SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ કાણ્ડ-૩ – ગાથા-૩૪ સન્મતિપ્રકરણ ઉપનિષદ દર્શનકાર જ ઈશ્વરપ્રયત્નજન્ય માને છે. બાકીના દર્શનકારો નિત્ય માને છે. તથા ધર્મ-અધર્મદ્રવ્યને જૈનેતર દર્શનો સ્વીકારતા જ નથી. તેથી જે જે દ્રવ્યમાં ઈશ્વરપ્રયત્ન જન્ય માનવું કે ન માનવું આવો વિવાદ છે. તેના જ ઉત્પાદની આ ચર્ચા પ્રસ્તુત હોવાથી મૂર્ત એવા પુદ્ગલદ્રવ્યમાંથી પરમાણુના ઉત્પાદ, અને અમૂર્ત એવા ૪ દ્રવ્યોમાંથી જીવદ્રવ્યના ઉત્પાદ ન ચર્ચા હોય એમ લાગે છે. અથવા જે જે દ્રવ્યો સ્કંધાત્મક હોય તેના જ ઉત્પાદની ચર્ચા અન્ય દર્શનનોની સામે વિવાદવાળી હોવાથી તેની જ ચચા કરી હોય એમ લાગે છે. પરમાણુ દ્રવ્ય સ્કંધાત્મક નથી તેથી સ્કંધની જેમ મીલન અને વિસજન વાળા ઉત્પાદ-વિનાશ પરમાણુમાં સંભવતા નથી. તથા પરમાણુના ઉત્પાદ ઈશ્વરપ્રયત્ન જન્ય હોય એવું કોઈ માનતું નથી. તેથી તેની ચર્ચા ન કરી હોય એમ લાગે છે. જીવ જો કે અસંખ્યાતપ્રદેશોનો પિંડ હોવાથી ધર્માસ્તિકાયાદિની જેમ સ્કંધ છે ખરો પરંતુ તેના કોઈ પ્રદેશો છુટા પડ્યા નથી. પડતા નથી અને પડશે નહીં તે માટે ત્યાં સ્કંધ-દેશ-પ્રદેશ કે પરમાણુ શબ્દોનો વ્યવહાર થતો નથી.તેથી મીલન-વિસર્જન રૂપ ઉત્પાદ ત્યાં (જીવદ્રવ્યમાં) થતા નથી. પરંતુ જોવં ૩પ્પાયંતો પુરિમો ઇત્યાદિ પદવાળી ત્રીજા કાંડની સાતમી ગાથામાં જે જણાવ્યું છે તે પ્રમાણે ક્રોધાદિ પર્યાયોનું પરિવર્તન થવું રૂપે પર્યાયાત્મકભાવે થતા જીવના ઉત્પાદ છે અને તે ઉત્પાદનું વર્ણન ત્યાં આવી ગયું છે અને તે મોહના ઉદયને આધીન એવા જીવના જ પ્રયત્નવિશેષથી આ ઉત્પાદ થાય છે. તેથી સમુદાયકૃત પ્રયત્નજન્ય નામના પ્રથમભેદમાં આવે છે. સંસારીજીવ કોઈ પણ અવસ્થામાં વર્તતો હોય તો પણ તેમાં થતા તમામ પર્યાયો પ્રયત્નજન્ય એટલે કે (અભિસંધિજ અને અનભિસંધિજ નામના) બે પ્રકારના વીર્ય વિશેષથી જ જન્ય હોય છે. તથા સિદ્ધ પરમાત્મામાં થતા ક્ષાયિકભાવના તમામ પર્યાયો ઉપયોગાત્મક લબ્ધિવીર્યથી જ જન્મ હોય છે. તેથી પ્રયત્નજન્ય ઉત્પાદ નામના પ્રથમભેદમાં આવે છે. એવી જ રીતે પરમાણુમાં થતા ઉત્પાદ પારિણામિકભાવે થતા હોવાથી “ઐકત્વિક વિશ્વસા’ નામના ઉત્પાદના ત્રીજા ભેદમાં આવી જાય છે. આ રીતે સર્વે દ્રવ્યોના ઉત્પાદની ચર્ચા આ ત્રણ ભેદોમાં જ સમાપ્ત થઈ જાય છે. વધારે ભેદો કરવાની જરૂર રહેતી નથી. II ૩૨-૩૩ II હવે વિનાશના ભેદ જણાવે છે - विगमस्स वि एस विही, समुदयजणियम्मि सो उदुवियप्पो । સમુદ્રવિભાગમેન્ન, અત્યંતરમાવામાં ૨૫ રૂ૪ ॥ विगमस्याप्येषो विधिस्समुदयजनिते स तु द्विविकल्पः । સમુવિમાનમાત્ર:, અર્થાન્તરમાવામનજી ૫ રૂ૪ ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy