SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૩૫-૩૬ ૩૦૯ શકે. આ રીતે જોતાં વક્રતાનો નાશ પૂર્વસમયમાં અને સરળતાની ઉત્પત્તિ ઉત્તરસમયમાં, અખંડપટનો નાશ પૂર્વસમયમાં અને ખંડપટની ઉત્પત્તિ ઉત્તરસમયમાં, મનુષ્યપણાનો નાશ પૂર્વસમયમાં અને દેવપણાની ઉત્પત્તિ ઉત્તરસમયમાં, તથા જ્ઞાનાવરણીયકર્મનો નાશ બારમા ગુણસ્થાનકના ચરમ સમયમાં અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ તેરમાં ગુણસ્થાનકના પ્રથમસમયમાં, આમ પૂર્વસમયમાં નાશ, ઉત્તર સમયમાં ઉત્પાદ, અને દ્રવ્યપણે ધ્રુવતા તો સર્વ સમયમાં છે જ આમ માનવાથી નાશ-ઉત્પાદ-ધ્રુવ આ ત્રણે ધર્મો ભિન્ન ભિન્ન કાલવતી છે. આમ આ નય માને છે. વ્યવહારનય પૂર્વસમયમાં કારણ અને ઉત્તરસમયમાં કાર્ય માનતો હોવાથી નાશ પૂર્વસમયમાં અને ઉત્પાદ ઉત્તરસમયમાં છે. એમ ભિન્નકાલવત ઉત્પાદાદિ છે આમ માને છે. નિશ્ચયનય કારણ અને કાર્ય એક જ સમયમાં છે આમ માનતો હોવાથી અભિન્નકાલવત ઉત્પાદાદિ ત્રણે ધર્મો છે. આમ માને છે અને શુદ્ધ નિશ્ચયનય દ્રવ્યનું રૂપાન્તર માત્ર જ છે. કાર્ય-કારણ જેવું કંઈ છે જ નહીં આમ માને છે. આ રીતે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે ધર્મો જુદા જુદા બન્ને નયોના અભિપ્રાય પ્રમાણે પરસ્પર કથંચિ ભિન્નકાલવત અને કથંચિ અભિન્નકાલવર્તી છે. આ વાત સમજાવી. તથા કોઈ પણ એક પર્યાયને દૃષ્ટિમાં લઈએ તો તે પર્યાયના ઉત્પાદ-વ્યય ભિન્ન ભિન્ન સમયમાં જણાશે અને પૂર્વાપર થતા બે પર્યાયોને દૃષ્ટિમાં લઈને જો પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તરપર્યાયનો ઉત્પાદ વિચારીશું તો તે ઉત્પાદ અને નાશ બન્ને ધર્મો અભિન્નકાલવર્તી જણાશે. તે વિશેષવિચાર આ પ્રમાણે - જેમ જીવનો મનુષ્યપણાનો એક પર્યાય દૃષ્ટિમાં લઈએ તો જન્મકાલે મનુષ્યપણાનો ઉત્પાદ, મૃત્યકાલે મનુષ્યપણાનો વ્યય અને જીવનકાલમાં મનુષ્યપણાની ધ્રુવતા આમ ત્રણે ધર્મો ભિન્ન ભિન્ન કાલવર્તી થયા. જે સમયે મનુષ્યપણાનો ઉત્પાદ છે. તે સમયે તે મનુષ્યપણાનો વ્યય નથી. ૨૫-૫૦-૧૦૦ વર્ષ જીવ્યા પછી કાલાન્તરે મૃત્યુ થાય છે. આંગળી રોગાદિના કારણે જ્યારે વાંકી બની ત્યારે વક્રતાનો ઉત્પાદ છે અને ઔષધિના સેવનથી ઘણા કાલ પછી જ્યારે સરળ થાય છે ત્યારે વક્રતાનો નાશ છે. તેથી ઉત્પાદ અને નાશ ભિન્નકાલવતી જણાય છે. આમ વિવક્ષિત એવા કોઈ પણ એક પર્યાયને નજરમાં લઈને જો વિચારીશું તો તેનો ઉત્પાદ બાજુનો અંશ અને વિનાશ બાજુનો અંશ ભિન્ન ભિન્ન કાલવર્તી જણાશે. પરંતુ પૂર્વાપરપણે પસાર થતા બે પર્યાય સાથે વિચારીશું ત્યારે પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ આ બન્ને એક જ ક્ષણમાં સાથે થાય છે. આમ જણાશે. તેથી અભિન્નકાલવર્તી પણ છે. જે સમયે જીવ દેવભવથી ચ્યવીને મનુષ્યભવમાં આવે છે તે એક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy