્થ કર્યો છે તે અત્યંત અનુમોદનીય છે.
“સન્મતિતર્કના આ વિવેચનને તપાસવા માટે મારા ઉપર મોકલીને પંડિતવર્ય શ્રી ધીરૂભાઈએ મને સ્વાધ્યાયનો જે ઉત્તમ અવસર આપ્યો તે નિમિત્તે વર્ષો પૂર્વે આ મહાગ્રંથ ઉપર કામ કરવાની મારી ભાવના પુનઃ પ્રદિપ્ત થતાં તે કાર્યને અત્યારે હાથ ઉપર લીધું છે. વર્ષો પૂર્વે તે અંગે એકઠી કરેલી સામગ્રીના સહારે આ કાર્યનો પ્રારંભ કર્યો છે અને થોડા સમયમાં તે કાર્ય સંપન્ન પણ થશે તેમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય પંડિતવર્યશ્રીના ફાળે જાય છે.
આ વિવેચન તપાસવામાં સન્મતિતિક મૂળ ગ્રન્થનો અને ટીકાગ્રંથના જરૂરી અંશનો ઉપયોગ કર્યો છે. જ્યાં જરૂર જણાઈ ત્યાં સન્મતિતર્કના તે તે શ્લોકો ઉપર મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે તથા અન્ય પણ પૂર્વાચાર્યોએ રચેલી ટીકાના અંશોનો પણ ઉપયોગ કર્યો છે. એ બધું જોતા પ્રસ્તુત વિવેચનમાં જ્યાં જ્યાં સુધારા-વધારા કે સ્પષ્ટતા કરવી જરૂરી જણાઈ તે પંડિતવર્યશ્રીને સૂચવેલ છે. જેનો તેમણે પ્રસ્તુત વિવેચનમાં યથોચિત રીતે સમાવેશ કર્યો છે.
વિ.સં. ૨૦૬૪, ફાગણ વદ-૧૨, ગુરૂવાર ગુંદેચા ટાવર, મુંબઈ.
વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી ગુણયશસૂરીશ્વરજી પાદપણુ
વિજયકીર્તિયશસૂરિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org