________________
૩૦૮
કાષ્ઠ-૩ – ગાથા-૩૫-૩૬
સન્મતિપ્રકરણ પણ ત્યાં સાથેજ રહેલી છે. એક જીવ મૃત્યુ પામીને મનુષ્યમાંથી દેવમાં ઉત્પન્ન થાય છે.
ત્યાં મનુષ્યપણે નાશ, દેવપણે ઉત્પાદ, અને જીવપણે ધ્રુવતા આ ત્રણે ધર્મો એકી સાથે એક દ્રવ્યમાં એક જ કાળે રહેલા છે. તેથી આ ત્રણે ધર્મો અભિન્નકાલવત છે. કોઈ પણ દ્રવ્યના પૂર્વાપરવર્તી ક્રમસર થનારા બે પર્યાયો લેશો તો પૂર્વપર્યાયનો નાશ, ઉત્તરપર્યાયનો ઉત્પાદ અને દ્રવ્યની દ્રવ્યરૂપે ધ્રુવતા આ ત્રણે ધર્મો એકી સાથે એક કાલમાં જ જણાશે. આ નિશ્ચયનય છે. નિશ્ચયનયની દૃષ્ટિ જે સમયમાં કારણ હોય છે. તે જ સમયમાં કાર્ય હોય છે. આવી છે.
શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિ તો આનાથી પણ કંઈક આગળ વધે છે. તે એમ કહે છે કે “નાશ અને ઉત્પત્તિ” જેવા બે ધર્મો જ નથી કે જેને એક સમયમાં સાથે માનીએ. દ્રવ્યનું પ્રતિસમયે રૂપાન્તર માત્ર જ છે. રૂપાન્તર થવું એ જ દ્રવ્યનો પારિણામિક સ્વભાવ છે. સહજ સ્વભાવ છે રૂપાન્તર થતા તે સ્વરૂપને પૂર્વપર્યાયથી જોઈએ છીએ ત્યારે નાશ દેખાય છે અને રૂપાન્તર થતા તે જ સ્વરૂપને ઉત્તરપર્યાયથી જોઈએ છીએ ત્યારે ઉત્પાદ દેખાય છે. પરંતુ હકિકતથી તો રૂપાન્તરતા જ માત્ર છે. જેમકે નોનસ્ટોપ દોડતી એક ટ્રેન છે. તે પોતાના દોડવાના ગમનશીલ સ્વભાવમાં જ વર્તે છે. તેને આગલા સ્ટેશને ઉભેલા મુસાફરો ગાડી આવે છે આમ (ઉત્પાદ) દેખે છે અને પાછલા સ્ટેશને ઉભેલા મુસાફરો ગાડી ગઈ આમ (નાશ) દેખે છે તથા ગાડીમાં બેઠેલા મુસાફરો “ગાડી દોડી રહી છે” આમ તેઓ ગાડીની ધ્રુવતાને જ માત્ર દેખે છે. આમ નિશ્ચયનયની દૃષ્ટિએ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ધર્મો એક સમયમાં અભેદકાલવત છે. તથા શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ તો ઉત્પાદ-વ્યય જેવું કંઈ છે જ નહીં. માત્ર દ્રવ્યની રૂપાન્તરતા જ છે. પૂર્વાપર પર્યાયની અપેક્ષાએ જોઈએ છીએ ત્યારે વ્યયઉત્પાદ જેવું દેખાય છે. આ વિચાર નિશ્ચયનયથી કર્યો. હવે આપણે વ્યવહારનયને આશ્રયી વિચારીએ.
વ્યવહારનય પૂલદષ્ટિવાળો છે. લોકભોગ્યદૃષ્ટિવાળો છે. તે નય પૂર્વસમયમાં કારણ અને ઉત્તરસમયમાં કાર્ય માને છે (સમજે છે) દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની ઢાળ બીજી ગાથા નવમીમાં પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રી કહે છે કે
“કારણભેદઈ શક્તિભેદ” ઈમ વ્યવહારિ વ્યવહરીઈ રે ! નિશ્ચય “નાના કારય-કારણ એક રૂપ” તે ધરીઈ રે |
- જિનવાણી રંગઈ મનિ ધરિઈ / ર-૯ || આ વ્યવહારનયની દૃષ્ટિ સ્થૂલ છે. નિશ્ચયનય જેવી સૂક્ષ્મદ્રુષ્ટિ નથી તેથી તે કહે છે કે (૧) આંગળી વક્ર પણે જે છે તે માટે તો જ પછી સરળ થાય. (૨) જે પટ અખંડ છે. તે (ફાડવાથી) પ્રથમ તેની અખંડતાનો નાશ થાય, તો જ પછી ખંડપટ બને. (૩) જે જીવ મનુષ્યપણે હાલ જીવે છે. તે મનુષ્યપણે મૃત્યુ પામી જાય તો જ પછી તે દેવપણે ઉત્પન્ન થઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org