SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યથી સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૩૫-૩૬ ૩૦૭ (૨) લક્ષ્યભૂત એવા લક્ષણભૂત એવા ઉત્પાદાદિત્રણ ધર્મો, ભિન્ન હોય છે કે અભિન્ન હોય છે ? (દ્રવ્યથી ત્રણ ધર્મોની ભિન્નભિન્નતાનો આ પ્રશ્ન) ઉપરના બન્ને પ્રશ્નોનો ઉત્તર સિદ્ધાન્તકારે આ ગાથામાં આપેલો છે. તે સૂક્ષ્મદૃષ્ટિથી કંઈક વિચારીશું તો જ સમજાય તેમ છે. તેથી અતિશય સ્થિરતાપૂર્વક વાંચવું. પદાર્થમાત્ર દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક એમ ઉભયાત્મક છે અને “ઉભયાત્મક હોવું” એ જ સાચું પદાર્થનું સ્વરૂપ છે. આમ માનીએ તો જ વસ્તુનું “પરિપૂર્ણ યથાર્થ સ્વરૂપ થાય છે. જગતમાં પણ સર્વે પદાર્થોનો આવો જ અનુભવ થાય છે. જેમ કે ઘટનું એક ઉદાહરણ લઈએ તો “મૃતિંડ-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ” આમ અવસ્થા બદલાય પણ છે છતાં તેમાં “માટી અણફિરતી” માટી તેની તે જ ધ્રુવ રહે છે. સોનાના બનાવાતા કડા-કંકણેકેયુરમાં પર્યાય બદલાવા છતાં “સુવર્ણ” તેનું તે જ રહે છે. બાલ્ય-યુવાન-વૃદ્ધ અવસ્થા બદલાવા છતાં દેવદત્ત તેનો તે જ રહે છે. દેવ-નારકી-તિર્યંચ અને મનુષ્યપણાના પર્યાયો બદલાવા છતાં જીવદ્રવ્ય તેનું તે જ રહે છે. આમ આ સંસારના તમામ પદાર્થો દ્રવ્યમય પણ છે અને પર્યાયમય પણ છે. હવે કોઈ પણ દ્રવ્યના “પલ્ટાતા પૂર્વાપર” બે પર્યાયો લઈએ તો પૂર્વપર્યાયનો જે નાશકાલ છે. તે જ ઉત્તરપર્યાયનો ઉત્પાદકાલ છે. જેમ કે જે સમયે જ્ઞાનગુણ ઉપરના આવરણભૂત જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થાય છે. તે જ સમયે પૂર્ણજ્ઞાન રૂપ કેવલજ્ઞાન પ્રગટ થાય છે. આ કારણથી જ્ઞાનાવરણીય કર્મના ઉદયનો અને સત્તાનો નાશકાલ તથા કેવલજ્ઞાનનો ઉત્પત્તિકાલ, તથા તે કાલે જીવદ્રવ્યની ધ્રુવતા, આમ ત્રણે ધર્મો એકકાલવતી અર્થાત્ અભિન્નકાલવર્તી છે. આમ સમજાય છે. આ એક નય છે. એક દૃષ્ટિ છે. આવરણના ક્ષયરૂપ કારણ અને કેવલજ્ઞાનના આવિર્ભાવ રૂપ કાર્ય એક જ કાલે હોય છે. આ નિશ્ચય નયની દૃષ્ટિ છે. તે નય કારણ-કાર્યને અભિન્નકાલવીં માને છે. એટલે કે કારણ-કાર્ય એક જ સમયમાં સાથે જ હોય છે. આમ માને છે. બારમા ગુણસ્થાનકના ચરમ સમયે જ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ સાથે જ થાય છે અને તેને જ તેરમાનો પ્રથમ સમય કહેવાય છે. આ બન્ને વચ્ચે સમયભેદ નથી. વાંકી આંગળી આપણે ધારો કે ધીરે ધીરે સીધી કરી રહ્યા છીએ ત્યાં આંગળીમાં જે સમયે જેટલા અંશે વક્રતાનો નાશ થાય છે. તેટલા અંશે સરળતાનો ઉત્પાદ પણ તે કાલે જરૂર થાય જ છે. છતાં આંગળી સ્વરૂપે રહેવાપણાની ધ્રુવતા પણ તે સમયે અવશ્ય છે જ. તથા ઉપરથી નીચે સુધી ફડાતું એક વસ્ત્ર લઈએ, તેમાં જે સમયે જેટલું જેટલું તે વસ્ત્ર ફડાય છે તે સમયે તેટલા તેટલા અખંડ વસ્ત્રનો નાશ અને ખંડપટની ઉત્પત્તિ અને વસ્ત્રમાત્રની ધ્રુવતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy