SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-૩૨-૩૩ ૨૯૭ કહેવાય છે. તેના બે ભેદ છે ત્યાં વાદળાં જે થાય છે. વિજળી જે થાય છે. મેઘધનુષ્ય જે થાય છે પર્વતો તથા લયણુકચણુક-ચતુરણકાદિક જે સ્કંધો થાય છે અને વિનાશ પામે છે. આ સઘળા ઉત્પાદ અને વિનાશ પ્રાણીકૃત ન હોવાથી વિશ્રા એટલે સ્વાભાવિક તો છે. પરંતુ અનેક અંશોથી (અનેક અવયવોથી) બનેલા છે. એટલે તેને સમુદાયકૃત વિશ્રસા ઉત્પાદ-વિનાશ કહેવાય છે. આ સમુદાયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ-વિનાશ અને સમુદાયકૃત અપ્રયત્નજન્ય (વિશ્રા) ઉત્પાદ-વિનાશ માત્ર પુદ્ગલાસ્તિકાય નામના મૂર્તદ્રવ્યના સ્કંધોમાં ' જ સંભવે છે. કારણ કે ત્યાં જ અંશોનું મળવાપણું અને વિખેરાવાપણું થાય છે. પ્રયત્નજન્ય હોય કે વિશ્રસા હોય, પણ જે સમુદાયકૃત ઉત્પાદ હોય છે. તે પુદ્ગલદ્રવ્યમાં જ માત્ર હોય છે. કારણ કે ત્યાં જ પુરણ અને ગલન થાય છે. ટીકામાં કહ્યું છે કે - ક્રિએઃ ૩ત્પા, પુખેતર-વ્યાપારનીતાડધ્યક્ષાનુमानाभ्यां तथा तस्य प्रतीतेः । पुरुषव्यापारान्वयव्यतिरेकानुविधायित्वेऽपि शब्दविशेषस्य तदजन्यत्वे घटादेरपि तदजन्यताप्रसक्तेर्विशेषाभावात् । प्रत्यभिज्ञानादेश्च विशेषस्य प्रागेव निरस्तत्वात् । तत्र प्रयोगेण यो जनितः उत्पादः मूर्तिमद्रव्यारब्धावयवकृतत्वात् स समुदयवादः, तथाभूताऽऽरब्धस्य समुदायात्मकत्वात् । तत एवासावपरिशुद्धः, सावयवात्मकस्य तच्छब्दवाच्यत्वेन अभिप्रेतत्वात् । હવે વિશ્રસા એકત્વિક ઉત્પાદ આ પ્રમાણે છે - જ્યાં કોઈ પ્રાણી કર્તા નથી તથા ઘણા અવયવો સાથે મળીને સ્કંધરૂપે સમુદાયનું બનવાપણું પણ જ્યાં નથી. માત્ર આખી એક અખંડ દ્રવ્યવ્યક્તિમાં સ્વયં જે ઉત્પાદ-વિનાશ થાય છે અન્ય દ્રવ્યની સાથે મળી જવા પણું - એકમેક થવા પણું કે અન્યનો સંયોગ કે વિયોગ જ્યાં નથી તેવા ઉત્પાદ-વિનાશને ઐકત્વિક ઉત્પાદ-વિનાશ કહેવાય છે. આવા ઉત્પાદ અને વિનાશ માત્ર એકદ્રવ્યાશ્રિત હોવાથી અને તેમાં અન્ય દ્રવ્યનો સમુદાય ન હોવાથી પરિશુદ્ધ ઉત્પાદ-વિનાશ કહેવાય છે. આવા પ્રકારનો ઐકત્વિક વિશ્રસા ઉત્પાદ-વિનાશ ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ અમૂર્ત દ્રવ્યોમાં હોય છે. આકાશાદિ ત્રણે અમૂર્ત દ્રવ્યો નિશ્ચયનયથી પોતાના પર્યાયરૂપે પરિણામ પામતાં હોવાથી પરિણામ છે પણ વ્યવહારનયથી અન્યદ્રવ્ય સાથે મળીને સ્કંધરૂપે બનવાપણે, કે ક્ષેત્રભેદે ગમનાગમન કરવા રૂપે, કે કાળભેદે જીવની બાલ્યાદિઅવસ્થાની જેમ નવી નવી અવસ્થારૂપે બનવા પણ પરિણામ પામતાં નથી તેથી વ્યવહારનયથી તે અપરિણામી દ્રવ્ય છે. આ કારણે આ ત્રણ દ્રવ્યમાં જે ઉત્પાદ-વ્યય થાય છે. તેને ઐકત્વિક ઉત્પાદ-વિનાશ કહેવાય છે. સ્વયં પોતાના ગતિ-સ્થિતિ અને અવગાહનાના પરિણામથી ગતિ-સ્થિતિ-અવગાહના - ભાવને પામેલાં જીવ-પુગલોને ઉદાસીનભાવે સહાયક બનવું-તટસ્થપણે નિમિત્ત બનવું. એવા જ ઉત્પાદ-વિનાશ આ ત્રણ દ્રવ્યોમાં છે. એટલે જીવ-પુદ્ગલાત્મક પરદ્રવ્ય જયારે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy