SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ • સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૩૫-૩૬ (૩) ધર્મવાળું હોય તે ધર્મી, અને ધર્મમાં જે રહે તે ધર્મ. આ રીતે ધર્મી આધારભૂત પદાર્થ છે અને ધર્મો આયભૂત છે. તેથી કંઈક ભિન્ન છે. (૪) ધર્મી એવું દ્રવ્ય સદાકાલ રહેનાર છે અને ધર્મો પ્રતિસમયે પલટાવાવાળા છે. તેથી પણ કથંચિ ભિન્ન છે. આમ ધર્મી એવા દ્રવ્યથી ઉત્પાદાદિ ત્રણે ધર્મો કથંચિ ભિન્ન છે. હવે અભેદની વિચારણા - (૧) ધર્મી એવા દ્રવ્યમાં જ ઉત્પાદાદિ ત્રણે ધર્મો સમાયેલા છે પણ ધર્મીને છોડીને ધર્મીથી ભિન્ન એવા ઉત્પાદાદિ ધર્મો નથી. અને ઉત્પાદાદિ ધર્મોથી ભિન્ન એવું ધર્મી દ્રવ્ય નથી. ધર્મી પોતે જ ધર્મમય છે અને ધર્મો પણ ધર્મીમાં જ અંતર્ગત છે તેથી અભિન્ન છે. (૨) ધર્મી એવું જીવદ્રવ્ય પોતે જ દેવ-મનુષ્યાદિ પર્યાયરૂપે ઉત્પત્તિવાળું અને વ્યયવાળું થાય છે. સુવર્ણદ્રવ્ય જે છે. તે જ કડા-કેયુર-કંકણ આદિ પર્યાય રૂપે ઉત્પત્તિ અને વિનાશ ધર્મવાળું થાય છે. ધમીંદ્રવ્ય પોતે જ તે તે ધર્મરૂપે પરિણામ પામે છે તેથી અભિન્ન છે. (૩) “જે સોનું હતું તે પોતે જ કુંડલ બન્યું છે” જે કાચો ઘટ હતો અને કાલો હતો તે જ ઘટ પાકો અને રક્ત બન્યો છે.” આમ ધર્મી અને ધર્મનો અભેદવ્યવહાર જગતમાં પ્રસિદ્ધ છે. (૪) જો ધર્મ-ધર્મીને અભિન્ન ન માનીએ અને એકાન્ત ભિન્ન માનીએ તો “આ ધર્મો આ ધર્મીના છે” અને “આ ધર્મી આ ધર્મોનો છે” આવો પ્રતિનિયત જે વ્યવહાર થાય છે તે ઘટે નહીં. (૫) જો ધર્મ-ધર્મી ભાવ ઘટાવવા માટે તે બન્નેની વચ્ચે નૈયાયિક વૈશેષિક આદિને માન્ય એવો “સમવાયસંબંધ” માનીએ તો જેમ ધર્મ-ધર્મીનો સંબંધ કરવા સમવાય સંબંધ લાવ્યા, તેમ ધર્મી અને સમવાયનો સંબંધ કરવા માટે બીજો સમવાય લાવવો પડે. અને બીજા સમવાયને જોડવા ત્રીજો સમવાય લાવવો પડે તેમ કરતાં અનવસ્થા દોષ આવે. અને જો પ્રથમ સમવાયનો જ એવો સ્વભાવ માનીએ કે બીજા સમવાય વિના ધર્મ સાથે સ્વયં જોડાય. તો ધર્મ-ધર્મી જ (સમવાય વિના) સ્વયં જોડાય છે. આમ માનવામાં શું દોષ ? સમવાયસંબંધ અધિક માનીને નાહક ગૌરવ કરવાની શી જરૂર ? ઉપરોક્ત બન્ને તરફની ચર્ચા વિચારતાં ધર્મી એવા દ્રવ્યથી ઉત્પાદાદિ ધર્મો કથંચિદ ભિન્ન પણ છે અને કથંચિત્ અભિન્ન પણ છે. પણ એકાન્ત ભિન્ન પણ નથી. તથા એકાન્ત અભિન્ન પણ નથી. છેવટે સ્યાદ્વાદ (અનેકાન્તવાદ)નો સ્વીકાર કરવો એ જ સાચું શરણ છે એ જ સાચો માર્ગ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy