SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ કાઠ-૩ – ગાથા-૩૨-૩૩ ૨૯૫ સન્મતિપ્રકરણ (૫) ઈશ્વરે રચના કર્યા પહેલાં જીવો અને કર્મો બન્યા ક્યાંથી ? (૬) ઈશ્વરને ખુદને કોણે બનાવ્યા ? (૭) ઈશ્વરે જગતની રચના જેમાંથી કરી હોય તે કાચો માલ પહેલાં હતો કે ન હતો? જો હતો તો તે કાચા માલનો કર્તા ઈશ્વર નથી. આ વાત નક્કી થઈ જાય છે અને જો પ્રથમ કાચો માલ હતો જ નહીં, તો કાચા માલ વિના ઈશ્વરે આ જગત બનાવ્યું શેમાંથી. આવી અનેક આપત્તિઓ આવે છે. તેથી જ જૈનદર્શનકારો આવા પ્રકારના ઈશ્વરકર્તુત્વવાદની સામે વિરોધ વ્યક્ત કરવા રૂપે ઉત્પાદ અને વિનાશની જે સાચી રીતિનીતિ છે તે સમજાવે છે. આ જગતના સઘળા પણ પદાર્થોનો ઉત્પાદ-વ્યય ઈશ્વરને આધીન નથી. કેટલાક પદાર્થો વ્યક્તિના (કર્તાના) પોતાના પ્રયત્નથી જન્ય છે. અને બીજા કેટલાક પદાર્થો વિશ્રસા (પોતાની મેળે સ્વયં) ઉત્પાદ અને નાશ પામનારા છે આ રીતે ઉત્પાદના બે ભેદ છે. (૧) પ્રયત્નજન્ય અને (૨) વિશ્રસા. જ્યાં કોઈ પણ પ્રાણીનો પ્રયત્ન કારણ હોય છે તે ઉત્પાદ અને વિનાશ પ્રયત્નજન્ય માનવા જોઈએ અને જે ઉત્પાદ-વિનાશમાં કોઈનો પણ પ્રયત્ન કારણ ન હોય તેવા ઉત્પાદ-વિનાસને વિશ્રસા (અપ્રયત્નજન્ય) માનવા જોઈએ. ઘટપટ ઘર આદિનો ઉત્પાદ પ્રયત્નજન્ય છે અને વાદળાં-વિજળી-ઈન્દ્રધનુષ્ય આદિનો ઉત્પાદ વિશ્રયા છે. આમ જૈન દર્શનકારની દૃષ્ટિ ગ્રંથકારશ્રી ખુલ્લી કરે છે. હવે જે પ્રયત્નજન્ય નામનો પ્રથમ ઉત્પાદ-વિનાશ છે. તે નિયમા સમુદાયકૃત જ હોય છે. છુટા છુટા રહેલા નાના નાના કણોને (અવયવોને) સાથે સાથે મેળવવાથી (જોડવાથી) સમુદાયસ્વરૂપે (અવયવી સ્વરૂપે) તે પદાર્થ બને છે અને અવયવો છુટા પડવાથી તેનો નાશ થાય છે આ ઉત્પાદ અને નાશને સમુદાયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ-વિનાશ કહેવાય છે. જેમ બુંદીના ઘણા દાણા ભેગા કરીને લાડુ રૂપે વાળવામાં આવે તે અનેક બુંદીના કણોનો એક લાડવો બન્યો. તે સમુદાયકૃત પ્રયત્નજન્ય ઉત્પાદ થયો. તેવી જ રીતે પંખાના સ્પેરપાર્સોને યથાસ્થાને જોડવાથી પંખો બનાવ્યો. કાગળોને યથાસ્થાને ગોઠવીને બાઈન્ડીંગ કરાવીને બુક બનાવી તે, તથા તખ્તઓને યથાસ્થાને તાણાવાણા રૂપે ગોઠવીને પટ બનાવ્યો (વસ્ત્ર બનાવ્યું) તે. આવાં આવાં જે કોઈ કાર્યોનો ઉત્પાદ થાય છે. તે સમુદાય કૃત પ્રયત્નજન્ય ઉત્પાદ છે. આવાં આવાં અનેક અવયવોના મીલનથી થનારાં જે જે કાર્યો છે તે અનેક અંશોના સમુદાયથી બને છે. માટે તેને સમુદાયકૃત ઉત્પાદ કહેવાય છે. અને તે સઘળાં કાર્યો કોઈને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy