________________
૨૯૮ કાડ-૩ – ગાથા-૩૨-૩૩
સન્મતિપ્રકરણ ગત્યાદિ ક્રિયામાં પ્રવર્તે છે. ત્યારે તેને તેમાં નિમિત્ત માત્ર બનવા રૂપે ઉત્પાદ-વ્યય અહીં આ ત્રણ દ્રવ્યમાં છે. જ્યારે જ્યારે જે જે જીવ અને પુદ્ગલ ગતિ આદિ ભાવમાં પરિણામ પામે છે. ત્યારે ત્યારે તે તે દ્રવ્યને સહાયક થવા પણાના ઉત્પાદ-વિનાશ આ ત્રણ દ્રવ્યોમાં થાય છે. આ રીતે આ ત્રણ દ્રવ્યમાં થતા સઘળા ઉત્પાદ-વિનાશ નિયમા પરપ્રત્યયિક જ હોય છે.'
ટીકાનો પાઠ - સ્વામવિશ્વ વિધ ઉત્પાદ - : સમુd: = પ્રWતપदितावयवारब्धो घटादिवत् । अपरश्च एकत्विको = अनुत्पादितामूर्तिमद्रव्यावयवारब्ध आकाशादिवत् । आकाशादीनां च त्रयाणां द्रव्याणामव गाहकादिघटादिपरद्रव्यनिमित्तो ऽ वगाहनादिक्रियोत्पादो ऽ नियमाद् अनेकान्ताद् भवेत् । अवगाहक-गन्तृ-स्थातृद्रव्यसन्निधानतो ऽम्बरधर्माधर्मेष्ववगाहनगतिस्थिति क्रियोत्पत्तिनिमित्त-भावोत्पत्तिरित्यभिप्रायः ।
ઉત્પાદના પ્રકાર પ્રયત્નજન્ય-૧
વિશ્રા (સ્વાભાવિક-૨ પુદ્ગલાસ્તિકાયમાં જ તે પણ બાદરશૂલ સ્કંધોમાંજ સમુદાયકૃત-૧
ઐકત્વિક-૨ સમુદાયકૃત ઉત્પાદ
યણુકાદિ સૂક્ષ્મ સ્કંધો ધર્માસ્તિકાય તથા વાદળ વીજળી પર્વત અધર્માસ્તિકાય વિગેરે કેટલાક બાદર સ્કંધોમાં આકાશાસ્તિકાય
પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.શ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં ઢાળ ૯ માં ૧૯ થી ૨૩ ગાથામાં ઉપર પ્રમાણે ઉત્પાદના પ્રકારો જણાવ્યા છે. તેઓશ્રીએ સ્વકૃત ટબામાં શ્રી સન્મતિ પ્રકરણની ગાથાઓની જ સાક્ષી આપેલી છે. રાસની તે ગાથાઓ આ પ્રમાણે છે
૧. ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યોના ઉત્પાદિ ભાવો નિયમ = નક્કી પરપંચો પોતાના ભાવે ગતિ-સ્થિતિ અને અવગાહનાભાવને પામેલા જીવ-પુદ્ગલાત્મક પરદ્રવ્ય પ્રત્યયિક જ હોય છે. મૂલગાથા-૩૩ નું ચોથુ ચરણ હસ્તલેખિત પ્રતમાં “પગલે નિમ" આવા પાઠવાળું છે એટલે અમે ઉપર મુજબ અર્થ કર્યો છે. દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી છપાયેલ પાંચમા ભાગમાં તથા પંડિતજી શ્રી સુખલાલભાઈના વિવેચનમાં પરપૌત્રમાં છાપ્યું છે. હવે જો એ ડુબેલ માનીએ તો ધર્માદિ ત્રણ દ્રવ્યના ઉત્પાદાદિ પરપ્રત્યયિક હોવાથી અનિયત છે. આવો અર્થ સંભવે છે. અને તે અર્થ પણ આ રીતે સંગતિને પામે છે કે જીવ-પુદ્ગલ દ્રવ્યો જ્યારે ગતિ-સ્થિતિ-અવગાહનાના ભાવમાં પરિણામ પામે છે. ત્યારે જ તે તે દ્રવ્યસંબંધી ગતિ આદિ ભાવોની પરિણતિમાં નિમિત્તરૂપે થવાપણાનો ઉત્પાદ-વિનાશ આ ત્રણ દ્રવ્યોમાં હોય છે. જીવ-પુદ્ગલદ્રવ્યની પરિણતિને આધીન આ ઉત્પાદ-વિનાશ હોવાથી પરપ્રત્યયિક છે અને અનિયત છે. આમ પણ અર્થ સગતિને પામે છે. ટીકામાં “મણિય' પદ પ્રમાણે અર્થ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org