________________
કાણ્ડ-૩ – ગાથા-૩૫-૩૬
સન્મતિપ્રકરણ
ઉપરની જ વાત સિદ્ધાન્તકાર શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજશ્રી “આંગળીનો’’ એક દાખલો આપીને ૩૬મી ગાથામાં સમજાવે છે કે -
૩૧૨
ધારો કે કોઈ એક પુરૂષ પોતાની આંગળીને વાળે છે. (સંકોચે છે) તે આઉંટણ કાલ કહેવાય છે. (આઉંટણ=સંકોચવું) અને પછી સીધી કરે છે (પહોળી કરે છે) તે પ્રસારણ કાલ કહેવાય છે(પ્રસારણ=સીધી કરવી. વાળેલીને પહોળી કરવી). હવે જ્યારે તે પુરૂષ પોતાની આંગળીને વાળી રહ્યો છે. સંકોચી રહ્યો છે ત્યારે પહોળી-સીધી કરતો નથી અને જ્યારે પહોળી-સીધી કરે છે ત્યારે વાળતો નથી એટલે કે જે આઉંટણ કાલ છે તે પ્રસારણનો કાલ નથી. અને જે પ્રસારણનો કાલ છે. તે આઉંટણનો કાલ નથી. અર્થાત્ આઉંટણકાલથી પ્રસારણનો કાલ કંઈક ભિન્ન છે. બન્ને ક્રિયા (પરસ્પર વિરોધી હોવાથી) બન્ને ક્રિયા એકકાલે થતી નથી. આ ભેદ સમજાવ્યો.
તથા આઉંટણમાંથી જ્યારે પ્રસારણ કરે છે ત્યારે જ આઉંટણનો નાશ અને પ્રસારણની ઉત્પત્તિ થાય છે. પરંતુ તે પ્રસારણની પ્રતિપત્તિ (ઉત્તરપર્યાયની ઉત્પત્તિ) અને આઉંટણનો વિગમ (પૂર્વપર્યાયનો નાશ) થવામાં વચ્ચે કાલનું અંતર નથી. વચ્ચે વિરહવાળો કાળ સંભવતો નથી અર્થાત્ જે સમયે પૂર્વપર્યાયનો (આઉંટણનો) નાશ થાય છે. તે જ સમયે ઉત્તરપર્યાયની (પ્રસારણની) ઉત્પત્તિ થાય છે. કાચના ગ્લાસનું ફુટવું અને કકડાની ઉત્પત્તિ થવી આ બન્ને વચ્ચે કાલાન્તર નથી. તથા અખંડ પટનું ફાટવું અને ખંડપટ્ટની ઉત્પત્તિ થવી. આ બન્ને વચ્ચે કાલનું અંતર નથી. તેથી એક જ સમયમાં બન્ને સાથે થતા હોવાથી કથંચિદ અભિન્ન છે તથા તે કાલે ધ્રુવતા તો અવશ્ય રહેલી જ છે. આમ ત્રણે કથંચિદ્ અભિન્ન છે. વધારે બારીકાઈથી જોઈએ તો આઉંટણનો નાશ એ જ પ્રસારની ઉત્પત્તિ છે. ઘટનું ફુટવું એ જ ઠીકરાંની ઉત્પત્તિ છે. તેથી બન્ને વચ્ચે કાલનું અંતર નથી. અર્થાત્ અભિન્નકાલવર્તી પણ છે. આ રીતે સર્વત્ર સમજવું.
ટીકામાં ‘‘વિમેજાનાનાં નાસ્તિ'' પાઠમાં અજાર નો પ્રશ્ર્લેષ કરીને બે નિષેધ થવાથી મૂલ અવિધાન થવાથી, ઉત્પત્તિ અને વિનાશ વચ્ચે કાલાન્તર (કાલનો ભેદ) છે આમ પણ કહ્યું છે. ॥ ૩૫-૩૬ ॥
વ્યવહારનય સ્થૂલદૃષ્ટિવાળો છે. તેથી તે નયની અપેક્ષાએ પૂર્વપર્યાયનો નાશ થયા પછી ઉત્તર પર્યાયની ઉત્પત્તિ થાય છે આમ ભેદ જણાય છે. જ્ઞાનાવરણીય કર્મ નાશ થયા પછી કેવલજ્ઞાન થાય છે. સશરીરી અવસ્થાના નાશ થયા પછી અશરીરી અવસ્થા આવે છે. અખંડપટના નાશ પછી ખંડપટ થાય છે. આમ ભેદ જણાય છે. જ્યારે નિશ્ચયનય સૂક્ષ્મદૃષ્ટિવાળો હોવાથી જે સમયે આવરણનો નાશ, તે જ સમયે કેવલજ્ઞાનની ઉત્પત્તિ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org