________________
૨૯૬ કાર્ડ-૩ – ગાથા-૩૨-૩૩
સન્મતિપ્રકરણ કોઈ પ્રાણીના પ્રયત્નથી જ થાય છે. માટે પ્રયત્નજન્ય કહેવાય છે. એકલા કોઈ પણ એક અંશ (અવયવ) માત્રથી આ ઉત્પાદ થતા નથી પણ ઘણા અવયવોના સમૂહથી બને છે. તેથી તેને અપરિશુદ્ધ અર્થાત્ અશુદ્ધ કહેવાય છે. અંશોનું (અવયવોનું) જોડાવું અને વિખેરાવું માત્ર પગલાસ્તિકાય દ્રવ્યમાં જ બને છે. તેથી આ સમુદાયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ-વિનાશ પુલાસ્તિકાયમાં જ હોય છે. અને તે પણ બાદરસ્કંધોમાં જ (સ્થૂલસ્કંધોમાં જ) હોય છે.
તથા કોઈ કોઈ ઉત્પાદ રૂપાન્તર થવા રૂપે પણ થાય છે. જેમ કે દૂધનું દહીં થવું. દહીંનું માખણ થવું. અને માખણનું ઘી રૂપે થવું. આ પણ ઉત્પાદ અને નાશ સમુદાયમાં જ થાય છે. તથા જીવના પ્રયત્નથી જ થાય છે. માટે આ પણ સમુદયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ કહેવાય છે.
ધર્મ-અધર્મ-આકાશ આ ત્રણ અમૂર્તદ્રવ્યો છે તેમાં અવયવોનું જોડાવાપણું કે અવયવોનું વિખેરાવાપણું હોતું નથી. તેથી સમુદાયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ તે આ ત્રણ દ્રવ્યોમાં સંભવતો નથી. પુદ્ગલાસ્તિકાયમાં પણ સર્વત્ર આ ઉત્પાદ નથી. કારણ કે જે યણુક-ચણકાદિ સૂક્ષ્મ સ્કંધો છે. ત્યાં અવયવોનું જોડાવાપણું અને વિખેરાવાપણું છે. પણ સૂક્ષ્મદ્રવ્ય હોવાથી ત્યાં પ્રાણીનો પ્રયત્ન શક્ય નથી. તેથી ઉત્પાદ પ્રયત્નજન્ય કહેવાતો નથી પરંતુ વિશ્રસામાં ગણાય છે. તથા જે જે બાદરસ્કંધા (ચૂલસ્કંધો) છે. તેમાં પણ ઘટ-પટ આદિ કેટલાંક કાર્યોનો ઉત્પાદ પ્રાણીના પ્રયત્નથી જન્ય છે. પણ પર્વત વાદળાં વિજળી વિગેરે કેટલાંક કાર્યો બાદરસ્કંધો હોવા છતાં પણ તે પ્રાણીના પ્રયત્નથી જન્ય નથી. સમુદાયકૃત છે પણ પ્રયત્નજન્ય નથી. આ રીતે ઘટ-પટ-ઘર આદિ સ્વરૂપ પગલાસ્તિકાયના કેટલાક બાદરસ્કંધોના જ ઉત્પાદ અને વિનાશ અવયવોના મિલનથી અને વિસર્જનથી થાય છે. તે જ સમુદાયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ અને વિનાશ છે અને તે એક અંશ (એક અવયવ) માત્રના જ નથી. પરંતુ અનેક અંશોના મીલનથી બને છે. માટે અપરિશુદ્ધ છે. અશુદ્ધ છે. અનેકના મીલનથી જન્ય છે. માટે અશુદ્ધ છે. આ ઉત્પાદ સ્વતંત્ર એવા કોઈ એક અવયવનો નથી માટે અશુદ્ધ છે.
આ રીતે સમુદાયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ સમજાવ્યો કે જે બાદર સ્કંધો સ્વરૂપ કેટલાક પુગલસ્કંધોમાં જ થાય છે. અને તેને અપરિશુદ્ધ કહેવાય છે. કારણ કે તે અનેક અવયવોના સમૂહમાં જ થાય છે. અને આ કારણે જ આ ઉત્પાદને સમુદાયકૃત ઉત્પાદ કહેવાય છે. જે આવા પ્રકારનો પ્રયત્નજન્ય ઉત્પાદ હોય છે તેમાં ઐકત્વિક ઉત્પાદ હોતો નથી. કારણ કે તે એક અવયવ માત્ર જન્ય સંભવતો જ નથી. આ
હવે જે વિશ્રા ઉત્પાદ છે કે જેને સ્વાભાવિક ઉત્પાદ કહેવાય છે. તેના બે ભેદ 'છે. સમુદાયકૃત અને ઐત્વિક. જ્યાં કોઈ પ્રાણી કર્તા ન હોય, આપ મેળે ઉત્પાદ થાય. દ્રવ્યના પરિણામિક સ્વભાવને લીધે જે ઉત્પાદ થાય, તેને વિશ્રા અથવા સ્વાભાવિક ઉત્પાદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org